Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બસ સ્ટેશને પાન-મસાલાની પિચકારી મારતા પહેલાં સાવધાન:જાહેર સ્થળે ગંદકી અને ધૂમ્રપાન કરનારા 489 મુસાફરો પાસેથી દંડ વસૂલાયો

    6 hours ago

    ભાવનગર ડિવિઝનના 8 ડેપોમાં દંડનાત્મક ઝુંબેશ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતા ને સારી સુવિધા આપવા માટે બસ સ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે “સ્વચ્છતા હી સેવા” અને “સ્વચ્છતા હી પરમો ધર્મ” ઉદેશ્ય ને સાચા અર્થ મા સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે અને નિગમ પરિસર મા જયાં ત્યાં પાન મસાલાની પીચકારી ન મારવી બસ કે બસ સ્ટેશનમા ગંદકી ન ફેલાવવા અનુરોધ પણ કરવામા આવે છે તેમ છતાં કેટલાક તત્વો આ બાબતને નજર અંદાજ કરી રહયા હોય તેવું જોવા મળેલ આવા તત્વો સામે એસ.ટી. પ્રસાશન દ્વારા સરકારના તમાકુ નિયંત્રણ અધિનિયમ અનવયે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવા ઝુંબેશ ચલાવવામા આવેલ છે. જેમા માહે-ઓગસ્ટ-2026 દરમિયાન ભાવનગર વિભાગના અલગ અલગ ડેપો ખાતે આવી કાર્યવાહી જેમા અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ જેવા કે જાહેર સ્થળો એ ધુમ્રપાન કરવું, સીધી કે આડકતરી રીતે અધિનિયમ-2003 ના ભંગ બાબતે કુલ 489 ઈસમો પાસેથી દંડ પેટે રૂા.4980 ની રકમ વસુલવામા આવેલ હતી., જેમાં ભાવનગર ડેપોમાં કેઈસની સંખ્યા 63 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.720, તળાજા ડેપો કેઈસની સંખ્યા 58 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.580, મહુવા ડેપો કેઈસની સંખ્યા 62 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.620, પાલીતાણા ડેપો કેઈસની સંખ્યા 62 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.620, ગારીયાધાર ડેપો કેઈસની સંખ્યા 58 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.580, બરવાળા ડેપો કેઈસની સંખ્યા 62 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.620, બોટાદ ડેપો કેઈસની સંખ્યા 62 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.620, ગઢડા ડેપો કેઈસની સંખ્યા 62 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.620 આમ, કુલ 489 કેઈસ દ્વારા રૂ.4980 દંડ પેટે લેવામાં આવ્યા હતા. આ તકે એસ. ટી. પ્રશાસન દ્વારા મુસાફર જનતાને પુન; વિનંતી કરવામા આવે છે કે આવી દંડનાત્મક કાર્યવાહીથી બચવા મુસાફર જનતા જાતે જ સ્વચ્છતા જાળવે અને અન્યોને પણ સ્વચ્છતા જાળવવા સમજાવે જેમ કે બસ કે બસ સ્ટેશન પરિસરમા ધુમ્રપાન ન કરવુ, પાન મસાલાની પીચકારી ન મારવી, અને જયાં ત્યાં કચરો ન ફેકી ડસ્ટબીન જ મા નાખવો જેથી નિગમના દરેક મુસાફરોને સ્વચ્છ અને આરોગ્ય પ્રદ વાતાવરણ મળી રહે તે માટે એસ ટી વિભાગના વિભાગીય નિયામકે અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં ભાવેશ ઝીલિયા પર ફાયરિગનો મામલો, ત્રણ શંકાસ્પદ રાઉન્ડઅપ:હુમલાખોરોને ઝડપવા પોલીસની 6થી વધુ ટીમો તપાસમાં જોતરાઈ
    Next Article
    ‘Got funds for temple, but was kept away from puja’: UP BJP MLA says she faced caste discrimination

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment