Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈશાખનો મિજાજ:ભુજમાં પારો 43.8 ડિગ્રીએ સ્થિર

    9 hours ago

    વૈશાખ મહિનાના મધ્યાહ્ને સૂર્ય નારાયણ આકરા તેવર દર્શાવી રહ્યા છે જેના કારણે કચ્છમાં કાળઝાળ ગરમી અનુભવાઇ રહી છે. સોમવારે પણ જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાનનો પારો 43.8 ડિગ્રીએ સ્થિર રહેતાં શહેરીજનો શેકાયા હતા તો ગાંધીધામમાં પારો બે આંક નીચે ઉતરીને 43.5 ડિગ્રી રહેવાની સાથે ગરમીમાં આંશિક રાહત રહી હતી. શુક્રવારથી ગરમીમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે. રાજ્યમાં અમદાવાદ (44.2) બાદ બીજા ક્રમે ગરમ રહેલા ભુજમાં અધિકત્તમ ઉષ્ણતામાન 43.8 ડિગ્રી સાથે સ્થિર રહ્યું હતું. દિવસ દરમિયાન સરેરાશ 20 કિલો મીટર પ્રતિ કલાકની ગતિએ વૈશાખી વાયરો ફૂંકાયો હતો પરિણામે સવારે 11 વાગ્યાથી ફૂંકાયેલા ગરમ પવને લોકોને બાનમાં લીધા હતા અને મધ્યાહ્ને માર્ગો પર ચહલ પહલ નહિવત્ બની હતી. ન્યૂનતમ તાપમાન પણ 26.2 ડિગ્રી જેટલું ઉંચું રહેતાં મોડી રાત સુધી અનુભવાયેલી ગરમીએ શહેરીજનોને અકળાવ્યા હતા. ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારને સાંકળતા અને રવિવારે રાજ્યભરમાં સર્વાધિક ગરમ રહેલા કંડલા એરપોર્ટ મથકે ઊંચું ઉષ્ણતામાન 43.5 ડિગ્રી નોંધાયું હતું જેના પગલે ગરમીમાં આંશિક રાહત વર્તાઇ હતી. કંડલા બંદરે 39.3 જ્યારે નલિયા ખાતે 38.4 ડિગ્રી સાથે મધ્યાહ્ને ઉનાળાનો આકરો મિજાજ અનુભવાયો હતો. ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ક્રમશ: બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેવો રાહતરૂપ વરતારો વેધશાળા દ્વારા વ્યક્ત કરાયો છે. ગરમીના કારણે લૂ લાગવાના દર્દી વધ્યા કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી અંગ દઝાડતી ગરમીના કારણે ચક્કર આવવા, ઉલટી, તાવ સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલે 108 એમ્બ્યૂલન્સને આ પ્રકારના દર્દી માટે દૈનિક સરેરાશ 50 કોલ આવે છે જેમાં ખાવડા વિસ્તારના સૌથી વધુ 20 જેટલા કોલ આવતા હોવાનું જાણવા મળ્યું હતું. લૂ થી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી બપોરે ઘરની બહાર ન નીકળવાની સલાહ તબીબો આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    PGVCLનું ‘ડિજિટલ મિશન’ ફેઈલ:ભુજમાં છેલ્લા ત્રણ મહિનામાં વીજ સંબંધિત 892 ફરિયાદો થઇ, જે પૈકી માત્ર 7 વ્હોટ્સએપમાં કરાઇ
    Next Article
    Axar Patel after DC’s collapse against RCB: Batters must take ‘personal responsibility’ to improve technique

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment