Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘નિપુણ ગુજરાત’ અભિયાન: બાળકોનું જ્ઞાન ચકાસાશે, સવાલ શિક્ષણની ગુણવત્તા પર:4 અને 5 ઓગસ્ટે બેઝલાઇન સર્વે, બાલવાટિકાથી ધોરણ-5 સુધીના વિદ્યાર્થીઓનું વાંચન-લેખન અને ગણિતનું મૂલ્યાંકન થશે

    9 hours ago

    રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી સરકાર દ્વારા ‘નિપુણ ગુજરાત અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત GCERT દ્વારા શાળા સ્તરે બેઝલાઇન સર્વે માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાએ શિક્ષણ વ્યવસ્થા સામે કેટલાક ગંભીર સવાલો ઊભા કર્યા છે. સરકાર દ્વારા શિક્ષકોની ભરતીમાં TET-TAT જેવી લાયકાત પરીક્ષાઓ રાખવામાં આવે છે અને લાયકાત ધરાવતા શિક્ષકોને સારા પગારધોરણ સાથે શાળામાં મૂકવામાં આવ્યા છે તેમછતાં રાજ્યમાં પ્રાથમિક વિદ્યાર્થીઓનું પાયાનું વાંચન, લેખન અને ગણિતનું સ્તર ચકાસવા માટે અલગથી બેઝલાઇન સર્વે અને ત્યારબાદ થર્ડ પાર્ટી એસેસમેન્ટ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તો સવાલ એ છે કે વર્ષોથી શાળાઓમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે છતાં બાળકોનું પાયાનું સ્તર જાણવા માટે વારંવાર સર્વે કરવાની જરૂર કેમ પડી રહી છે? 4 ઓગસ્ટે ગુજરાતી, 5મીએ ગણિતનું મૂલ્યાંકન માર્ગદર્શિકા મુજબ 4 ઓગસ્ટે ગુજરાતી વિષયમાં વાંચન અને લેખન, જ્યારે 5 ઓગસ્ટે ગણિતમાં સંખ્યાજ્ઞાન અંગે બેઝલાઇન સર્વે કરવામાં આવશે. આ પ્રક્રિયા બાલવાટિકાથી ધોરણ-5 સુધીના વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે. સર્વે બાદ એક સપ્તાહમાં બાહ્ય મૂલ્યાંકન (Third Party Assessment) પણ કરવામાં આવશે, જેથી સર્વેના પરિણામોની ચકાસણી થઈ શકે. ગેરહાજર બાળક પણ ‘બાકાત’ નહીં રહે સર્વેના દિવસે કોઈ વિદ્યાર્થી ગેરહાજર હોય તો તેની કામગીરી ત્યાં અટકશે નહીં. વિદ્યાર્થી શાળામાં હાજર થાય ત્યારે તેનું મૂલ્યાંકન કરવું ફરજિયાત રહેશે. મુખ્ય સવાલ: સર્વે પછી શું? વિદ્યાર્થીઓનું સ્તર માપવા માટે સર્વે કરવો એ એક બાબત છે, પરંતુ સર્વેમાં નબળા પરિણામો સામે આવ્યા બાદ સરકાર અને શિક્ષણ વિભાગ શું સુધારાત્મક પગલાં લેશે? તે વધુ મહત્વનો પ્રશ્ન છે. કારણ કે માત્ર બેઝલાઇન સર્વે, રિપોર્ટ અને થર્ડ પાર્ટી એસેસમેન્ટથી શિક્ષણની ગુણવત્તા સુધરવાની નથી. વર્ગખંડમાં શિક્ષકને પૂરતો સમય, યોગ્ય શૈક્ષણિક વાતાવરણ, જરૂરી સાધનો અને વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપવાની તક મળે તે જરૂરી છે. શિક્ષકો શિક્ષણ સિવાયની વિવિધ સરકારી કામગીરીમાં જોડાતા હોવાની ચર્ચા વચ્ચે હવે સરકાર દ્વારા આ પ્રકારના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જો સરકારને બાળકોના પાયાના શિક્ષણ અંગે ફરીથી સર્વે કરવાની જરૂર પડી રહી છે, તો અત્યાર સુધીની શિક્ષણ વ્યવસ્થાના પરિણામો અંગે પણ આત્મમંથન કરવાની જરૂર છે કે નહીં—તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહિલા ડોક્ટરના દીકરાનું સ્કૂલ બહારથી અપહરણ, 72 કલાકથી ભાળ નહીં:બિલ્ડર પતિ 3.5 વર્ષના પુત્રને લઈ ફરાર, મુંબઇમાં ક્રેડિટ કાર્ટથી શોપિંગ કરતા સુરત પોલીસની ટીમ રવાના
    Next Article
    મોરબીમાં ભારે વરસાદ વચ્ચે બીમાર વૃદ્ધ પાણીમાં ફસાયા:પોલીસ અને સ્થાનિકોએ ખાટલામાં સુવડાવી ખભા પર બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment