Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંખારી ગામના પ્રજાપતિ યુવાનોની કાવડયાત્રા સંપન્ન:શ્રાવણ માસ પૂર્વે પરંપરાગત રીતે ઉજવાઈ, 50 વર્ષથી વધુ સમયથી ચાલતી આવે છે કાવડ યાત્રા

    1 day ago

    પાટણ તાલુકાના સંખારી ગામના સમસ્ત પ્રજાપતિ યુવાનો દ્વારા શ્રાવણ માસ પૂર્વે પરંપરાગત કાવડયાત્રા સંપન્ન થઈ છે. 50 વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવતી આ અનન્ય પરંપરામાં ગામના યુવાનોમાં અનોખો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.સિદ્ધપુરના પૌરાણિક બ્રહ્માંડેશ્વર મહાદેવના મંદિરથી હર્ષોલ્લાસ સાથે આ પગપાળા કાવડયાત્રાનું પ્રસ્થાન થયું હતું. યુવાનો ઉત્સાહભેર આખી રાત અવિરત ખુલ્લા પગે પદયાત્રા કરી 'હર હર મહાદેવ' અને 'બોલે શંભો હર હર મહાદેવ' ના નારા લગાવતા આગળ વધ્યા હતા. રાત્રિભરના પ્રવાસ બાદ કાવડિયાઓની આ પવિત્ર યાત્રા સવારે 6:00 વાગ્યે સંખારી ગામ ખાતે સફળતાપૂર્વક પહોંચી હતી. ગામના વડીલોના માર્ગદર્શન હેઠળ અડધી સદીથી પણ વધુ સમયથી અવિરત ચાલતી આવતી આ પરંપરા યુવા પેઢીમાં સંસ્કાર, ધર્મ અને સામાજિક એકતાની ભાવના દ્રઢ બનાવે છે. ગામમાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન તમામ પ્રકારની પૂજાવિધિમાં આ કાવડયાત્રાનું પાણી વપરાશે. આ માહિતી કનુભાઈ પ્રજાપતિએ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરની બાલવા શાળામાં આકસ્મિક મુલાકાત:શિક્ષણની ગુણવત્તા અને બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર
    Next Article
    Punjab Man Warns Against 'Donkey' Route In Tearful Video From Mexico

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment