Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવહન વિભાગની ઉપાયયોજનાઓ તદ્દન નિષ્ફળ:રાજ્યમાં ચાર મહિનામાં રોડ અકસ્માતોમાં 5275ના મૃત્યુ

    5 दिन पहले

    રાજ્યમાં રસ્તા સુરક્ષા માટે પરિવહન વિભાગ મારફત અમલમાં મૂકવામાં આવેલી ટેકનોલોજી આધારિત ઉપાયયોજનાઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. આ ઉપાયયોજનાઓ કરવા છતાં રાજ્યમાં છેલ્લા ચાર મહિનામાં રસ્તા અકસ્માતોમાં સવા પાંચ હજાર લોકોના મૃત્યુ થયા છે. આ મૃત્યુનું જવાબદારી પરિવહન વિભાગ લેશે કે એવો પ્રશ્ન ઊભો થયો છે. પરિવહન વિભાગના આંકડાઓ અનુસાર જાન્યુઆરીથી એપ્રિલ 2026 દરમિયાન રાજ્યમાં 12 હજાર 610 અકસ્માત થયા જેમાં 5 હજાર 275 અકસ્માત જીવલેણ હતા. આ અકસ્માતોમાં 5 હજાર 681 નાગરિકોના મૃત્યુ થયા હતા. આ જ સમયગાળામાં 2025માં અકસ્માતોની સંખ્યા 12 હજાર 389 હતી જેમાં 4 હજાર 827 અકસ્માત જીવલેણ હતા. આ અકસ્માતોમાં 5 હજાર 233 નાગરિકોના મૃત્યુ થયા હતા. 2030 સુધી રાજ્યમાં રસ્તા અકસ્માતોની સંખ્યા 50 ટકા ઓછી કરવાનો ઉદ્દેશ પરિવહન વિભાગે નિશ્ચિત કર્યો છે. એના માટે વ્યાપક સ્વરૂપે ઉપાયયોજના કરવામાં આવી રહી છે. રાજ્યસ્તર સહિત દરેક જિલ્લામાં સ્વતંત્ર રસ્તા સુરક્ષા કક્ષ સ્થાપવામાં આવ્યા છે. દરેક જિલ્લાના અકસ્માતના કારણ અને સ્થાનિક જરૂરિયાત ધ્યાનમાં લઈને સ્વતંત્ર સુરક્ષા રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. તેની અમલબજાવણી ચાલુ છે. એમ છતાં સરકાર મૃત્યુ ટાળી શકી નથી.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ પ્રથમ તબક્કાનો શિલાન્યાસ કર્યો:સિદ્ધિવિનાયક મંદિરની કાયાપલટ કરાશે: માસ્ટર પ્લાનનું અનાવરણ
    Next Article
    પખવાડિયામાં 3.86 લાખ પ્રવાસીઓ નોંધાયા:હાર્બર લાઈનમાં AC લોકલને પ્રવાસીઓનો બહોળો પ્રતિસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment