Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિરમાંથી ચોરી 57 ચાંદીના પતરાની ચોરી:વાડજમાં અજાણ્યા ચોરોનો બહુચર માતાના મંદિરમાં હાથફેરો, મંદિરની સંભાળ રાખનારને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    8 hours ago

    અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિરમાંથી ચાંદીના પતરાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. મંદિરમાંથી ચોરી 57 ચાંદીના પતરાની ચોરી કરી છે. આ અંગે વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પૂર્વજોની આકૃતિવાળા ચાંદીના 57 પત્ર ગાયબ નવા વાડજના ડાયાભાઈની ચાલીમાં રહેતા દશરથભાઈ સોલંકી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારના સભ્યો પણ આસપાસમાં રહે છે. દશરથભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ઘરની સામે બહુચર માતાનું મંદિર આવેલું છે અને મંદિરની સંભાળ તેમજ પૂજા-અર્ચનાનું કામ તેઓ અને તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઘટનાના દિવસે દશરથભાઈ કામસર બહારગામ ગયા હતા. ત્યારે તેમના ભાઈએ રાત્રે માતાજીની આરતી કરી મંદિર બંધ કર્યું હતું. જોકે બીજા દિવસે સવારે મંદિર ખોલતા અંદરથી પૂર્વજોની આકૃતિવાળા ચાંદીના 57 પત્ર ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે દશરથભાઈ સોલંકીએ વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Made in Korea movie review: A film with genuine heart that cannot quite find its footing
    Next Article
    ₹280ના ટિફિન સાથે મળેલી છાશમાં જીવડું નીકળ્યું, VIDEO:પાર્સલ ખોલતા જ ગ્રાહક ચોંકી ગયો, અમરેલીની પ્રખ્યાત અવધ રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, નોટિસ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment