Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નેપાળમાં 570થી વધુ લોકોનાં મોત, 25 ગુજરાતીઓ પણ ફસાયા, સોનિયા ગાંધીનું પુસ્તક ભારતમાં નહીં છપાય; વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાંથી બહાર

    7 hours ago

    નમસ્તે, નેપાળ દુર્ઘટનાનાં ત્રણ દિવસ વીતી ગયા છે. અત્યાર સુધીમાં 570થી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર, 1900 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. સોનિયા ગાંધીના પુસ્તકને લઈને વિવાદની સ્થિતિ સર્જાઈ રહી છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપે SIRમાં ગડબડ કરી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન્સ યોજાશે. RSS પ્રમુખ મોહન ભાગવત મુખ્ય અતિથિ હશે. 2. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનની 4 દિવસની યાત્રા પર રવાના થશે. 📰 કાલના મોટા સમાચારો 1. નેપાળ વિદેશી બચાવ ટીમો પાસેથી મદદ લેવા સંમત થયું:પૂરથી અત્યાર સુધીમાં 579 લોકોનાં મોત, 320 ભારતીયો સહિત 1900થી વધુ ગુમ નેપાળ સરકારે વિદેશી બચાવ ટીમો અને નિષ્ણાતોની મદદ લેવાને મંજૂરી આપી દીધી છે. સરકારે પહેલાં વિદેશી સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમોને મંજૂરી નહીં આપવાની વાત કહી હતી, પરંતુ હવે ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના નિષ્ણાતોની સીમિત મદદ લેવામાં આવશે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, પૂરમાં 579 લોકોનાં મોત થયા છે. જ્યારે 1,900થી વધુ લોકો ગુમ અથવા સંપર્ક બહાર છે. તેમાં 320 ભારતીય નાગરિકો પણ સામેલ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચીન તરફ લગભગ 400 ભારતીયો ફસાયેલા છે, પરંતુ બધા સુરક્ષિત છે. ભારત તેમના સુરક્ષિત સ્વદેશ પરત ફરવા માટે ચીની અધિકારીઓના સંપર્કમાં છે. આ ઉપરાંત 153 ભારતીયો ચીનથી સુરક્ષિત નેપાળ પહોંચી ચૂક્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સોનિયા ગાંધીની ઓટોબાયોગ્રાફી ભારતમાં નહીં છપાય:પબ્લિશરે છાપવાની ના પાડી દીધી; લેખકનો એડિટોરિયલ ફેરફારોનો ઇનકાર, પેંગ્વિને હાથ અધ્ધર કરી લીધા પેંગ્વિને શુક્રવારે જણાવ્યું હતું કે તે ભારતમાં આ પુસ્તક પ્રકાશિત કરશે નહીં. એ કહેવું યોગ્ય નથી કે લેખકે સંપાદકીય ફેરફારોનો ઇનકાર કર્યા પછી તેણે પુસ્તક પ્રકાશિત કરવાનો ઇનકાર કર્યો છે. આ પહેલા ધ ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે પેંગ્વિને એક ભાગમાં કેટલાક “સંપાદકીય ફેરફારો અને ભાગો દૂર કરવાની” માગ કરી હતી, પરંતુ લેખકોએ આ માગને નકારી કાઢી હતી. આ પુસ્તક પહેલા 10 નવેમ્બરે પ્રકાશિત થવાનું હતું. તેમાં સોનિયા પોતાની રાજકીય યાત્રા અને 2004માં વડાપ્રધાન પદ સ્વીકાર ન કરવાના નિર્ણય સાથે જોડાયેલા અનુભવો શેર કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે લેક ઓન્ટારિયોનું નામ બદલીને 'લેક અમેરિકા' કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. આદેશ મુજબ, 30 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થશે અને ત્યારબાદ અમેરિકાના સરકારી નકશા અને રેકોર્ડમાં નવું નામ વાપરવામાં આવશે. ટ્રમ્પે આ નિર્ણયની સરખામણી મેક્સિકોની ખાડીનું નામ બદલીને 'અમેરિકાની ખાડી' કરવા સાથે કરી. તેમણે મજાકમાં કહ્યું કે હવે અમેરિકા પાસે એક ખાડી અને એક તળાવ છે, કદાચ આગળ એટલાન્ટિક કે પ્રશાંત મહાસાગરનું નામ બદલવા વિશે પણ વિચારવું પડશે. બીજી તરફ, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ લેક ઓન્ટારિયોનું નામ બદલવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું- અમે જાણીએ છીએ કે અમેરિકા નામ બદલી રહ્યું છે, પરંતુ કેનેડિયન પણ જાણે છે કે હકીકતમાં તેનું નામ લેક ઓન્ટારિયો જ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. બેડરૂમવાળા વિવાદથી ભાઈ-બહેનના પ્રેમ સુધી:કંગના-રામદેવ વચ્ચે સમાધાન, બાબાએ 500ની નોટોનું બંડલ-મીઠાઈ મોકલી; કંગનાએ કહ્યું- 'ભગવાન લાંબું આયુષ્ય આપે' રક્ષાબંધન પર યોગ ગુરુ બાબા રામદેવે અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત માટે મીઠાઈ અને ભેટ મોકલી. તેમણે એક કવરમાં 500 રૂપિયાની નોટોનું બંડલ પણ મોકલ્યું. આ દરમિયાન રામદેવે કહ્યું કે સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેવી જોઈએ અને મનદુ:ખ ભૂલીને પ્રેમ સાથે આગળ વધવું જોઈએ. રામદેવે કહ્યું કે દેશમાં કોઈપણ કારણસર નફરત અને એકબીજા પ્રત્યે વેરભાવ ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા દિવસોમાં તેમના અને કંગના રનૌત વચ્ચે વિવાદની ચર્ચા થઈ હતી, જેને સંવાદ દ્વારા સમાપ્ત કરવો જોઈએ. હું કંગનાને ફોન કરીને રક્ષાબંધનની શુભેચ્છાઓ આપીશ. વાંચો સંપૂર્ણ સમાચાર 5. વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાંથી બહાર:રાજકોટ-અમદાવાદીઓને મેદાનમાં નહીં જોવા મળે વિસ્ફોટક બેટિંગ; સેહવાગ-દ્રવિડના પુત્રોને ચાન્સ, તો યુવા સ્ટારને કેમ નહીં? BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલું સિરીઝ માટે ભારતની 15 સભ્યોની અંડર-19 ટીમ જાહેર કરી છે. આમાં પૂર્વ ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને પૂર્વ ભારતીય કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને સ્થાન મળ્યું છે. જોકે, BCCIના નિયમના કારણે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ટીમમાં સામેલ નથી. વૈભવ સારો દેખાવ કરી ચૂક્યા છે અને ઇંગ્લેન્ડ સામેની T-20 ઇન્ટરનેશનલમાં સિનિયર ટીમ માટે ડેબ્યૂ પણ કરી ચૂક્યા છે. BCCIએ 2016માં ખેલાડીઓ માટે એક નિયમ બનાવ્યો હતો. આ મુજબ, પાત્ર હોવા છતાં કોઈ ખેલાડી એકથી વધુ અંડર-19 વર્લ્ડ કપ રમી શકતો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. નેપાળ જળપ્રલયમાં ફસાયેલા ગુજરાતીઓની સંખ્યા વધીને 25 થઈ:પાટીલે કહ્યું- 150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત થયાની શક્યતા, 47.5 ટન રાહત સામગ્રી મોકલાઈ નેપાળમાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ 12 ગુજરાતી નાગરિકોની માહિતી સામે આવી હતી, ત્યારબાદ આ આંકડો 18 થયો હતો અને હવે 28 ઓગસ્ટના રાત્રિના 10:20 વાગ્યા સુધીમાં કુલ 25 ગુજરાતીઓનો સંપર્ક થઈ શક્યો નથી. રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા તૈયાર કરાયેલી માહિતીમાં આ વિગતો સામે આવી છે. તો સુરતમાં સી.આર. પાટીલે કહ્યું કે 150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત થયાની શક્યતા છે. ભારત સરકારે 47.5 ટન રાહત સામગ્રી મોકલી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી સતત સંપર્કમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. મુસ્લિમ બહેને રાખડી બાંધી ભાઈનો હાથ ન છોડ્યો:સુરત સબજેલમાં ભેટીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી, વડોદરામાં ચૈતર વસાવાને 4 બહેને રાખડી બાંધી; સાબરમતીમાં પણ ભાવુક દૃશ્યો અમદાવાદની સાબરમતી અને સુરતની જેલમાં આજે 28 ઓગસ્ટે રક્ષાબંધનના પર્વે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરત સબજેલ જેલમાં બંધ પોતાના ભાઈને રાખડી બાંધવા પહોંચેલી એક મુસ્લિમ બહેન પોતાના આંસુ રોકી શકી ન હતી. ભાઈના કાંડે પવિત્ર રક્ષા સૂત્ર બાંધ્યા બાદ બહેન એટલી હદે ભાવવિભોર બની ગઈ હતી કે તે ભાઈને વળગી પડી હતી અને તેનો હાથ છોડવા જ તૈયાર ન હતી. ભાઈ-બહેન વચ્ચેના આ અતૂટ સ્નેહને જોઈને ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. તો આ તરફ વડોદરા મધ્યસ્થ જેલમાં બંધ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ચાર બહેનોએ રાખડી બાંધી હતી અને જલ્દી જેલમાંથી છૂટે તેવી પ્રાર્થના કરી હતી. સુરતમાં જેલમાં મુલાકાતનો સમય મર્યાદિત હોવા છતાં, રાખડી બાંધ્યા પછી બહેન ભાઈનો હાથ પકડીને સતત રડી રહી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મમતાએ કહ્યું- BJPએ ચૂંટણી 'હાઈજેક' કરી:મત લૂંટવા માટે SIRનો ઉપયોગ, બંગાળમાં પોલીસ દ્વારા ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રેડિયો ખરાબીથી ટ્રમ્પનું હેલિકોપ્ટર વિમાનની નજીક પહોંચ્યું:એર ટ્રાફિક કંટ્રોલર્સને એક અઠવાડિયા પહેલાથી મુશ્કેલીની જાણકારી હતી; છતાં ભૂલ થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : NTAમાં કેન્દ્રના ત્રણ અધિકારીઓની નિમણૂક:2 ડિરેક્ટર, એક જોઈન્ટ ડિરેક્ટર; ત્રણ અઠવાડિયામાં પદ સંભાળવાનો આદેશ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : બ્રિટનના સૌથી મોટા એરપોર્ટ ગ્રુપ પર સાયબર હુમલો:87 લાખ ગ્રાહકોના ઇમેઇલ, ફોન નંબર અને અન્ય અંગત ડેટા લીક થયા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : કમાણીની તક! જિયોનાં IPOને સેબીની લીલીઝંડી:કંપની 27 કરોડ નવા શેર બહાર પાડશે, ₹37,700 કરોડ એકત્ર કરવાનો પ્લાન વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : એશિયન ગેમ્સ શરૂ થાય એની પહેલાં ક્રિકેટમાં સંકટ!:જાપાનની સુવિધાઓથી BCCI નારાજ, હોટેલના રૂમમાં ચાલવા જેટલી પણ જગ્યા નથી; જાહેર થયેલી ટીમ બદલાઈ શકે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ફક્ત રક્ષાબંધન પર ખુલે છે નારાયણનું આ મંદિર:15 કિમી પગપાળા ચાલ્યા પછી 11,772 ફૂટની ઊંચાઈ પર બહેનો બાંધે છે પ્રભુને રાખડી; બલિ રાજા સાથે જોડાયેલી છે વાર્તા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ કેફેમાં કોફી સાથે બિલાડી-ઘુવડ અને સાપ જાપાનમાં એનિમલ કેફેનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જ્યાં લોકો પ્રાણીઓ સાથે બેસીને કોફી પીવે છે અને તેમની સાથે રમે છે. કેટલાક કેફેમાં ઘુવડ, રેકૂન અને સાપ જેવા જંગલી પ્રાણીઓ પણ રાખવામાં આવે છે. લોકોના સતત સ્પર્શ, અવાજ અને કેમેરાની ફ્લેશથી પ્રાણીઓ તણાવમાં આવી શકે છે. આ અંગે પર્યાવરણ મંત્રાલય હવે આ કેફેનું સર્વે કરશે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. લોરેન્સના ઘરનું સરનામું પૂછ્યું તો દુકાનદાર હેબતાઈ ગયો: વૃદ્ધે કહ્યું- 110 વીઘા જમીન, 3-4 બંગલા, લેન્ડલોર્ડનો દીકરો; ચંદીગઢ જઇને ખોટી સંગતમાં આવી ગયો 2. Editor's View : મુનીર પાકિસ્તાનના સર્વેસર્વા બની ગયા: ભારત માટે ચેતવા જેવું, ટ્રમ્પને વ્હાલા થવા મારતે ઘોડે ઇરાન પહોંચ્યા, રાષ્ટ્રપતિએ તતડાવતા રાતોરાત ભાગવું પડ્યું 3. આજનું એક્સપ્લેનર: ‘ચીને જાણી જોઈને નેપાળને વિનાશની ચેતવણી ન આપી’, આ દાવામાં કેટલી સત્યતા; શું ખરેખર સેંકડો જિંદગીઓ બચી શકી હોત 4. ફિલ્મી ફેમિલી : 'મિર્ઝાપુર'ના ગુડ્ડુ ભૈયા પર રિયલ લાઇફમાં બબ્બેવાર થયો ગોળીબાર: દાદાએ વેશ્યાવૃત્તિ કાયદેસર કરવાની ભલામણ કરી વિવાદ ઊભો કર્યો, બાસ્કેટબોલ પ્લેયર એક્ટર કેવી રીતે બન્યો? 5. ‘મોહન ભાગવતનો કાર્યક્રમ ફક્ત હિન્દુઓ માટે નથી’: આયોજકો બોલ્યા- 16 ધર્મોના લોકો આવશે, વિરોધ કરનારા પણ આવે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: કર્ક જાતકો સાથે છેતરપિંડી થઈ શકે છે, સાવધાન રહેવું, કન્યા રાશિના લોકો માટે સમય લાભદાયી વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    નેપાળ વિદેશી બચાવ ટીમો પાસેથી મદદ લેવા સંમત થયું:પૂરથી અત્યાર સુધીમાં 579 લોકોનાં મોત, 320 ભારતીયો સહિત લગભગ 2000 ગુમ, જેમાં ઈન્ફોસિસ પબ્લિક સર્વિસીસના CEO પણ સામેલ
    Next Article
    Hezbollah Chief Again Rejects Lebanon-Israel Deal, Refuses "Surrender"

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment