Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદેસર દુકાનોના બાંધકામનો મામલો:57 દિવસથી પ્રતિક ઉપવાસ પર બેઠેલા અરજદારની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

    2 weeks ago

    સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે ગેરકાયદેસર દુકાનોના બાંધકામ મામલે છેલ્લા 57 દિવસથી પ્રતિક ઉપવાસ પર બેઠેલા રતનપરના જયેશભાઈ લાલજીભાઈ ચૌહાણની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તીવ્ર ગરમી અને લાંબા સમયના ઉપવાસને કારણે જયેશભાઈને શારીરિક તકલીફ અનુભવાઈ હતી. તેમની તબિયત બગડતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જયેશભાઈ ચૌહાણ સાયલા શહેરમાં ગેરકાયદેસર દુકાનો અને અન્ય બાંધકામો થયા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પ્રાથમિક સારવાર બાદ તેમને સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રભાવ છે, જેના કારણે લાંબા સમય સુધી ઉપવાસ પર રહેવું સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    કોંગોમાં ઇબોલા વાયરસથી 80 મોત, 246 શંકાસ્પદ કેસ:WHOએ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી; યુગાન્ડા-સુદાનમાં એલર્ટ, કેન્યાએ પણ દેખરેખ વધારી
    Next Article
    Kedarnath Yatra Visitors Record: કેદારનાથમાં 23 દિવસમાં બન્યો અનોખો રેકોર્ડ | Darshan | Uttarakhand

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment