Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીને પરત લાવવા ભાભરમાં ચૌધરી સમાજનું મહાસંમેલન:'5 દિવસમાં નહીં આવે તો આગળની રણનીતિ નક્કી થશે'; રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કરતાં વિવાદ વકર્યો

    15 hours ago

    રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ ભાભરના રુણી ગામમાં ચૌધરી સમાજની દીકરી પરત લાવવા અંગે ભાભરના રુણી ગામે આજે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયુ છે. જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા છે. 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ રજનેશ ચૌધરી જણાવ્યું કે, અઠવાડિયામાં દીકરી પરત લાવવાની જવાબદારી લીધી છે. અઠવાડિયામાં નહીં આવે તો આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. પહેલા જાણી લો કે સમગ્ર મામલો શું છે? રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો હતો. જેમાં રબારી અને ચૌધરી સમાજના આગેવાનોએ ભેગા મળીને રબારી સમાજની દીકરીને પરત અપાવી હતી. જે બાદ ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો વિવાદ સામે આવ્યો હતો. કંકુ ચૌધરીએ દોઢ-બે વર્ષ રહેલાં ઉણ ગામના મહાદેવ રબારી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. જેમને સંતાનમાં એક બાળક પણ છે. જોકે, હવે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવા માંગે છે. જેને લઇને આજે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા છે. 'મામલો સમાજના સન્માન સાથે સંકળાયેલો' ચૌધરી સમાજના આ મહાસંમેલનમાં સમાજ દ્વારા કંકુ ચૌધરીને પરત લાવવા અંગે સર્વસંમતિથી માંગણી કરવામાં આવશે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે, આ મામલો સમાજના સન્માન સાથે સંકળાયેલો છે, તેથી સૌએ એકજૂટ થઈને નિર્ણય લેવો જરૂરી છે. બીજી તરફ, કંકુ ચૌધરીએ ગઇકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને પોતાના પરિવારમાં કોઈ વિખવાદ ન થાય તેવી અપીલ કરી હતી. બ્લોગમાં વાંચો પળેપળની અપડેટ્સ…
    Click here to Read More
    Previous Article
    ફ્લાઈટ ટિકિટમાં મોટી રાહત:હવે ફ્લાઈટમાં મનગમતી સીટ માટે નહીં ચૂકવવો પડે એકસ્ટ્રા ચાર્જ, સરકારનો આદેશ-એક જ PNR ધરાવતા મુસાફરોને સાથે સીટ આપવી પડશે
    Next Article
    સાણંદમાં 23 માર્ચે વીરાંજલિ ડાયરો યોજાશે:સાંઈરામ, કિર્તીદાન અને માયા આહીર સહિતના કલાકારો શહીદ ગાથા રજૂ કરશે, જાણો કેવી રીતે ભાગ લઈ શકશો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment