Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેતન કોટેચાના 50મા જન્મદિવસે ગૌ સેવા હોસ્પિટલમાં ધાર્મિક કાર્યક્રમ:યજ્ઞ, રામાયણ પાઠ અને ગૌમાતાને લાપસી ખવડાવી ઉજવણી કરાઈ

    8 hours ago

    વેરાવળના શ્રી કૃષ્ણ સેવા ટ્રસ્ટ સંચાલિત જય સોમનાથ ગૌ સેવા હોસ્પિટલ ખાતે વેપારી અને ગૌ સેવક કેતનભાઈ કોટેચાના 50મા જન્મદિવસની ગૌ સેવા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક ગૌ ભક્તો અને ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિવસ નિમિત્તે ભૂદેવો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શ્રી રાધા કૃષ્ણ મહિલા સત્સંગ મંડળ-વેરાવળના બહેનો દ્વારા શ્રી રામાયણના પાઠ અને સુંદરકાંડના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું, જેણે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ભાગ ગૌ માતાની સેવા હતો. ગૌ માતાની પૂજા-આરતી કરવામાં આવી હતી અને તેમને ખોળ, કપાસ, ગોળ, દાળિયા, તલ તેલ અને ઘાસચારા મિશ્રિત લાપસી પીરસવામાં આવી હતી. ગૌ માતાને ભોજન કરાવી ઉપસ્થિત સૌએ આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર આયોજનમાં બાલ ગોપાલ ગૌ સેવા હોસ્પિટલ, સ્વસ્તિક સેવા મંડળ અને શ્રી રામ ગૌ સેવા મંડળ સહિતના સંગઠનોએ સહયોગ આપ્યો હતો. સાંજે 7:00 વાગ્યે ગૌમાતાને લાપસી ખવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ ભક્તો માટે અલ્પહાર સાથે લઘુભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઉજવણી દ્વારા 'ગૌ સેવા એ જ પ્રભુ સેવા'ના સંદેશને સાર્થક કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    80-kg dummy used to recreate Twisha Sharma’s final moments as CBI visits in-laws’ home
    Next Article
    જામનગરના લાલબંગલા સર્કલ પાસે દલિત સમાજનું વિરોધ-પ્રદર્શન:ખીમરાણા ગામની ઘટના મુદ્દે વિરોધ, દેવરાજ ગોહિલ સામે દાખલ કરાયેલા કેસને પરત ખેંચવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment