Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાયી સમિતિ ચેરમેનના વિસ્તારમાં જ ફળ વનના વૃક્ષોનું નિકંદન:સરસ્વતી વિદ્યાલયની મનમાનીથી વિવાદ, સ્કૂલને 5 લાખનો દંડ; પાલિકાની નોટિસનો ખુલ્લેઆમ અનાદર

    21 hours ago

    વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં સરસ્વતી વિદ્યાલય દ્વારા પાલિકાની નોટિસની સરેઆમ અવગણના કરવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વિસ્તારમાં પાલિકા દ્વારા ફળ વન ઊભું કરવામાં આવ્યું હતું. જો કે શાળાએ આ વનના વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું હતું જે બદલ શાળાને નોટિસ પણ આપવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વિસ્તાર પાલિકાના કાઉન્સિલર અને વર્તમાન સ્થાયી સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસનો હોવા છતાં, શાળા સંચાલકો દ્વારા તંત્રના આદેશોને ઘોળીને પી જવામાં આવ્યા છે. પાલિકાએ બે વખત નોટિસ ફટકારી, શાળાએ ગણકારી જ નહીં સમા વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યાલય સામે પાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે ફેબ્રુઆરી માસમાં એક નોટિસ આપવામાં આવી હતી. જો કે તેમાં કોઈ કાર્યવાહી ન થતાં તે બાદ ગત 24 એપ્રિલના રોજ એક આખરી નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસમાં શાળા પ્રશાસનને 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જે સમયમર્યાદા ક્યારનીય પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં શાળા સંચાલકોની મનમાની અને અક્કડ વલણ યથાવત જોવા મળી રહ્યું છે. પાલિકાના પ્લોટ ઉપર શાળા પોતાનું મેદાન ઊભું કરવાના મૂડમાં કોંગ્રેસના આગેવાન નિકુલ પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદ પાલિકાની માલિકીના એક પ્લોટ સાથે જોડાયેલો છે. શાળા સંચાલકો પર એવો ગંભીર આક્ષેપ છે કે તેઓએ પાલિકાના ફળવન પ્લોટમાં સરકારી ખર્ચે અને મહેનતથી ઉછેરવામાં આવેલા અસંખ્ય ફળ-ઝાડ તેમજ છોડવાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. શાળા દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે અથવા તો ક્રિકેટનું મેદાન તૈયાર કરવાના આશયથી આ લીલાછમ વૃક્ષો અને વનસ્પતિઓનો સફાયો કરી દેવામાં આવ્યો હોવાનો આરોપ સ્થાનિક સ્તરે લાગી રહ્યો છે. પાલિકાની માલિકીની સરકારી મિલકતને આ પ્રકારે મોટું નુકસાન પહોંચાડવા બદલ અને પર્યાવરણને હાનિ પહોંચાડવા બદલ તંત્ર દ્વારા સરસ્વતી વિદ્યાલયને રૂપિયા 5લાખનો જંગી દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આમ છતાં, શાળા પ્રશાસન દ્વારા હજુ સુધી દંડની આ રકમ ભરપાઈ કરવામાં આવી નથી, જે તેમની લાલિયાવાડી છતી કરે છે. સ્થાયી ચેરમેન કહે છે, આ બાબત મારા ધ્યાન પર નથી અગાઉ પણ પાલિકા દ્વારા આ મામલે વારંવાર નોટિસો ઈશ્યૂ કરવામાં આવી હતી, તેમ છતાં શાળા સત્તાધીશોએ તે જગ્યા પર પોતાનો ગેરકાયદેસર ઉપયોગ ચાલુ જ રાખ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે બે ટર્મથી સતત ચૂંટાતા સ્થાનિક કાઉન્સિલર અને પાલિકામાં પાવરફુલ ગણાતા સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ આ બધી જ પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં અજાણ હોવાનો ડોળ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ બાબતે મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે માત્ર એટલું જ કહીને પલ્લું ઝાડી દીધું હતું કે, "અમે આ બાબતે સ્થળ તપાસ કરીશું." પોતાના જ મતવિસ્તારમાં પાલિકાની કાયદેસરની નોટિસનો આ પ્રકારે સરેઆમ અનાદર થતાં વહીવટી તંત્રની આબરૂના લીરેલીરા ઊડ્યા છે અને સ્થાનિકોમાં પાલિકાની નબળી ઈચ્છાશક્તિ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર ગુરુકુલમાં 1100 વિદ્યાર્થીઓ માટે રમતોત્સવ યોજાયો:શારીરિક, માનસિક વિકાસ માટે વિવિધ રમતોનું આયોજન
    Next Article
    Gujarat Rain Forecast News | દક્ષિણ ગુજરાતમાં સર્જાયો વરસાદી માહોલ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment