Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    41 કરોડનો ડ્રેનેજ પ્રોજેક્ટ:3 વર્ષ પહેલા આરોપનામુ ઘડનારી મહાપાલિકાએ જ તમામને આરોપમુક્ત કર્યા

    4 days ago

    કોર્પોરેશન વિસ્તારમાં નવા ભળેલા ચાર ગામોના 41 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં બેદરકારી બદલ ત્રણ વર્ષ પૂર્વે 11 અધિકારી કર્મચારીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી, જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત હતી. સમય જતા ત્રણ અધિકારી કર્મચારીના ખુલાસા યોગ્ય લાગતાં તેઓ પરથી આરોપ હટાવી લેવાયા હતા, પરંતુ બાકી રહેલા આઠ અધિકારી કર્મચારી સામે ચાલી રહેલ તપાસમાં પણ અધિકારી કર્મચારીઓ નિર્દોષ હોવાનું સાબિત થયું છે. એટલે કે, તત્કાલીન સમયે જે કોઈ અધિકારીએ 11 અધિકારી કર્મચારીઓ સામે ચાર્જશીટ રજૂ કરી હશે તે ખુદ બેદરકાર હશે અથવા તો હાલમાં થયેલી તપાસમાં છીંડા હશે તે સાબિત કરે છે. ભાવનગર કોર્પોરેશનમાં સીદસર, તરસમિયા, રૂવા અને અકવાડા ગામનો સમાવેશ થયા બાદ આ નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રેનેજ સુવિધા માટે 41 કરોડનો પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ યશ હાઈડ્રોફોનિક્ષ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યો હતો. પરંતુ ડ્રેનેજ પ્રોજેક્ટ વર્ષ 2019 - 20 માં શરૂ થયો હતો અને વારંવાર સમય મર્યાદા વધારવા છતાં પ્રોજેક્ટનું કામ અધૂરું જ રહેતું હતું. યોજના વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા ડ્રેનેજ પ્રોજેક્ટમાં બેદરકારી દાખવી હોવાને કારણે કામ સમય મર્યાદામાં પૂર્ણ થતું ન હતું, મુખ્ય ટ્રંક લાઈનના મેન હોલના લેવલ અને નાખેલી લાઈનના લેવલના સ્કેચ સાથે યોગ્ય ગ્રેડ જળવાઈ રહેતો ન હતો. નેટવર્ક તેમજ ઘરના જોડાણોની કુંડીના લેવલની પણ તપાસ થઈ હતી. તત્કાલીન સમયે આ તમામ બાબતોમાં બેદરકારી યોજના વિભાગના અધિકારી કર્મચારીઓને હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમજ યોજના વિભાગના તત્કાલીન અને પૂર્વ કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેર સહિત 11 સામે વર્ષ 2023માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્પોરેશનના ખુદ અધિકારી કર્મચારીઓ સામે જ કોર્પોરેશને ચાર્જશીટ દાખલ કરી હોય તેમાં કંઇક બેદરકારી હશે તો જ આરોપનામું ઘડાયું હશે. પરંતુ ત્યારબાદ ગત ઓક્ટોબર 2024 માં 11 પૈકી ત્રણ અધિકારી કર્મચારીઓના જવાબ માન્ય રાખી 8 અધિકારી કર્મચારીઓના જવાબ અમાન્ય રાખી તેની સામે તપાસનીશ અને રજૂઆત અધિકારીની કમિશનરે નિમણૂક પણ કરી હતી. તે પણ વિવાદની ગંભીરતા દેખાડે છે. પરંતુ ત્યારબાદ પુનઃ તપાસ અને ખુલાસાની કાર્યવાહી શરૂ કરી અને તમામ આઠ અધિકારી કર્મચારીની ત્રણ વર્ષ પૂર્વે લગાવેલા આરોપ ખોટા હોવાનું સાબિત થયું. તમામને આરોપ મુક્ત કરવામાં આવ્યા. હાલમાં થયેલી તપાસમાં જો સત્યતા હતી તો ભૂતકાળમાં અધિકારી કર્મચારીઓ સામે લગાવેલા આરોપ પાયાવિહોણા હોવાનું સાબિત થાય છે. અધિકારી-કર્મચારી સીધા દોષિત ન હતા ચાર ગામ ડ્રેનેજ પ્રોજેક્ટમાં તટસ્થ રીતે તપાસ કરવામાં આવી છે. જેમાં સીધા કોઈ અધિકારી કર્મચારી દોષિત ન હતા. કોન્ટ્રાક્ટરની થોડી ઘણી જે ક્ષતિઓ હતી તે પણ કોન્ટ્રાક્ટરના ખર્ચે દૂર કરવામાં આવી છે. અંદાજે 70 કિલોમીટરના ડ્રેનેજ નેટવર્કની તપાસ કરવામાં આવી છે. સોપાયેલું કામ પૂર્ણ કરાયું છે. > મૌલિક પટેલ, એડિશનલ સીટી એન્જિનિયર ડ્રેનેજ પ્રોજેક્ટમાં બેદરકારી મામલે કોની સામે ઘડાયા હતા આરોપનામા ડ્રેનેજ પ્રોજેક્ટમાં બેદરકારી બદલ યોજના વિભાગના તત્કાલીન કાર્યપાલક ઇજનેર એમ.આર. કુકડીયા, પી.જે.ચુડાસમા, એસ.વી. ગોહિલ, ડેપ્યુટી ઇજનેર આર.કે. મિયાણી, એ.સી. પડસાલા, એન.સી.પરમાર, એ.આર. ડોબરીયા, વી.યુ. મોરી, મીત રાઠોડ, હર્ષ પટેલ અને આકાશ જાદવ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન ઘણા અધિકારી કર્મચારી રિટાયર્ડ પણ થઈ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    આપના કાર્યકરોના મોબાઇલ ઝૂંટવી હેરાન કરતાં હોવાનો આક્ષેપ:ગારિયાધારમાં SOG અને LCBના 3 કોન્સ્ટેબલનો "આપ'ના કાર્યકરોને ત્રાસ!
    Next Article
    સ્થાનિકોને અવરજવર કરવું જોખમી:પાટણના રામનગરમાં રોડનું ખાતમુહૂર્ત‎કરી ખોદી નાખ્યો પણ કામ શરૂ ના થયું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment