Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરની બહાર ઊભું પોતું મૂકવા જેવી વાત મોત સુધી પહોંચી:કલોલમાં દાદી સાસુના ઠપકાથી બે પુત્ર સાથે કેનાલમાં કૂદેલી માતાનું પણ મોત; પતિએ અંગદાન કરી 7 જિંદગીઓ બચાવી

    1 day ago

    ગાંધીનગરના કલોલ તાલુકાની શેરીસા નર્મદા મુખ્ય કેનાલમાં બે માસૂમ દીકરાઓ સાથે આત્મહત્યાની છલાંગ લગાવનાર 24 વર્ષીય માતા કાજલબેનનું પણ સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. દાદી સાસુના સામાન્ય ઠપકાથી ઉશ્કેરાઈને પરિણીતાએ આ આત્યંતિક પગલું ભર્યું હતું, જેમાં 6 વર્ષના નિર્દોષ પુત્રનું કરૂણ મોત થયું હતું. જ્યારે માતા અને 18 માસના બાળકને બચાવી લેવાયા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17 જૂનને બુધવારે માતાને 'બ્રેઇન ડેડ' જાહેર કરાતાં, શોકતુર પતિએ ભારે હૈયે પત્નીના અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જેનાથી 7 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. ઘરની બહાર ઊભું પોતું મૂકવા જેવી નજીવી બાબત આપઘાત બનાવની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઇ ગામના વેરાઇ માતાના વાસમાં રહેતા અને ઓસ્ટ્રેલીયન પ્રીમીયમ સોલર કંપનીમાં નોકરી કરતા કિસ્મતભાઈ રાઠોડના લગ્ન 2014માં રામપરા ગામના કાજલબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને બે પુત્રો સાત્વીક (ઉં.વ. 6) અને યક્ષિત (ઉં.વ. 18 માસ) હતા. 11 જૂનના રોજ સવારે ઘરની બહાર ઊભું પોતું મૂકવા જેવી નજીવી બાબતે કિસ્મતભાઈના દાદી ડાહીબેને પૌત્રવધૂ કાજલબેનને ઠપકો આપ્યો હતો. આ માઠું લાગી આવતાં કાજલબેને પતિને ફોન પર "હું બંને દીકરાઓ સાથે મરી જવા નીકળી છું" તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. મોટા દીકરાની લાશ મળી, પત્ની બેભાન હતી પતિ નોકરી પરથી પત્નીને શોધવા નીકળ્યો ત્યારે સાંજે 7 વાગ્યે કાજલબેનના ફોન પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું કે આ બેન શેરીસા કેનાલની પાળી પર મોબાઈલ મૂકીને બાળકો સાથે પાણીમાં કૂદી ગયા છે. સ્થાનિકોએ તાત્કાલિક કાજલબેન અને 18 માસના માસૂમ યક્ષિતને જીવતા બહાર કાઢી 108 મારફતે ગાંધીનગર સિવિલ ખસેડ્યા હતા, પરંતુ 6 વર્ષનો સાત્વીક લાપતા થયો હતો. બાદમાં રામનગર કેનાલમાંથી સાત્વીકની લાશ મળી આવી હતી. પુત્રના અંતિમ સંસ્કાર કર્યા બાદ પતિ કિસ્મતભાઈએ જ સાંતેજ પોલીસ સ્ટેશનમાં પોતાના બંને દીકરાઓને જાનથી મારી નાખવાના ઈરાદે કેનાલમાં ફેંકવા બદલ પત્ની કાજલબેન વિરૂદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રક્રિયા બીજી તરફ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી કાજલબેનની તબિયત વધુ લથડતાં તેઓ કોમામાં સરી પડ્યા હતા અને ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મીતા પરીખના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યો અને પતિની લેખિત મંજૂરી બાદ આ 25 વર્ષીય પરિણીત મહિલાના અંગોનું દાન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. અંગદાનની પ્રક્રિયા વખતે સિવિલ હોસ્પિટલના તબીબો અને ખાસ સ્ટાફ હાજર રહ્યો હતો. પિતાએ એક પુત્ર ગુમાવ્યો અને પત્ની પણ ન રહી, છતાં આ કપરા સમયે પત્નીનું અંગદાન કરવાનો નિર્ણય લેતા અન્ય 7 પરિવારોના ઘરમાં ખુશીનો દીવો પ્રગટ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ બાદ ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓનું રેગિંગ:ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર ડોકટરનું 6 સિનિયરે રેગિંગ કર્યું, પૈસાની માગણી કરી મુર્ગા બનાવતા
    Next Article
    India Deploys Nuclear Warheads LIVE | ભારતે તૈનાત કર્યા પરમાણુ હથિયાર, કોણ નિશાન? | PM Modi | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment