Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાતની ઘટનાઓ રોકવા મહીસાગર નદી ઉપર સુરક્ષા કવચ:અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાસદ નજીકના ત્રણેય બ્રિજની 6 પાળીઓ ઉપર જાળી લગાવવાની કામગીરી શરૂ

    10 hours ago

    રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર વાસદ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં ઝંપલાવી આપઘાત કરવાના કિસ્સાઓ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યા હતા, જેના કારણે હાઇવે પરના ત્રણેય બ્રિજ ઉપર જાળી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે નિર્ણય લેવાયો મહીસાગર નદી ઉપર અવારનવાર આપઘાતની ઘટનાઓ બનતી હતી, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક સાંસદ દ્વારા પણ આ અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે રજૂઆત કરાઈ હતી. તેઓની રજૂઆતના પગલે મહીસાગર નદી પર વાસદ નજીક ત્રણ બ્રિજ આવેલા છે. આ ત્રણયે બ્રિજની 6 પાળીઓ ઉપર જાળી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ એક તરફની પાળી ઉપર કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. ભૂતકાળમાં સરેરાશ દર બે દિવસે એક બનાવ બનતો હતો મહીસાગર નદીમાં ઝંપલાવી આપઘાતના કિસ્સાઓ વધ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, થોડા સમય અગાઉ સરેરાશ દર બે દિવસે એક બનાવ બનતો હતો, જેમાં કેટલાકના જીવ બચતા હતા તો કેટલાક મોતને ભેટતા હતા. ત્યારે લોકોના જીવ બચાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. અગાઉ પોલીસે બોર્ડ પણ લગાવ્યું હતું નદીમાં આપઘાતના બનાવ બનતા અગાઉ સ્થાનિક પોલીસ દ્વારા બ્રિજ ઉપર બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જે લોકોને આત્મહત્યા કરવાનો વિચાર આવે તો એક તક પોલીસને આપો. તમારી સમસ્યા લઈને આવશો તો ચોક્કસ દૂર કરવાના પ્રયત્ન કરીશું. જીવન એ ઈશ્વરની એક ભેટ છે. તેવું સકારાત્મક વિચારી પોતાના તથા પોતાના પરિવારની ચિંતા કરતા આવું અઘટિત પગલું ન ભરવા અપીલ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    તાપીના મોરદેવી ગામે દીપડો પાંજરે પુરાયો:5 વર્ષનો દીપડો પકડાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
    Next Article
    'The Real Kerala Story': CPM Leaders After Monalisa Marries Farman Khan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment