Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મજૂર યુવાનની કરપીણ હત્યા.:​જૂનાગઢના ડુંગરપુર પાસે 40 વર્ષીય યુવાનની લાકડી-ધોકાના ફટકા મારી હત્યા, એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો,

    1 week ago

    જૂનાગઢ શહેરની ભાગોળે આવેલા ડુંગરપુર વિસ્તારમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક 40 વર્ષીય યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ​ડુંગરપુર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા રફિકશા કરીમશા રફાઈ (ઉંમર આશરે 40 વર્ષ) નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ રફિકશા પર લાકડી અને ધોકા જેવા હથિયારો વડે આડેધડ પ્રહાર કર્યા હતા. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની ગંભીરતાને જોતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા (SP) સહિત તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક અસરથી ડુંગરપુર પહોંચી હતી. પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. હાલમાં આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અંગત અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ​હાલ તો તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. જૂનાગઢના શાંત વિસ્તાર ગણાતા ડુંગરપુરમાં ધોળા દિવસે થયેલી આ હત્યાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    બાયડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર બગડ્યું:હેલિપેડ પર ઉડાન ભરતા પહેલાં ટેક્નિકલ ખામીને કારણે ગ્રાઉન્ડેડ, સાબરકાંઠા જવા વાહન માર્ગે રવાના
    Next Article
    ભરૂચના વડીલોના આશ્રમમાં સત્યનારાયણ કથાનું આયોજન:સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તિમય માહોલ સર્જાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment