Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલેશ ઠક્કર 4 વર્ષ બાદ 50 સમર્થકો સાથે કોંગ્રેસમાં પરત:પાટણમાં કોંગ્રેસની સંકલ્પ સભામાં ભાજપ પર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપો કર્યા

    11 hours ago

    પાટણના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પૂર્વ શહેર પ્રમુખ લાલેશ ઠક્કર 50થી વધુ સમર્થકો સાથે ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના 'મીઠાઈના પડીકા' વહેંચાયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના ઉત્તર ઝોન પ્રભારી સુભાષીની યાદવે લાલેશ ઠક્કર અને તેમના સમર્થકોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. લાલેશ ઠક્કર અગાઉ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ હવે તેઓ પોતાના મૂળ પક્ષમાં પરત ફર્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે તેમના પુનઃપ્રવેશથી પાટણ શહેર અને જિલ્લામાં કોંગ્રેસ પક્ષને ફરી વેગ મળશે. કોંગ્રેસમાં પરત ફર્યા બાદ સભાને સંબોધતા લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘરે પરત ફર્યા છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા 4 વર્ષ દરમિયાન ભાજપે તેમને પક્ષમાં લેવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમની વિચારધારા હંમેશા કોંગ્રેસ સાથે રહી છે. ઠક્કરે પાટણ નગરપાલિકાના કોંગ્રેસ શાસનને યાદ કરતા 'નગરપાલિકા આપના દ્વારે' જેવા કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર જ જોવા મળ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપક હતો કે ખુદ ભાજપના પ્રદેશ મહામંત્રીએ પાટણમાં 'નો રિપીટ થિયરી' લાગુ કરવી પડી અને 44માંથી એક પણ કોર્પોરેટરને ફરી ટિકિટ આપવામાં આવી ન હતી. લાલેશ ઠક્કરે ભાજપના કોર્પોરેટરો પર મીઠાઈના પેકેટમાં પૈસા ભરીને ભ્રષ્ટાચાર કરવાનો સીધો આક્ષેપ કર્યો હતો. ઠક્કરે જનતાને સંબોધતા કહ્યું કે જો મીઠાઈના પેકેટમાં પૈસા આપીને કામ કરાવવું હોય તો ભાજપને મત આપો, પરંતુ જો પ્રજાના દ્વારે સેવા આપતું શાસન જોઈતું હોય તો કોંગ્રેસને મત આપો. આ સંકલ્પ સભામાં આગામી ચૂંટણીલક્ષી રણનીતિ અને પક્ષના સંગઠનને મજબૂત કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સભાના અંતે કોંગ્રેસની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો હતો અને પૂર્વ શહેર પ્રમુખના પુનઃપ્રવેશથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દમદાર તિલક...માત્ર 45 બોલમાં સેન્ચુરી ફટકારીને મુંબઈને મજબૂત સ્થિતિ મુક્યું:શરૂઆતમાં લથડ્યા ખાધા પછી MIએ ગુજરાતને 200 રનનો ટાર્ગેટ આપ્યો; GT માટે રબાડાએ 3 વિકેટ લીધી
    Next Article
    લલિત પરસાણાની રજૂઆત બાદ યાત્રાધામ બોર્ડનો કલેક્ટરને કડક આદેશ.:જટાશંકર મંદિરે હેરાનગતિ રોકવા અને સુવિધાઓ બાબતે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો કલેક્ટરને તાકીદની કાર્યવાહી કરવા આદેશ, ગિરનારના જટાશંકર મંદિરે વન વિભાગનું ડિમોલિશન નડ્યું.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment