Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તે મને મારે તે પહેલા જ તેને પતાવી દીધો':ભાભી સાથેના આડા સંબંધ મુદ્દે યુવકને પિતરાઈ ભાઈએ છરીના 7 ઘા ઝીંકી પતાવી દીધો, મુખ્ય આરોપીની ધરપકડ અન્ય એક ફરાર

    3 days ago

    એક સમયનું શાંત અને સલામત ગણાતું રાજકોટ શહેર હાલ ગુનાખોરીના વિષચક્રમાં હોમાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેમ છેલ્લા 22 દિવસમાં જ બે સગા ભાઈઓ સહિત કુલ 6 લોકોની હત્યાના બનાવો સામે આવ્યા છે. તાજેતરમાં જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જવાના રસ્તા પર આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ પાસે બનેલી ખૂની હુમલાની ઘટનામાં ક્ષત્રિય યુવકનું મોત થતાં મામલો હત્યામાં પલટાયો છે. કારમાંથી બહાર બોલાવી આડેધડ છરીના ઘા ઝીંક્યા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના સહકાર મેઈન રોડ પર રઘુવીર સોસાયટી-3માં રહેતા અનુપસિંહ કેશુભા વાઘેલા (ઉ.વ. 70)એ આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગત શનિવારે (1 ઓગસ્ટ, 2026) બપોરે ફરિયાદી જ્યારે મેડિકલ સ્ટોરે ગયા ત્યારે માલૂમ પડ્યું હતું કે, કૃષ્ણનગરમાં રહેતો તેમનો ભત્રીજો ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા અન્ય એક શખ્સ સાથે એક્ટિવા પર તેમના પુત્ર ઘનશ્યામસિંહની શોધખોળ કરી રહ્યો હતો. ત્યારબાદ સાંજે 6 વાગ્યાના સુમારે ધર્મજીવન એપાર્ટમેન્ટ સામે કારમાં બેઠેલા ઘનશ્યામસિંહને આરોપીઓએ બહાર બોલાવ્યા હતા. "આજે તો તને પતાવી જ દેવો છે" તેમ કહી ધર્મેન્દ્રસિંહે તેના પર છરી વડે આડેધડ 6થી 7 ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઘનશ્યામસિંહને તાત્કાલિક ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મધ્યરાત્રિએ 12:30 વાગ્યે તેમણે દમ તોડ્યો હતો. લીંબડી હાઈ-વે પરથી મુખ્ય આરોપીની અટકાયત ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ભક્તિનગર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. હુમલો કર્યા બાદ આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલા પ્રથમ અમદાવાદ અને ત્યાંથી પરત લીંબડી તરફ ભાગ્યો હતો. ભક્તિનગર પોલીસે ગણતરીના કલાકોમાં લીંબડી હાઈવે પરથી ધર્મેન્દ્રસિંહની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં તેને મદદ કરનાર અન્ય એક અજાણ્યા શખ્સની પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મૃતક ઘનશ્યામસિંહ અને આરોપી ધર્મેન્દ્રસિંહ સગા પિતરાઈ ભાઈઓ થાય છે. આરોપીએ કબૂલાત આપતાં જણાવ્યું હતું કે, તેમના વચ્ચે જૂની અદાવત અને આડા સંબંધોને લઈને મનદુઃખ ચાલી રહ્યું હતું. મૃતક ઘનશ્યામસિંહ છેલ્લા બે વર્ષથી આરોપી અને તેના ભાઈને ફોન કરીને ધમકી આપતો હતો. બનાવના આગલા દિવસે પણ ઘનશ્યામસિંહે આરોપીને 40થી 50 જેટલા મિસ્ડ કોલ કર્યા હતા. જેથી "ઘનશ્યામસિંહ મારી હત્યા કરી નાખશે" તેવી દહેશત હેઠળ આવી જઈને આરોપી ધર્મેન્દ્રસિંહે સામો હુમલો કરી પિતરાઈ ભાઈને પતાવી દેવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. હાલ ભક્તિનગર પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી ફરાર મદદગારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ AIIMSમાં અદ્યતન સ્પાઇન સર્જરીનો પ્રારંભ:વયોવૃદ્ધ મહિલાની પ્રથમ જટિલ લંબર સ્પાઇન સર્જરી થઈ, ગંભીર કમરના દુખાવામાંથી રાહત મળી
    Next Article
    India Completes 1st Catalogue Of Butterflies, Moths, Documents 13,703 Species

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment