Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂરમાં હજુ 5300થી વધુ ગુમ:1259નાં મોત, 12 હજારને બચાવ્યા; ભારતે મદદનો વધુ એક જથ્થો મોકલ્યો

    8 hours ago

    નેપાળમાં ભોટેકોશી પૂરની તબાહીના 10 દિવસ પછી પણ 5,300થી વધુ લોકો ગુમ છે. અત્યાર સુધીમાં 1,259 લોકોના મોત થયા છે, જ્યારે રાહત અને બચાવ ટીમોએ 12,038 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. આ સંકટ વચ્ચે ભારતે પણ નેપાળ માટે રાહત સામગ્રીનો વધુ એક જથ્થો મોકલ્યો છે. ગુરુવારે રાત્રે બે C-130J વિમાનો દ્વારા 21.5 ટન માનવતાવાદી સહાય કાઠમંડુ પહોંચી. નેપાળના રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડવા અને વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDRRMA) અનુસાર, પૂર પ્રભાવિત વિસ્તારોમાં 21,402 સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ ટીમો શોધ, બચાવ, રાહત વિતરણ અને મળેલા મૃતદેહોના વ્યવસ્થાપનમાં લાગેલી છે. નેપાળની તબાહીમાં ભારત સૌથી મોટું મદદગાર બન્યું:5 ખેપમાં 74 ટન રાહત મોકલી; ડોકટરો, બચાવ નિષ્ણાતો અને ફોરેન્સિક ટીમને પણ પહોંચાડવામાં આવી નેપાળ આપત્તિ સંબંધિત 4 તસવીરો… ચિતવન જિલ્લામાં સૌથી વધુ મૃતદેહો મળ્યા, 95ની ઓળખ થઈ નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મૃતદેહો શોધવાનું અભિયાન ચાલુ છે. ચિતવન જિલ્લામાં સૌથી વધુ મૃતદેહો મળ્યા છે, જ્યારે અત્યાર સુધી મળેલા મૃતદેહોમાંથી 95ની ઓળખ થઈ ચૂકી છે. પ્રશાસન અને બચાવ દળ ગુમ થયેલા લોકોની શોધખોળ સાથે મૃતદેહોની ઓળખ અને તેમના પરિવારજનો સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં લાગેલા છે. નેપાળ પૂર સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    LBSNAA History: अंग्रेजों का होटल कैसे बना IAS-IPS की पाठशाला? 2 बार अचानक हो गया था तबाह
    Next Article
    નેપાળની તબાહીમાં ભારત સૌથી મોટું મદદગાર બન્યું:5 ખેપમાં 74 ટન રાહત મોકલી; ડોકટરો, બચાવ નિષ્ણાતો અને ફોરેન્સિક ટીમને પણ પહોંચાડવામાં આવી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment