Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:4 ઈંચ વરસાદમાં સુરતમાં નદીઓ વહી, રામમંદિર ટ્રસ્ટમાંથી ચંપત-અનિલની છુટ્ટી; ઝિમ્બાબ્વે સિરીઝમાં વૈભવને તક

    20 hours ago

    નમસ્તે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું મંજૂર કરી લીધું છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ભારે તબાહી સર્જાઈ છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે ઝિમ્બાબ્વે સિરીઝમાંથી સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી ઇન્ડોનેશિયા પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અહીંના સૌથી મોટા હિંદુ મંદિરની પણ મુલાકાત લેશે. 2. તુર્કીયેની રાજધાની અંકારામાં 7-8 જુલાઈએ નાટો સમિટ યોજાશે. જેમાં ટ્રમ્પ પણ ભાગ લેશે. 3. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રાત્રે 10 વાગ્યાથી રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. રામમંદિર દાન ચોરી-ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું મંજૂર:કૃષ્ણ મોહન નવા મહાસચિવ; ટ્રસ્ટે 5 સોના-ચાંદીની વસ્તુઓ બતાવી, જેની ચોરીનો દાવો હતો અયોધ્યા રામ મંદિરના ચઢાવાની ચોરી પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક 3 કલાક ચાલી. બેઠક પછી કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ કહ્યું– મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ગોવિંદ દેવે કહ્યું– ચંપત રાયે કહ્યું છે કે જ્યાં સુધી ગુનેગારો પકડાતા નથી ત્યાં સુધી પદ પર રહેવું યોગ્ય નથી. જે બન્યું તે કષ્ટદાયક છે. આનાથી આપણે બધા દુઃખી છીએ. દાનની ચોરી શરમજનક ઘટના છે. ટ્રસ્ટી કે. પારાશરને કહ્યું હતું કે રાજીનામું આપતા જ તેને સ્વીકારવું એ ટ્રસ્ટના બંધારણમાં છે. તેથી રાજીનામું સ્વીકારવામાં આવ્યું. ચંપત રાયની ગેરહાજરીમાં નવા ટ્રસ્ટી નિવૃત્ત IFS કૃષ્ણ મોહનને કાર્યકારી મહાસચિવ બનાવવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મહારાષ્ટ્રના સતારામાં પુલ તુટ્યો, ક્રેનથી કારને બહાર કાઢી:મુંબઈમાં રેલ્વે ટ્રેક અને એક્સપ્રેસ વે બંધ; લોકોને ઘરમાં રહેવાની સલાહ; જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલન દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાએ ગતિ પકડી લીધી છે. મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે મુંબઈ-પુણે રેલ રૂટ પર સોમવારે સવારે કરજત-લોનાવલાના ભોર ઘાટ સેક્શનમાં બે જગ્યાએ ભૂસ્ખલન થયું. ત્રણેય રેલવે લાઈનો પ્રભાવિત થઈ ગઈ. 20 ટ્રેનો રદ કરવી પડી. આ દરમિયાન, ભૂસ્ખલનને કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પણ બંધ થઈ ગયો હતો. સતારા જિલ્લાના મહાબળેશ્વરમાં વેન્ના નદી પરનો પુલ તુટી ગયો છે.10-12 પ્રવાસીઓ ફસાયા છે અને ક્રેનથી કાર બહાર કાઢવામાં આવી હતી. BMCએ આજે ​​તમામ સરકારી, ખાનગી અને મ્યુનિસિપલ શાળાઓ તથા કોલેજો માટે રજા જાહેર કરી છે. દરમિયાન, મુંબઈ એરપોર્ટ પર 17 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. વૈભવને ફરી ટીમમાં સ્થાન, સંજુ સેમસન બહાર:ઝિમ્બાબ્વે સિરીઝ માટે ભારતીય T-20 ટીમ જાહેર; 4 નવા ચહેરાને તક, રિંકુ સિંહનું કમબેક BCCIએ જુલાઈમાં યોજાનાર ઝિમ્બાબ્વે પ્રવાસ માટે 15 સભ્યોની T20 ટીમની જાહેરાત કરી દીધી. T20 વર્લ્ડ કપ 2026ના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સંજુ સેમસનને ટીમમાં સ્થાન મળ્યું નથી. બોર્ડે તેમને બહાર રાખવાનું કોઈ કારણ જણાવ્યું નથી. જ્યારે, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને સતત બીજી સિરીઝ માટે ટીમમાં રાખવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસની T20 ટીમની સરખામણીમાં ભારતે 6 ફેરફારો કર્યા છે. રિંકુ સિંહ અને મયંક યાદવની વાપસી થઈ છે, જ્યારે પ્રભસિમરન સિંહ, યશ ઠાકુર, અશોક શર્મા અને હર્ષ દુબેને પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ઈજાગ્રસ્ત નીતિશ કુમાર રેડ્ડીની જગ્યાએ શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અમરનાથ યાત્રાના માત્ર 3 દિવસમાં જ 90% શિવલિંગ ઓગળી ગયું:ઊંચાઈ માત્ર એક ફૂટ બાકી રહી, 57 દિવસની યાત્રામાં હવે બાકીના શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે કે કેમ? અમરનાથમાં બનતા પવિત્ર શિવલિંગનું કદ એક ફૂટ રહી ગયું છે. સોમવારે એક ફૂટના બાબા બરફાનીનો ફોટો સામે આવ્યો. 57 દિવસ ચાલતી યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી. છેલ્લા 3 દિવસમાં 56 હજારથી વધુ યાત્રાળુઓ દર્શન કરી ચૂક્યા છે. આ આંકડો ગયા વર્ષ કરતાં 18.6% વધુ રહ્યો. 2025માં પહેલા ત્રણ દિવસમાં 47,972 શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. યાત્રા માટે આ વર્ષે 4 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 23 મેના રોજ BSFના જવાનોએ જે તસવીર જાહેર કરી હતી, તેમાં શિવલિંગનું કદ લગભગ 7 ફૂટ હતું. 29 જૂને પ્રથમ પૂજાના દિવસે પણ હિમલિંગની ઊંચાઈ 5 ફૂટથી વધુ હતી. 6 જુલાઈએ સામે આવેલી તસવીરમાં હિમલિંગ લગભગ 90% ગાયબ થઈ ચૂક્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કેતનના મર્ડર માટે સિયાએ રાજા રઘુવંશી કેસ વાંચ્યો:મોબાઇલ સર્ચ હિસ્ટ્રીમાંથી ખુલ્યું સિક્રેટ; પોલીસ કસ્ટડીમાં મહિલા સાથે મારપીટ થાય? આ સવાલ પણ પૂછ્યો પુણેના લોહગઢમાં કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી સિયા ગોયલે ઘટના પહેલાં ઇન્ટરનેટ પર ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડની માહિતી એકઠી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સિયાએ ઇન્ટરનેટ પર એ પણ સર્ચ કર્યું હતું કે ‘શું પોલીસ કસ્ટડીમાં મહિલાઓ સાથે મારપીટ થાય છે’. આ સંપૂર્ણ માહિતી સિયાના બંને મોબાઇલની સર્ચ હિસ્ટ્રીમાંથી મળી. પોલીસ 2 દિવસ પહેલાં સિયાને તેના ઘરે લઈ ગઈ હતી, જ્યાં તેના બેડરૂમમાંથી બીજો મોબાઇલ પણ જપ્ત કર્યો છે. ઘટનાના દિવસના કેટલાક પ્રત્યક્ષદર્શીઓ પણ મળ્યા છે, જેમના નિવેદનો તપાસને વધુ મજબૂત કરી રહ્યા છે. 18 જૂને સિયા-ચેતને કેતનને પુણેના લોહગઢ ફોર્ટ પરથી 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારીને મારી નાખ્યો. હાલ બંને 16 જુલાઈ સુધી યરવડા જેલમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સુરત શહેરમાં 4 ઈંચ વરસાદમાં જ જળબંબાકાર, મનપાના પાપે લાખો લોકો પરેશાન; વીજ કરંટ લાગતા 2 યુવકોના મોત, અમરેલીમાં યુવક તણાયો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ, સુરત અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતમાં બપોરે 4 વાગ્યા બાદ બે કલાકમાં જ ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં સોસાયટી અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. રાંદેર વિસ્તારમાં વીજકરંટ લાગતા બે યુવકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરત શહેર, વાપી અને પારડીમામં ચાર-ચાર ઈંચ વરસ્યો છે. 39 તાલુકામાં એક ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલીના સરંભડા ગામની નદીમાં તણાવાથી યુવકનું મોત થયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સિંહે માલધારીને દબોચ્યો, પગ પર આંટી મારી બેઠો, VIDEO:સાવજના પંજામાંથી જીવતા આવનારે ભાસ્કરને કહ્યું- હાથ જડબામાં લીધો, અડધો કલાક છોડ્યો નહીં; 20 દિવસમાં 4 ઘટના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે આજે (6 જુલાઈ) સવારે સિંહે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેનો લાઈવ વીડિયો વાઇરલ થયો છે. ગાયને ઘાસચારો નાખવા માટે જતા હતા તે સમયે સિંહે માલધારીને દબોચ્યો હતો. વનરાજ માલધારીના પગ પર આંટી મારી બેસી ગયો. હાથ જડબામાં લીધો અને અડધો કલાક છોડ્યો નહીં. આ દૃશ્ય જોઈ ત્યાં હાજર માલધારીના પરિવારજનો અને ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ સિંહને પથ્થર મારી તેને ભગાડવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ રસાકસીના સમયમાં સિંહના જડબામાં રહેલા માલધારીએ એકદમ સંયમથી કામ લીધું. તે જરા પણ વ્યાકુળ થયા વગર શાંતિથી ત્યાં બેસી રહ્યા અને સિંહને પંપાળ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : હાફિઝ સઈદે પાકિસ્તાનથી પહેલગામ હુમલાનું કાવતરું ઘડ્યું:NIAએ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી; ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : PM મોદી ઇન્ડોનેશિયા પહોંચ્યા, ફાઇટર જેટ્સે આકાશમાં સ્વાગત કર્યું:દેશની 85% મુસ્લિમ વસ્તી છતાં ગરુડ એરલાઇન, નોટ પર ગણેશજીની તસવીર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પતિ બાઇક પર બાંધીને લાવ્યો પત્નીનો મૃતદેહ:પરિવારજનોનો આરોપ- આરોગ્ય કેન્દ્રએ કલાકો સુધી રાહ જોવડાવી, ન શબવાહિની આપી, ન એમ્બ્યુલન્સ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ખામેનીની અંતિમ યાત્રામાં 10-કિમી લાંબા રૂટ પર લાખો લોકો ઉમટ્યા:10 કલાક સુધી ચાલશે જુલુસ, હેલિકોપ્ટર દ્વારા શહેરની ઉપર ફેરવવામાં આવશે તાબૂત વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ભાગેડુ નીરવ મોદીને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે:યુરોપિયન કોર્ટમાં છેલ્લો કેસ પણ હાર્યો, 7 વર્ષથી લંડનની જેલમાં બંધ છે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અમદાવાદમાં બુમરાહે રેડ બોલથી પ્રેક્ટિસ શરૂ કરી:968 દિવસ પછી વન-ડે રમશે, 14 જુલાઈથી ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની સિરીઝ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ચરણામૃત અને પંચામૃત સાથે જોડાયેલી માન્યતાઓ:ચરણામૃત જળથી બને છે ને પંચામૃત પાંચ તત્વોથી; જાણો ધાર્મિક મહત્વ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પૂરમાં ફ્રિજની અંદર બેસીને બચાવ્યો જીવ બ્રાઝિલમાં આવેલ ભયાનક પૂર દરમિયાન 20 વર્ષના યુવકે પોતાની ગર્ભવતી પત્નીનો જીવ બચાવવા માટે ફ્રિજને જ હોડી બનાવી દીધી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : ભાજપના નેતાઓની ગોલમાલ જુઓ: કેમેરા સામે કલર કર્યો, પટેલ સાહેબને એક પોસ્ટરે ભેરવી દીધા, બાપુના હાથમાં બેટ આવતા ફટકાબાજી કરી 2. Editor's View: ઇઝરાયલનું 'ઇન્ડિયા કાર્ડ': ટ્રમ્પની બોસગીરીથી નેતન્યાહૂ ભડક્યા, કહ્યું-140 કરોડ ભારતીયો અમારી સાથે, બે દેશોની દોસ્તી અને ભારતના ફાયદાની ચાર મોટી વાત 3. મંડે મેગા સ્ટોરી : ઈરાનનાં પહેલાં સુપ્રીમ લીડર જ્યારે તાબૂતમાંથી પડ્યા, કફનના ચીંથરા ઉડ્યા: ખામેનીના જનાજામાં 3 કરોડ લોકો આવશે; શિયા મુસ્લિમોમાં માતમનું આટલું મહત્ત્વ કેમ? 4. AI સાથેની દોસ્તી, નોકરી માટે દુશ્મની!:6 મહિનાનું ઇમરજન્સી ફંડ કેવી રીતે ભેગું કરવું? જાણો બચતનું સરળ ગણિત અને CAનો ફૂલપ્રૂફ પ્લાન 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: ગ્રહોની સ્થિતિ વૃષભ રાશિ માટે બનાવશે ધનલાભના ઉત્તમ યોગ; સિંહ, ધન અને કુંભ રાશિને નોકરી મળવાના સંકેત વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Experts explain | Why India struggles to count heatwave deaths as climate change intensifies
    Next Article
    Watch: Lamine Yamal's Special Gesture To Crying Cristiano Ronaldo Goes Viral

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment