Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા:કાપડીપુરાના તબેલાઓનું ગંદુ પાણી જાહેર માર્ગ પર છોડાયું, એગોલા રોડ પર ગંદા પાણીથી‎5 સોસાયટીના રહીશો પરેશાન‎

    1 day ago

    પાલનપુરમાં એગોલા રોડ પર પશુઓના મળમૂત્રની નદી વહેતા 5 સોસાયટીના રહીશો નરકાગારમાં જીવવા મજબૂર બન્યા છે. જ્યાં ઉપરવાસમાં આવેલા કાપડીપુરાના તબેલાઓનું ગંદુ પાણી જાહેર માર્ગ પર નિકાલ કરવામાં આવતો હોવાથી આ સમસ્યા સર્જાઇ છે. પાલિકામાં વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ આવતો ન હોઇ રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુરના એગોલા રોડ પર આવેલી શક્તિધારા, શિવ મહેલ, નવજીવન અને કૈલાસનગર જેવી પાંચ જેટલી મોટી સોસાયટીઓને સાંકળતા મુખ્ય માર્ગ પર પશુઓના મળમૂત્ર અને ગંદા પાણીનો નિકાલ થતાં રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. આ અંગે નિકુલભાઇ મેવાડા સહિત રહિશોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ કે, ઉપરવાસમાં આવેલા કાપડીપુરા વિસ્તારમાં આવેલા પશુઓના તબેલાના માલિકો દ્વારા ગંદા પાણીનો નિકાલ જાહેરમાં કરવામાં આવતા આ ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ માર્ગ પરથી પસાર થતી વખતે દુર્ગંધનો સામનો કરવો પડે છે. આ બાબતે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડેન ઓફિસમાં લોકો ઉમટી પડ્યા:ઓનલાઈન સિલેન્ડર બુક નહીં થતાં લોકો એજન્સી પર પહોંચતાં બુકિંગ બંધ કરાયું
    Next Article
    ભાસ્કર ખાસ:પાટણમાં જૂની નંબર પ્લેટ સાથે વાહન લઈને ફરતા 1735 ચાલકોને 3 વર્ષમાં 10.27 લાખ દંડ ફટકાર્યો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment