Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ભાજપ વિરૂદ્ધ 'પોસ્ટર વોર'માં 5 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ:પાટીદાર ગઢમાં પોસ્ટરો પાછળ 'AAP'નો હાથ? અલ્પેશ કથિરીયાના આક્ષેપથી રાજકારણ ગરમાયું; આરોપી આપના કાર્યકર્તા

    2 days ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. શહેરના પાટીદાર બહુલ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા વિવાદાસ્પદ અને ખોટી હકીકતો ધરાવતા પોસ્ટરો લગાવતા તંત્ર અને સત્તાધારી પક્ષોમાં દોડદામ ચી ગઈ છે. ભાજપના યુવા નેતા અલ્પેશ કથિરીયાએ આ મામલે સીધો આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ કૃત્ય AAPના ટિકિટ વાંચ્છુકો અને સક્રિય કાર્યકરોનું છે. આ મામલે સુરતના 5 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પાટીદાર વિસ્તારોમાં રાતોરાત 'પોસ્ટર વોર' શરૂ સુરતના કતારગામ, વરાછા, પુણા, ઉત્રાણ અને પાંડેસરા જેવા પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં અચાનક ભાજપ વિરોધી પોસ્ટરો જોવા મળ્યા હતા. તારીખ 28 માર્ચની રાત્રે 10 વાગ્યાથી 29 માર્ચની સવાર સુધીમાં શહેરના મુખ્ય સર્કલો, ઓવરબ્રિજ અને વીજપોલ પર આ પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે રવિવારની સવારે રાજકીય આલમમાં ભારે ચર્ચાઓ જાગી હતી અને ભાજપના સ્થાનિક નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો. અલ્પેશ કથિરીયાનો 'AAP' પર સીધો આક્ષેપ ભાજપના યુવા નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરીયાએ આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, "પોલીસે જે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે તેઓએ આપના કાર્યકર્તા છે. આ પોસ્ટરો લગાવનારા તમામ લોકો આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ છે. જે લોકો આગામી મનપા ચૂંટણીમાં ટિકિટ મેળવવાના દાવેદાર છે, તેઓએ પોતાની હાજરી નોંધાવવા અને વાતાવરણ ડહોળવા માટે આ નીચલી કક્ષાની રાજનીતિ કરી છે." આરોપીઓના નામ સુરત ભાજપ અને પોલીસ તંત્રની આબરૂના ધજાગરા સુરત જેવા સંવેદનશીલ શહેરમાં રાતોરાત મોટી સંખ્યામાં પોસ્ટરો લાગી જાય અને પોલીસ કે ગુપ્તચર વિભાગને ખબર પણ ન પડે, તે બાબત હવે ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટરોને કારણે રાજ્યભરમાં સુરત ભાજપ અને પોલીસ તંત્રની આબરૂનું ધોવાણ થયું હોવાની લાગણી કાર્યકરોમાં જોવા મળી રહી છે. જેના પગલે પોલીસ એક્શન મોડમાં આવી છે અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે. પાંચ પોલીસ મથકોમાં ગુનો દાખલ આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત શહેરના ચારથી પાંચ મુખ્ય પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાવવામાં આવી છે. પુણાગામ, કતારગામ, પાંડેસરા, ડિંડોલી અને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદીઓ દ્વારા ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને 'ધી પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન બુક્સ એક્ટ' મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પુણામાં સીતાનગર પાસે થયેલી ફરિયાદની વિગત પુણા વિસ્તારમાં ભાજપના કાર્યકર ધર્મેન્દ્રભાઈ કાકડિયાએ વિશાલ ભીખાભાઈ ચાવડા અને અન્ય ત્રણ અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સીતાનગર ઓવરબ્રિજના થાંભલાઓ પર પ્રેસના નામ વગરના બનાવટી પોસ્ટરો લગાવી ભાજપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અહીં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. કતારગામમાં પાટીદાર વાડીની દીવાલોને નિશાન બનાવાઈ કતારગામ વિસ્તારમાં જગદીશભાઈ ગોહિલની ફરિયાદના આધારે દેવશીભાઈ ઢેબરીયા અને ચિરાગ નાવડીયા સામે ગુનો નોંધાયો છે. આ શખસોએ ડભોલી ચાર રસ્તા, લલિતા ચોકડી અને પાટીદાર સમાજની વાડીની દીવાલો પર પોસ્ટર લગાવી શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કતારગામમાં રાતોરાત થયેલા આ પોસ્ટર પ્રહારથી રાજકીય ગરમી વધી છે. પાંડેસરામાં સફેદ ફોર વ્હીલ ગાડીમાં આવેલા શખસોની શોધખોળ પાંડેસરા વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર શરદભાઈ પાટીલે ફરિયાદ નોંધાવી છે કે, એક સફેદ રંગની ફોર વ્હીલ ગાડીમાં પાંચ અજાણ્યા શખસો આવ્યા હતા અને પત્રકાર સર્કલ તથા જાહેર શૌચાલયો પર પોસ્ટર ચોંટાડી ગયા હતા. પોલીસે આ ગાડીના નંબર મેળવવા માટે વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવાની તજવીજ હાથ ધરી છે. ડિંડોલીમાં 'મોંઘવારી' અને 'શિક્ષણ'ના મુદ્દે પોસ્ટરો ડિંડોલી વિસ્તારમાં શામલાલ યાદવ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, પોસ્ટરોમાં "મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા" અને "મોંઘવારીથી હવે તો થાક્યા" જેવા લખાણો લખવામાં આવ્યા હતા. આ લખાણની નીચે ભાજપના પ્રતીક 'કમળ' પર ચોકડી મારવામાં આવી હતી. આ પ્રકારના પ્રોપેગન્ડા પોસ્ટરો દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હોવાનું ભાજપ માની રહ્યું છે. નોંધાયેલા ગુનાઓ અને કાયદાકીય કલમો પોલીસે તમામ પાંચેય પોલીસ મથકોમાં નીચે મુજબની કલમો હેઠળ ગુના દાખલ કર્યો પોલીસના જણાવ્યા મુજબ, ઉત્રાણ અને પુણામાં નોંધાયેલા ગુનાઓમાં ઝડપથી ધરપકડ કરવામાં આવશે. પાટીદાર ગઢમાં વર્ચસ્વની લડાઈ તેજ સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પાટીદાર વિસ્તારોમાં કોનું વર્ચસ્વ રહેશે તે નક્કી કરશે. એક તરફ ભાજપ પોતાનો ગઢ બચાવવા મથી રહ્યું છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં છે. પોસ્ટર વોર એ માત્ર શરૂઆત છે, આવનારા દિવસોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. પ્રેસની વિગતો છુપાવીને કાયદાનો ભંગ કરવા બદલ પોલીસે તપાસ તેજ કરી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પરસ્પર મિલીભગત કરી રાજકીય દ્વેષ રાખીને આ પત્રિકાઓ અને પોસ્ટરો છાપ્યા હતા. પ્રેસની વિગતો છુપાવીને કાયદાનો ભંગ કરવા બદલ પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને પકડી પાડવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી પહેલા શરૂ થયેલા આ 'પોસ્ટર વોર'ને કારણે સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને આવનારા દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    Gun shots fired during cordon and search in central Kashmir’s Gabderbal
    Next Article
    નરસિંહ મહેતાની પ્રતિમા ખંડિત થતા ભક્તજનોમાં રોષ:​જૂનાગઢના ઐતિહાસિક ગિરનાર દરવાજા પાસે સ્થાપિત આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમાનો હાથ અજાણ્યા શખ્સો દ્વારા તોડી પડાતા વહીવટીતંત્ર સામે ઉઠ્યા સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment