Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પોલીસનું ‘ઓપરેશન ઝારખંડ’:રૂ.50 માટે હત્યા કરી 18 વર્ષથી ફરાર ખૂંખાર આરોપીને પકડવા પોલીસે આદિવાસીનો વેશ ધારણ કર્યો, ગાઢ જંગલોમાંથી દબોચી લીધો

    1 week ago

    સુરતની વરાછા પોલીસે 18 વર્ષ જૂના હત્યાના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. માત્ર 50 રૂપિયાની ઉઘરાણી જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરી નાસી છૂટેલો આરોપી રાજેશ રાય આખરે કાયદાના સકંજામાં આવ્યો છે. આરોપીને પકડવા માટે સુરત પોલીસની ટીમે ઝારખંડના જંગલોમાં સાત દિવસ સુધી આદિવાસીનો વેશ ધારણ કરીને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું હતું. શું હતી સમગ્ર ઘટના? 2008માં સુરતના વરાછા વિસ્તારમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. 40 વર્ષીય આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન (રહે. ઝારખંડ)એ બબલુ નામના યુવક પાસે 50 રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ નજીવી રકમ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આરોપીએ બબલુની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી ધરપકડના ડરથી સુરત છોડીને ભાગી ગયો હતો. પોલીસને કેવી રીતે મળી સફળતા? વરાછા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમની ટીમે પેન્ડિંગ ગુનાઓના નિકાલ માટે તપાસ તેજ કરી હતી. સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને જાણવા મળ્યું કે આરોપી ઝારખંડના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયેલો છે. આરોપી અત્યંત ચતુર હોવાથી પોલીસની ઓળખ છુપાવવી જરૂરી હતી. વરાછા પોલીસની ટીમે ઝારખંડના દુમકાના જંગલોમાં 7 દિવસ સુધી આદિવાસીનો વેશ ધારણ કર્યો હતો. આરોપી અલગ-અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો આરોપી પોલીસથી બચવા વારંવાર પોતાની જગ્યા બદલતો હતો, પરંતુ સતત વોચ રાખ્યા બાદ અંતે 19 માર્ચ, 2026ના રોજ પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. આરોપી 18 વર્ષથી પોતાની ઓળખ છુપાવી અલગ-અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો હતો. તે વતન ઝારખંડના જંગલ વિસ્તારમાં હોવાની ચોક્કસ બાતમી મળતા અમારી ટીમે ત્યાં રહીને સ્થાનિકો જેવો વેશ ધારણ કરી તેને ઝડપી પાડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર મહાનગરપાલિકાની લાલ આંખ:પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદેસર ભાડૂઆતો રાખનારા 15 આવાસો સીલ
    Next Article
    ભર ઉનાળે ત્રાટકેલા મીની વાવાઝોડાથી કેરીનો 90% પાક જમીનદોસ્ત:'કેસર'ના ગઢ મેંદરડામાં ઇજારેદારોને રાતા પાણીએ રડવાનો વારો, કેસરના ભાવ આસમાને જાય તેવી શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment