Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદાના સરા ગામે જવાન સન્માનમાં હોબાળો:ધર્માંતરણના આક્ષેપ સાથે 5 હજાર લોકો ઉમટ્યા, પોલીસ તપાસ શરૂ

    18 hours ago

    વાંસદા તાલુકાના સરા ગામે મંગળવારે રાત્રે એક સેનાના જવાનના નિવૃત્તિ સન્માન સમારોહમાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો થયો હતો. સ્થાનિક ગ્રામજનો અને હિન્દુ સંગઠનોએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. આ મામલે વાંસદા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહીની માગ કરાઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે 6 થી 11 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમ માટે કોઈ સત્તાવાર વહીવટી મંજૂરી લેવામાં આવી ન હતી. આયોજનમાં અચાનક મહારાષ્ટ્રથી પાસ્ટરને બોલાવી ધાર્મિક પ્રવચન શરૂ કરાતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. હિન્દુ સંગઠનોએ જણાવ્યું કે, નિવૃત્તિ કાર્યક્રમમાં સામાન્ય રીતે સ્નેહમિલન અને ભોજન હોય છે, પરંતુ અહીં ધાર્મિક પ્રચારનો એજન્ડા સ્પષ્ટ દેખાતો હતો. હિન્દુ સંગઠનના અગ્રણી અશ્વિનભાઈ બારોટે આક્ષેપ કર્યો હતો કે, જવાનની દેશસેવા માટે અમને ગૌરવ છે, પરંતુ આ કાર્યક્રમમાં 4થી 5 હજાર ગરીબ આદિવાસીઓને એકત્ર કરીને ધર્માંતરણનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે તાપી જિલ્લાની જેમ હવે નવસારીના અંતરિયાળ ગામોમાં પણ આવી પ્રવૃત્તિઓ વધી રહી છે, જેના પર પ્રશાસને ધ્યાન આપવું જોઈએ. પોલીસને અપાયેલી અરજીમાં સરા ઉપરાંત ધરમપુરી, કેવડી, ખરજઇ, કુકડા અને મહુવાસ જેવા આસપાસના ગામોનો ઉલ્લેખ છે. આ મામલે પ્રતિક્રિયા આપતાં ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, આદિવાસીઓ જન્મથી જ આદિવાસી છે, કોઈ ધર્મથી નહીં. બંધારણના આર્ટિકલ 25 મુજબ અનામતનો લાભ જન્મના આધારે મળે છે. અમે પ્રકૃતિ પૂજક છીએ અને અમારી પોતાની સંસ્કૃતિ છે. પ્રાર્થના કરવી એ કોઈ પાપ નથી, તે દિવસે પણ માત્ર પ્રાર્થના જ થઈ રહી હતી. તેમણે ઉમેર્યું કે, મોહનભાઈ કોકણીની વાત સાચી છે, આદિવાસી અસ્મિતા અને રીત-રિવાજો સર્વોપરી છે અને આદિવાસીત્વ એ કોઈ ધર્મનું મહોતાજ નથી. જે.વી.ચાવડા, પી.આઈ., વાંસદાએ જણાવ્યું હતું કે, ધર્માંતરણની ફરિયાદ મળતા જ અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આયોજકો અને પાસ્ટરની પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં ધર્માંતરણના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, પરંતુ ગ્રામજનોની અરજી સ્વીકારીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે.
    Click here to Read More
    Previous Article
    નદીમાં ગેરકાયદે પુલ બનાવ્યા, દિવસ-રાત ડમ્પરોની દોડધામ:ભાજપ નેતાના પુત્ર, ભાઈની ધોંસ સામે અધિકારી ઢીલા પડ્યા; દોઢ મહિનાની તપાસમાં સાબરમતીમાં ખનનનું રેકેટ ખુલ્યું
    Next Article
    ગુજરાતમાં વહીવટી ખામીઓનો મોટો ખુલાસો:પોલીસ સત્તાના દુરુપયોગની 324 ઘટના, અમદાવાદમાં સૌથી વધુ; તલાટી-કમ મંત્રીની 4151 જગ્યા ખાલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment