Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મનપાની મહેર : જનતાના પૈસે ખાનગી પ્લોટોની મફત સફાઇ, ક્યાંક માત્ર ચાર્જ તો ક્યાંક 50 હજાર સુધી દંડ

    2 days ago

    મહેસાણા શહેરમાં ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટો ગંદકી અને કચરાના અડ્ડા બની રહ્યા છે, પરંતુ તેની સફાઈનો બોજ મહાનગરપાલિકાના ખભા પર આવી પડ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 100થી વધુ બિન વપરાશી પ્લોટોમાં પ્લાસ્ટિક, બાંધકામનો કચરો અને અન્ય ઘન કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે ખાનગી મિલકતોની સફાઈ માટે જાહેર નાણાંનો ખર્ચ કેમ કરવો પડે છે અને જવાબદાર માલિકો સામે એકસરખી કાર્યવાહી કેમ થતી નથી? મહાનગરપાલિકા ફરિયાદોના આધારે આવા પ્લોટોની સફાઈ તો કરી રહી છે, પરંતુ દંડ અને ચાર્જ વસૂલવાની કોઈ સ્પષ્ટ અને પારદર્શક નીતિ ન હોવાને કારણે કાર્યવાહી અસંગત બની રહી છે. કેટલાક કેસોમાં રૂ.50 હજાર સુધીનો દંડ વસૂલાય છે, તો કેટલાકમાં માત્ર રૂ.10 હજારનો ચાર્જ લેવામાં આવે છે. અનેક સ્થળોએ કોઈ દંડ વગર જ સફાઈ કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સ્થિતિમાં હવે ખાનગી પ્લોટોની સફાઈ અને દંડ અંગે એકસરખી અને પારદર્શક પોલિસી બનાવવી જરૂરી બની છે. રસ્તાનો કચરો પ્લોટમાં, સફાઈ મનપાના માથે | યુજીવીસીએલ રોડ પર કે.કે. હાઈસ્કૂલ સામે આવેલા તાર ફેન્સિંગવાળા ખાનગી પ્લોટમાં પ્લાસ્ટિક સહિતનો કચરો ભરાઈ જતાં મનપાની ટીમ સફાઈ કરાઇ હતી. સફાઈ કર્મી મુજબ, અગાઉ આ જ પ્લોટની સફાઈ વખતે રૂ.10 હજારનો ચાર્જ વસૂલ્યોહતો. આ વખતે કોઈ ચાર્જ વસૂલવાની સૂચના આપી નથી. શહેરમાં બિન વપરાશી પ્લોટ ગંદકીના અડ્ડા બની રહ્યા છે નાગલપુર વિકાસનગર, પરા જહુ માતા મંદિર પાછળનો વિસ્તાર, ટીબી રોડ, અમરપરા ચોકડી અને ગાંધીનગર લિંક રોડ સહિતના વિસ્તારોમાં અનેક ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટો ગંદકીથી ભરાયેલા જોવા મળે છે. કેટલાક પ્લોટો બાંધકામના કચરાના ડમ્પિંગ પોઇન્ટ બની ગયા છે, તો કેટલાકનો ઉપયોગ પાર્કિંગ માટે થાય છે. ઉપયોગ બાદ સફાઈ ન થવાને કારણે આખરે મનપાને જ કામગીરી કરવી પડે છે. એકસરખી નીતિ બનાવી દંડ વસૂલો ચોમાસામાં ખુલ્લા પ્લોટોમાં વરસાદી પાણી ભરાવા, મચ્છરોનો ઉપદ્રવ વધવો, દુર્ગંધ ફેલાવી અને ઝેરી જીવજંતુઓના ભયને કારણે સ્થાનિક રહીશોએ ભારે હેરાન થવું પડે છે. મનપાએ ખાનગી પ્લોટોની સફાઈ માટે કડક અને એકસરખી દંડની નીતિ અમલમાં મૂકી, જવાબદાર માલિકો પાસેથી જ ખર્ચ વસૂલવો જોઇએ. - કીર્તિભાઇ પટેલ, સ્થાનિક રહીશ
    Click here to Read More
    Previous Article
    ઉત્તર ગુજરાતમાં 17 દિવસ બાદ તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું‎:બનાસકાંઠાના હડાદમાં સવા ઇંચ સહિત 4 તાલુકામાં હળવો વરસાદ
    Next Article
    TTE સામે ફરિયાદ:મહેસાણા રેલ્વે સ્ટેશન પર ટિકિટ હોવા છતાં મહિલા TTEએ પૈસા માગી ઝપાઝપી કરી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment