Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    60 વર્ષ પહેલાં કૂવા-વાવથી ધબકતું ભુજ, નક્ષત્રો જોઈ પાણી સંગ્રહાતું:ભુજ શહેરના દરેક વોર્ડમાં હતા જીવંત કૂવા અને વાવ, મોટી પોષાળમાં આજે પણ વાવનું પાણી

    2 days ago

    કચ્છના ઐતિહાસિક વારસા અને જળ સંસ્કૃતિનો પ્રભાવ આજે પણ અકબંધ છે. ભુજ શહેરમાં સ્થિત 475 વર્ષ જૂની ઐતિહાસિક મોટી પોશાળ જાગીરમાં આવેલી જૂની વાવ માત્ર એક બાંધકામ નથી, પરંતુ તત્કાલીન એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે. એક સમયે ભુજના નાગરિકો આ વાવમાંથી પાણી સીંચીને તરસ છિપાવતા હતા. 60 વર્ષ પહેલાં કૂવા-વાવ સંસ્કૃતિથી ધબકતું ભુજ, નક્ષત્રો જોઈને પાણી સંગ્રહ કરતું. આજે યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક વાવની સંરચના અને પાણીની ગુણવત્તા પર સંશોધન (રિસર્ચ) કરવા માટે અહીં આવી રહ્યા છે. કચ્છના જાણીતા ઇતિહાસકાર અને રાજપરિવારના રાજ્યગુરુ પ્રવીણ મેરજી ગોરજીએ પાણીના પરંપરાગત મહત્વ અંગે જણાવ્યું કે, આજથી માત્ર 60 વર્ષ પહેલાં સુધી ભુજમાં કૂવા સંસ્કૃતિ જીવંત હતી. શહેરના દરેક વિસ્તાર અને વોર્ડ વાઇઝ પીવાના પાણીના કૂવાઓ કાર્યરત હતા અને વહેલી સવારે લોકો ત્યાં પાણી ભરવા ઉમટતા. તે કૂવાઓનું મીઠું પાણી પીવાનો આનંદ જ અનોખો હતો. આપણી જૂની પેઢી નક્ષત્રો અને પ્રકૃતિના આધારે જળ સંગ્રહનું વિજ્ઞાન જાણતી હતી. પાણીનો મુખ્ય સંબંધ સૂર્ય અને નક્ષત્ર સાથે છે. જ્યારે આર્દ્રા નક્ષત્ર બેસે છે ત્યારે ખેડૂતો અને સામાન્ય પ્રજામાં હરખની હેલી જોવા મળે છે, કારણ કે આ નક્ષત્ર વરસાદના આગમનનું પ્રતીક છે. જ્યારે રેવતી નક્ષત્ર બેસે ત્યારે ચોમાસું એટલે કે વર્ષાઋતુ સંપૂર્ણ રીતે વિદાય લે છે તેવી લોકવાયકા છે. પાણી એ કુદરતની અણમોલ ભેટ છે. પૂર્વજોએ કૂવા, વાવ અને તળાવો બનાવીને પાણીના એક-એક ટીંપાની કિંમત સમજાવી છે. આજની પેઢીએ આ ઐતિહાસિક સ્થળો પરથી પ્રેરણા લઈને જળ સંચય (વોટર હાર્વેસ્ટિંગ) અપનાવવું જ પડશે, જેથી ભવિષ્યની પેઢીને પાણીની કટોકટીનો સામનો ન કરવો પડે. 270 વર્ષ જૂનું ઉપાધ્યાય તળાવ આજે પણ અડીખમ ઇતિહાસના પાના ફેરવતા પ્રવીણભાઈએ ઉમેર્યું કે, આજથી 270 વર્ષ પહેલાં તેમના વડીલો દ્વારા અંજાર તાલુકાના વીરા ગામમાં એક ભવ્ય તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાજ્યગુરુની પદવી પરથી આ જળાશય ‘’ઉપાધ્યાય તળાવ’’ તરીકે ઓળખાય છે. સદીઓ વીતી ગઈ હોવા છતાં આ તળાવ આજે પણ જીવંત છે અને કચ્છના ગૌરવશાળી ઇતિહાસની કથા કહી રહ્યું છે. ગોરજી પરિવાર પેઢીઓથી જળ સંગ્રહનું મહત્વ સમજે છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા, કેનેડા, UK સહિતના દેશોમાં પહોંચશે રાખડી:રક્ષાબંધન પર સાત સમંદર દુર વસતા ભાઈને રાખડી મોકલવા પોસ્ટ વિભાગે શરૂ કરી નવી સેવા
    Next Article
    પિતાને ટીબી, બાળકમાં પણ લક્ષણ હોવાની આશંકા:ભાયલીના 3 વર્ષના બાળકને તાવ અને ખેંચ સાથે ચાંદીપુરાનાં લક્ષણ,રિપોર્ટ નેગેટિવ આવતાં રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment