Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં તંત્રની ઉદાસીનતા સામે જનાક્રોશ:વોર્ડ નં. 5માં શ્વાનોના આતંકથી રહીશો ભયભીત

    2 days ago

    વેરાવળ શહેરના વોર્ડ નંબર 5 માં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. સ્થાનિક રહીશો રાત્રિના સમયે બહાર નીકળતા પણ ડરે છે. શ્વાનોના કરડવાના અનેક બનાવો બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા અને સંબંધિત વિભાગોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજદિન સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રહીશોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને લોકોની સુરક્ષા પ્રત્યે બેદરકાર બન્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે શ્વાનોના ટોળા રસ્તાઓ પર દોડધામ મચાવે છે. જેના કારણે નોકરી પરથી પરત ફરતા લોકો, વૃદ્ધો અને બાળકો માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કેટલાક પરિવારોએ તો પોતાના સભ્યોને રાત્રે બહાર ન નીકળવા ચેતવણી આપવી પડી છે. આ વિસ્તારમાં શ્વાનોના હુમલાથી અનેક લોકો ઘાયલ થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ પરિસ્થિતિને કારણે વોર્ડ નં. 5ના રહીશોમાં ભય અને અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના બનવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. હવે જોવું રહ્યું કે વેરાવળનું તંત્ર લોકોની આ વાજબી માંગણીને કેટલી ગંભીરતાથી લે છે.
    Click here to Read More
    Previous Article
    શામળાજીના જંગલોમાં ભીષણ આગ:વનરાજી બળીને ખાખ, આગનું કારણ અકબંધ
    Next Article
    વડોદરામાં નવચંડી મહાયજ્ઞ સંપન્ન:નવદુર્ગા પંચ યુવક મંડળે કર્યો સફળતાપૂર્વક આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment