Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ બેંક કર્મચારી અપહરણ કેસમાં 5 આરોપી ઝડપાયા:જામનગરમાં બળજબરીથી નાણાં વસૂલવાનો ગુનો નોંધાયો

    9 hours ago

    જામનગર પોલીસે રાજકોટના એક બેંક કર્મચારી અને તેના પરિવારના અપહરણ તથા બળજબરીથી નાણાં વસૂલવાના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ બેંક કર્મચારી અને તેના પરિવારને જામનગરમાં એક બંગલામાં ગેરકાયદેસર રીતે બંધક બનાવી ધમકી આપી અને મારકૂટ કરી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. આ કેસમાં જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા અને અમિત ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એક અજાણ્યો શખ્સ પણ આ ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ અનુસાર, ૨૭.૨૦ લાખ રૂપિયાની લેવડદેવડના વિવાદને કારણે આરોપીઓએ કાવતરું ઘડી ફરિયાદીનું અપહરણ કર્યું હતું. તેમને જામનગરના એક બંગલામાં રાખી ધમકીઓ આપી અને મારકૂટ કરીને આશરે ૯.૭૫ લાખ રૂપિયા બળજબરીથી વસૂલવામાં આવ્યા હતા. જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    IPL- બેંગલુરુ સામે દિલ્હીનો સ્કોર-62/8:ત્રણ બેટર શૂન્ય પર આઉટ; ભુવનેશ્વર-હેઝલવુડને 3-3 વિકેટ
    Next Article
    Opinion: Opinion | Cheers! India-New Zealand FTA Promises Wine Drinkers A New High

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment