Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરોડ નજીક પાનમ નદી બ્રિજ 4 વર્ષ બાદ ખુલ્લો મુકાયો:સાંસદના પ્રયાસોથી હાઈવે પર ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યાનો અંત

    1 week ago

    નેશનલ હાઈવે 47 પર સંતરોડ નજીક પાનમ નદી પરનો બ્રિજ આખરે ચાર વર્ષના લાંબા સમયગાળા બાદ વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારના પ્રયાસોથી આ બ્રિજનું સમારકામ ઝડપથી પૂર્ણ થયું છે, જેનાથી હાઈવે પરની ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યાનો અંત આવ્યો છે. ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 47 પર વાહનચાલકો માટે લાંબા સમયથી માથાનો દુખાવો બનેલી ટ્રાફિકની સમસ્યાનો આ સાથે અંત આવ્યો છે. મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામ નજીક પાનમ નદી પર આવેલો આ બ્રિજ છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી બંધ હતો. આજે રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારના હસ્તે લીલી ઝંડી બતાવીને તેને સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સુરક્ષાના કારણોસર આ જર્જરિત બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. એક તરફનો જ બ્રિજ ચાલુ હોવાને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હતો. આ ઉપરાંત, અહીં વારંવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હતા. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા આ બ્રિજ વહેલી તકે શરૂ કરવા માટે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. આ લોકપ્રશ્ન અને હાલાકીને ધ્યાનમાં લઈને રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારે અંગત રસ દાખવ્યો હતો. તેમણે બ્રિજનું સમારકામ ઝડપથી પૂર્ણ થાય તે માટે ઉચ્ચ સ્તરે સતત પ્રયત્નો હાથ ધર્યા હતા. સાંસદની સક્રિય રજૂઆતો બાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ જર્જરિત બ્રિજનું જરૂરી સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું. આજે ડૉ. જસવંતસિંહ પરમારે નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બ્રિજનું ફ્લેગ ઓફ કર્યું. હવે આ હાઈવે પર બંને તરફના બ્રિજ સંપૂર્ણપણે કાર્યરત થતાં, અમદાવાદ અને ઇન્દોર તરફ અવરજવર કરતા હજારો વાહનચાલકોને વર્ષો જૂની ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.
    Click here to Read More
    Previous Article
    PMJAYનો લાભ મળે તે માટે AMCની પહેલ:હોસ્પિટલમાં જ દર્દીનું આધાર અપડેશન પૂર્ણ
    Next Article
    બોટાદ નગરપાલિકા પર 40 કરોડનું પાણી બિલ બાકી:31 કરોડનો વેરો પણ વસૂલવાનો બાકી, કડક કાર્યવાહી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment