Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વાસ્થ્ય સાથે ચેડાં:બાકરોલ દૂધ મંડળીમાં 6 સભાસદોના દૂધમાં ભેળસેળ મળતાં લેવાનું બંધ કરાયું

    20 hours ago

    આણંદના બાકરોલની દૂધ મંડળીમાં ભેળસેળીયુ દૂધ મળી આવતાં અમૂલ ડેરી દૂધ લેવાનું બંધ કરતાં 350 વધુ સભાસદો મુશ્કેલીમાં મુકાઇ છે. મંડળીમાં માત્ર 6 સભાસદોના દૂધમાં પાણી, અન્ય પદાર્થની ભેળસેળ 3200 લીટર દૂધ ઘરે પરત લઇ જવાનો વખત આવતાં પશુપાલન પર નિભતા પરિવારને એક દિવસની રોજી છીનવાઇ જતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આણંદના બાકરોલ ગામની દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી દૂધમાં ભેળસેળ હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેથી અમૂલ ડેરીને કવોલીટી એન્સોરેન્સ વિભાગની ટીમોએ બાકરોલ દૂધ મંડળી ભરવામાં આવતાં તમામ સભાસદો દૂધની ચકાસણી કરી હતી. જેમાં 6 જેટલા સભાસદોના દૂધમાં મિલાવટ જણાઇ આવી હતી.જેના કારણે ડેરીમાં આવેલા દૂધ ટાંકાનું તમામ દૂધ ભેળસેળ યુકત બની જતાં માનવ સ્વાસ્થાય માટે હાનિકારક હોવાથી તાત્કાલિક અમૂલ ડેરી બાકરોલ દૂધ મંડળીનું દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અમૂલની તપાસમાં માત્ર 6 સભાસદોના દૂધમાં ભેળસેળ હોવા છતા તમામ દૂધ બંધ કરાતાં સભાસદો છેલ્લી 2 ટકનું દૂધ ભરી ન શકતાં મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.જેને લઇને ભારે નારાજગી જોવા મળે છે. ભેળસેળિયુ દૂધ ભરતાં 6 સભાસદો દૂધ લેવાનું બંધ બાકરોલ દૂધ મંડળીના સેક્રેટરી સલીમભાઇ મલેકે જણાવે છે કે, અમૂલની ટેસ્ટીંગ વાન દ્વારા સેમ્પલ ચકાસણી થઈ તેમાં 6 ગ્રાહકોના સેમ્પલ જણાઈ આવ્યાં છે. સંઘના પરિપત્ર મુજબ જે સેમ્પલ અસામાન્ય જણાઈ આવ્યાં છે, તેની ઉપર કાર્યવાહી કરી, દંડની જોગવાઈ છે એ મુજબ તેમનું દૂધ બંધ કરવામાં આવ્યું છે. તેમજ મંડળીમાં ઠરાવ કરીને 6 સભાસદો સામે શું કાર્યવાહી કરવી તે નક્કી કરવામાં આવશે.પુન: અમૂલે દૂધ લેવાનું નક્કી કરતાં ડેરી ચાલુ કરવામાં આવી છે. 6 સભાસદોના 800 લીટર ભેળસેળિયા દૂધથી ટેન્કનું 5 હજાર લીટર દૂધ ખરાબ બાકરોલ દૂધ મંડળીમાં 6 જેટલા મોટા સભાસદો દ્વારા દૈનિક 800 લીટર દૂધ ભેળસેળિયુ ભરવામાં આવતું હતું. તેઓના દૂધના નમૂના પાણી સહિત અન્ય પ્રદાર્થની ભેળસેળ હોવાથી અસામાન્ય જાહેર કરાયું હતું. મંડળી 5 હજાર લીટર દૂધની ક્ષમતા ધરાવતી ટેન્કમાં આ 800 લીટર ભેળસેળિયુ દૂધ ભળતાં તમામ દૂધમાં ભેળસેળ થઇ જતાં માનવ સ્વાસ્થય માટે હાનિકારક હોવાનું નિષ્ણાંતો માનવું છે.ત્યારે 6 સભાસદાને કારણે 350 સભાસદોને હાલાકી ભોગ વખત આવે છે. ત્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ સૌ કોઇ ઇચ્છે છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:આણંદમાં ગીરવે મુકેલા દાગીના બાબતે યુવકને સાઢુ સહિત 4 વ્યક્તિએ માર માર્યો
    Next Article
    Surat Crime News | સુરતની કાંઠા સુગર મિલમાં કૌભાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી | Police | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment