Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપામાં કમિશનરનો સપાટો:5 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ માટે હવે કમિશનરની મંજૂરી ફરજિયાત, ઝોન અને વિભાગોની મનમાની પર લાગશે બ્રેક

    2 days ago

    સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા અને આર્થિક શિસ્ત જાળવવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાના વિવિધ ઝોન અને વિભાગો દ્વારા ચાલતી મનમાની પ્રથાને ડામવા માટે કમિશનરે એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. આ નવા આદેશ અનુસાર, હવેથી રુપિયા 5 કરોડ કે તેથી વધુ રકમના કોઈપણ પ્રોજેક્ટ, કામ અથવા કોન્ટ્રાક્ટના વર્ક ઓર્ડર મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી વગર જાહેર કરી શકાશે નહીં. વિભાગના કાર્યપાલક એન્જિનિયરોને સીધા જ એજન્સીઓને વર્ક ઓર્ડર આપી દેતા સુરત પાલિકામાં અત્યાર સુધી ચાલી આવતી સિસ્ટમમાં મોટો ફેરફાર કરતા આ નિર્ણયથી સમગ્ર વહીવટી આલમમાં ચર્ચા જાગી છે. સામાન્ય રીતે, સ્થાયી સમિતિ કે અન્ય ખાસ કમિટીઓ દ્વારા દરખાસ્ત મંજૂર થયા બાદ સંબંધિત ઝોન અથવા વિભાગના કાર્યપાલક એન્જિનિયરોને સીધા જ એજન્સીઓને વર્ક ઓર્ડર આપી દેતા હતા. આ પ્રક્રિયામાં કમિશનરને ઘણીવાર કામ શરૂ થયાની જાણ પણ હોતી નહોતી. હવે આ ડાયરેક્ટ સિસ્ટમ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. વાસ્તવિક સ્થિતિની જાણ ન હોવાને કારણે પ્લાનિંગ અને બજેટમાં ગૂંચવણો સર્જાતી આ નિર્ણય પાછળના મુખ્ય કારણો તપાસતા કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં સુરત પાલિકાની ચૂંટાયેલી પાંખનો કાર્યકાળ 11 માર્ચે પૂર્ણ થયો છે. આ મુદત પૂરી થવાના છેલ્લા દિવસોમાં ઉતાવળે અનેક ટેન્ડરો, નીતિગત નિર્ણયો અને અંદાજો મંજૂર કરવામાં આવ્યા હતા. વિકાસકામો અટકે નહીં તે માટે કમિશનરની સહી સાથે આ દરખાસ્તો કમિટીઓ સુધી પહોંચાડાઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે, કમિટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયોની જાણ વહીવટી પાંખ દ્વારા કમિશનરને કરવામાં આવતી નહોતી. કાર્યપાલક ઇજનેરો માત્ર ઠરાવના આધારે સીધા કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દેતા હતા. કમિશનરને પ્રોજેક્ટની વાસ્તવિક સ્થિતિની જાણ ન હોવાને કારણે ઘણીવાર પ્લાનિંગ અને બજેટ ફાળવણીમાં ગંભીર ગૂંચવણો સર્જાતી હતી. કમિશનર પ્રોજેક્ટની સમીક્ષા કર્યા બાદ જ લીલી ઝંડી આપશે ડેપ્યુટી કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈપણ પ્રોજેક્ટ ભલે તે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર થયો હોય, પરંતુ જો તેની કિંમત રુપિયા 5 કરોડથી વધુ હોય, તો તેનો વર્ક ઓર્ડર આપતા પહેલા ફાઈલ કમિશનર ટેબલ પર મોકલવી પડશે. કમિશનર પ્રોજેક્ટની જરૂરિયાત, ગુણવત્તા અને નાણાકીય જોગવાઈઓની સમીક્ષા કર્યા બાદ જ લીલી ઝંડી આપશે. ઝોન અને વિભાગીય વડાઓએ હવે દરેક મોટા કામનો રિપોર્ટ સીધો કમિશનર કચેરીમાં જમા કરાવવો પડશે.
    Click here to Read More
    Previous Article
    એસ. ટી. મહિલા કંડક્ટરની પ્રમાણિકતા:વેરાવળ ડેપોની ચોરવાડ-જૂનાગઢ રૂટની બસમાં ભૂલાયેલા ₹14 હજાર ભરેલી થેલી મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
    Next Article
    ‘There were just 40–50 percent’: Dhurandhar 2’s Uzair Baloch aka Danish Pandor recalls prequel’s ‘heartbreaking’ start, calls ‘propaganda’ debate ‘subjective’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment