Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા વ્યાજખોરે મહિલા પાસેથી 40 હજારની સામે 10% વ્યાજ વસૂલ્યું:દહેગામમાં તોય 4.50 લાખનો ઉઘરાણી કાઢી ચેક રિટર્નનો કેસ કર્યો

    4 days ago

    દહેગામમાં મહિલા વ્યાજખોરે પાડોશી મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી હાથ ઉછીના આપેલા 40 હજારની રકમ સામે દર મહિને 10 ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલીને વધુ 4.50 લાખની ઉઘરાણી માટે સિક્યોરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ દાખલ કરી માનસિક અને આર્થિક રીતે પાયમાલ કરી દેવામાં આવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પાડોશી મહિલાએ પાસેથી 40 હજારની સામે 10% વ્યાજ વસૂલ્યું દહેગામ સાન્વી રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતા કૃપાબેન રૂપેશભાઈ દલવાડી જેતે વખતે પાડોશમાં રહેતા દીપીકાબેન પંકજકુમાર ભટ્ટને (હાલ રહે.મધુવન સોસાયટી, મકાન નંબર-156, દહેગામ) છેલ્લા ચાર વર્ષથી ઓળખે છે. વર્ષ 2023મા પૈસાની જરૃર પડતા કૃપાબેનને 40 હજાર હાથ ઉછીના આપી બે કોરા ચેક સિકયુરિટી પેટે દિપીકાબેને લઈ લીધા હતા. 1.20 લાખ લઈ લીધા ને ચેક પરત ના કર્યા જેનું 10 ટકા લેખે દર મહિને ચાર હજાર વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. જોકે નવ મહિના સુધી ચાર હજાર વ્યાજ ચૂકવ્યા પછી કૃપાબેનવ્યાજ ભરવામાં અસમર્થ બન્યા હતા. ત્યારે દિપીકાબેને અગાઉના વ્યાજ અને મુદ્દલ મળીને કુલ 1.20 લાખની માંગણી કરી હતી. જે રકમ મેળવવા માટે કૃપાબેનને વિવિધ ત્રણ બેંકોમાંથી લોન લેવાની ફરજ પાડી 1.20 લાખ લઈ લીધા હતા. તેમ છતા ચેક પરત કર્યાં ન હતા. 4.50 લાખનો ઉઘરાણી કાઢી ચેક રિટર્નનો કેસ કર્યો જે ચેકના આધારે દિપીકાબેને ફરીથી 4.50 લાખની માંગણી કરી હતી. આ સાંભળી કૃપાબેન મુશ્કેલીમાં મુકાઈ હતા. જેમણે ઘણી વિનંતી કરી છતાં દિપીકાબેને સિક્યોરિટી તરીકે રાખેલો ચેક બેંકમાં નાખીને બાઉન્સ કરાવી દીધો હતો અને 138 મુજબની નોટીસ પાઠવી જીવન જીવવું મુશ્કેલ કરી નાખી પરિવારને પાયમાલ કરી દીધો હતો. આખરે કંટાળીને અંતે કૃપાબેને દહેગામ પોલીસ સ્ટેશનમાં દીપીકાબેન પંકજકુમાર ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    CM ઓફિસ, AMC અને RSS કાર્યાલયને ધમકી:CMOને 1.11, AMC ઓફિસને 3.11 અને RSS કાર્યાલયને 5.11 વાગ્યા ઉડાવી દેવાની ધમકી
    Next Article
    ઘઉંની ધીમી ખરીદીથી જગતનો તાત ભારે પરેશાન.:​વંથલી માર્કેટિંગ યાર્ડમાં તંત્રની અણઘડતા અને બારદાનની અછતને લીધે ઘઉંની ખરીદી ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં; વરસાદના ભયથી સસ્તા ભાવે વેચવા મજબૂર.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment