Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ શરૂ:દર્શનાર્થીઓ માટે મંદિર સાંજે 4 વાગ્યે ખુલશે, 8 કલાક દર્શન બંધ રહેશે

    1 week ago

    સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને 'નાના અંબાજી' તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરમાં આગામી ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે સોમવારે સવારે 8:00 વાગ્યાથી ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રક્ષાલન વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ધાર્મિક વિધિને કારણે શ્રદ્ધાળુઓ માટે મંદિરના દ્વાર સાંજે 4:00 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે વિગતો આપતા જણાવ્યું હતું કે, 19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પવિત્ર અવસર પહેલાં પરંપરાગત રીતે ગર્ભગૃહની શુદ્ધિ માટે પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે શરૂ કરાયેલી આ પ્રક્રિયા અંદાજે 8 કલાક સુધી ચાલશે. વિધિ પૂર્ણ થયા બાદ સાંજે 4:00 વાગ્યાથી મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખોલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સરકારી જમીન પર હીરા જોટવાનું ગેરકાયદે 'શિક્ષણ સામ્રાજ્ય':ગૌચરની જમીનને સરકારી ખરાબો કારાવી, તેના પર ઊભી થઈ અર્જુન એકેડમી; 1થી 12 ધોરણ માટે માત્ર 20 જ રૂમ!!
    Next Article
    બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો:પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCAના હોદ્દેદારો માટેની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment