Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 દિનથી વીજળી નહિ મળતાં પાક સૂકાવાના આરે‎:જૂના બોરભાઠામાં ટ્રાન્સફોર્મર મામલે વીજ વિભાગના અખાડા

    2 days ago

    અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામ ખાતે ડીજીવીસીએલ ખેતી વિષયક વીજ લાઈન વિભાગની અનદેખી થી ખેડૂતોનો ઉભો પાક પિયતના પાણી વિના નુકસાન પામી રહ્યો છે. 7 દિવસ પહેલા ગામ ની સીમ માં એક વીજ ટ્રાન્સફોર્મર અચાનક ભડકે બળી ફૂંકાઈ ગયું હતું. વીજ તાર પણ તૂટી પડવાના કારણે ઉભા પાક પણ સળગી ઉઠ્યો હતો. ખેડૂતોએ ડીજીવીસીએલ માં ઓનલાઇન અરજી કરી હતી. ટીમ આવી સર્વે પણ કરી ગઈ હોવા છતાં આજે 7 દિવસ બાદ પણ સમસ્યા નું નિરાકરણ આવ્યું નથી.હવે જો વીજ પ્રવાહ જલ્દીથી શરૂ નહી થાય તો ખેતરોમાં પાક પાણી વિના સુકાઇ જાય તેવી સ્થિતિ છે. દલપત પટેલ એ જણાવ્યું હતું કે 8 થી 10 દિવસથી ટીસી બળી ગઈ છે. રોજ રોજ ફોન કરી રહ્યા હોવા છતાં કોઈ નિરાકરણ કરતા નથી. વીજળીની સમસ્યાના કારણે ખેતર માં નુકશાન થયું છે. આમરી માંગ છે. કે જલ્દી લાઈન બને જેથી પાક શકાય તેમ છે.
    Click here to Read More
    Previous Article
    ગેસ વિતરણ પર તંત્રની બાજ નજર:ગેસ બોટલના સપ્લાયના મોનિટરિંગ માટે એજન્સી પર મહેસૂલ-પોલીસ કર્મી તૈનાત
    Next Article
    ચોરીનો બનાવ:દંપતી પુત્રને મળવા વડોદરા ગયા, ઘરમાં લાખોનો હાથફેરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment