Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 65% બ્રાસ ઉદ્યોગને અસર:આંતરરાષ્ટ્રીય તણાવથી નવા ઓર્ડર, સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ

    1 सप्ताह पहले

    જામનગરના બ્રાસ ઉદ્યોગ પર વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર જોવા મળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના આંતરરાષ્ટ્રીય તણાવને કારણે જામનગરના બ્રાસ માર્કેટમાં મંદીનો માહોલ છવાયો છે, જેના પરિણામે હજારો વેપારીઓ અને શ્રમિકો ચિંતિત બન્યા છે. જામનગર જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધનું સંકટ ઘેરું બન્યા બાદ બ્રાસ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. હાલમાં આશરે 65 ટકા જેટલો બ્રાસ ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ હાલતમાં ધકેલાઈ ગયો છે. ઉદ્યોગ ઠપ્પ થવા પાછળના મુખ્ય કારણોમાં નવા ઓર્ડરનો અભાવ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાને કારણે વિદેશી અને સ્થાનિક ખરીદદારોએ નવા ઓર્ડર આપવાનું લગભગ બંધ કરી દીધું છે, જેનાથી ઉદ્યોગકારો પાસે કામના ઓર્ડરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત, યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે મેટલ અને ક્રૂડ ઓઇલના ભાવોમાં ભારે ઉતાર-ચઢાવ આવી રહ્યો છે. આ અસ્થિરતાને લીધે ઉત્પાદન ખર્ચનો અંદાજ લગાવવો મુશ્કેલ બન્યો છે, જે ઉદ્યોગ માટે મોટો પડકાર છે. સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ પણ ખોરવાઈ ગયા છે. દરિયાઈ માર્ગો પર વધતા તણાવને કારણે નિકાસ અને આયાત બંને પર બ્રેક વાગી ગઈ છે, જેનાથી કાચા માલની ઉપલબ્ધતા અને તૈયાર માલના વિતરણમાં અવરોધ ઊભો થયો છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના ધારાસભ્ય જ કથિત ભ્રષ્ટાચારથી પરેશાન:જૂનાગઢમાં ચાલતા રસ્તાના કામમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલિભગતનો આક્ષેપ, કમિશનરને પત્ર લખી જવાબ માગ્યો
    Next Article
    સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું:44.5 ડિગ્રી તાપમાન નોંધાયું, આગામી દિવસોમાં ઘટાડાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment