Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 5 દિવસીય નિઃશુલ્ક સર્વરોગ સારવાર કેમ્પ:પટેલ પાર્ક ખાતે એક્યુપ્રેશર પદ્ધતિથી દવા વિના સારવાર, નાગરિકોને લાભ લેવા અપીલ

    23 घंटे पहले

    જામનગરના પટેલ પાર્ક સ્થિત પ્રસંગ હોલ ખાતે પાંચ દિવસીય નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને એક્યુપ્રેશર-મેગ્નેટ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 17 જૂન થી ૨૧ જૂન સુધી ચાલશે, જેમાં શહેરના નાગરિકોને વિવિધ શારીરિક તકલીફો માટે નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કેમ્પમાં ચિકનગુનિયા બાદના સાંધાના દુખાવા, માઇગ્રેન, સંધિવા, સાયટિકા, કમર અને ઘૂંટણના દુખાવા, સર્વાઇકલની સમસ્યાઓ, માથાનો દુખાવો, ગેસ, એસિડિટી, કબજિયાત, જાડાપણું, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હરસ-મસા, આંખ, કાન, નાક અને ગળાના રોગો, શ્વાસની તકલીફો તેમજ અન્ય અનેક સામાન્ય અને દીર્ઘકાલીન રોગોની સારવાર કરવામાં આવશે. ડૉ. રામ મનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાન, હનુમાનગઢ (રાજસ્થાન) સાથે સંકળાયેલા નિષ્ણાતો દ્વારા સેવા આપવામાં આવી રહી છે. જેમાં ડૉ. સુમન કુમાર, ડૉ. બિક્રમ સિંહ અને થેરાપિસ્ટ હેમંત કુમાર એક્યુપ્રેશર અને મેગ્નેટ પદ્ધતિથી સારવાર આપી રહ્યા છે. આ પદ્ધતિમાં હાથ અને પગની નાડીઓ પર દબાણ દ્વારા શરીરના વિવિધ રોગોમાં રાહત આપવાનો પ્રયાસ કરાય છે. આયોજકોના જણાવ્યા મુજબ, કેમ્પનો સંપૂર્ણ લાભ લેવા માટે દર્દીઓએ પાંચેય દિવસ હાજરી આપવી જરૂરી રહેશે. કેમ્પનો સમય સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. કેમ્પનું સ્થળ પ્રસંગ હોલ, પટેલ પાર્ક, જડેશ્વર મહાદેવ મંદિર સામે, જામનગર છે. આ કેમ્પને પ્રવિણભાઈ વિરાણી (પ્રોએક્સિસ મેટલ) દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. આયોજનમાં પાર્થ કોટડીયા, ખ્યાતિ મુંગરા, ધનજીભાઈ કછટીયા તથા નીતાબા જાડેજા (કોર્પોરેટર, વોર્ડ નં. 16) સહિતના આગેવાનો જોડાયા છે. આયોજકો દ્વારા શહેરના નાગરિકોને કેમ્પનો લાભ લેવા તેમજ સારવાર માટે હાથ-પગ સ્વચ્છ રાખીને આવવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે ડૉ. બિક્રમ સિંહનો સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું:ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, વિવિધ વિભાગોના અધિકારીઓ સહિતનાઓએ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું
    Next Article
    પાટડીની માલવણ કેનાલ પર પુલનું કામ ચાલુ અને પાણી છોડાયું:ખેડૂત આગેવાને વિડીયો વાયરલ કરી તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment