Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 'ઓપરેશન લોટસ'થી રાજકારણ ગરમાયું:ભાજપનો 52 બેઠકો પર બિનહરીફ જીતનો દાવો, કોંગ્રેસના ધમકીના આક્ષેપ

    16 hours ago

    નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભાજપે 'ઓપરેશન લોટસ' હેઠળ 52 બેઠકો પર બિનહરીફ જીતનો દાવો કર્યો છે, જ્યારે કોંગ્રેસે ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ફોર્મ ખેંચાવવાના ગંભીર આક્ષેપો કર્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અત્યાર સુધીમાં જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કુલ 52 ઉમેદવારોના ફોર્મ રદ થતા અથવા ખેંચાતા ભાજપનો વિજય થયો છે. ગઈકાલે ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો પૈકી 21 બેઠકો બિનહરીફ થઈ હતી. આ ઉપરાંત ચીખલી જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 5 બેઠકો પર પણ ભાજપે કબજો જમાવ્યો છે. ભાજપનો લક્ષ્યાંક હવે ગણદેવીની બાકી રહેલી 3 બેઠકો પણ બિનહરીફ કરી આખી નગરપાલિકા બિનહરીફ કરવાનો છે, જેના માટે આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ભારે રસાકસી જોવા મળી રહી છે. બીજી તરફ, કોંગ્રેસે ભાજપ પર વહીવટી તંત્રનો દુરુપયોગ કરવા અને ઉમેદવારોને ધાકધમકી આપી ફોર્મ ખેંચાવવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. 'કોંગ્રેસને પોતાના જ ઉમેદવારો પર ભરોસો નથી' નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ કહે છે કે અમને પણ સમાચાર મળે છે કે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને ક્યાંક આઈસોલેટ કરી દીધા છે, બધા ઉમેદવારોને બીજી કોઈ જગ્યા પર શિફ્ટ કરી દીધા છે. જો કોંગ્રેસને ખરેખર એના કાર્યકર્તાઓ પર, એના ઉમેદવારો પર ભરોસો હોય તો એને આ બધું કરવાની કોઈ જરૂર રહેતી નથી. પણ કાં તો કોંગ્રેસના આગેવાનોને ભરોસો નથી અથવા તો કોંગ્રેસને જ પોતાના કાર્યકર્તાઓ કે ઉમેદવારો પર ભરોસો નથી, જેને લઈને એમને આઈસોલેટ કરી દીધા છે. કોંગ્રેસનો આક્ષેપ: 'વિકાસની વાતો કરનારા નાના માણસોને ડરાવે છે' નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક બારોટ જણાવે છે કે અમારા કોઈ ઉમેદવારોને અમારે સંતાડવા પડે એવું છે નહીં અને ભારતીય જનતા પાર્ટી જો નરેન્દ્ર મોદીની વિશ્વગુરુની પાર્ટી હોય, તો નાના માણસોને ઘેર જઈને દબડાવી-ધમકાવીને લાલચો આપી અને આ રીતનો જે ધંધો કરે છે એ લોકોએ નહીં કરવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    SRP જવાન સચિવાલયના ગેટ નં-3 પાસે ઝાડ પર લટકી ગયો:આપઘાતનું કારણ અકબંધ, ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડાઈ
    Next Article
    પાટણમાં ડો. આંબેડકરની 135મી જન્મજયંતીની ઉજવણી:ભાજપ, કોંગ્રેસ સહિત સંગઠનોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment