Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીનિયસ સ્કૂલના બાળકોએ પાળીયાદ ગૌશાળાની મુલાકાત લીધી:બાલવાટિકાથી ધોરણ 4ના વિદ્યાર્થીઓને ગૌસેવા-સંસ્કૃતિનું જ્ઞાન અપાયું

    15 hours ago

    જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલના બાલવાટિકા અને ધોરણ 1થી 4ના વિદ્યાર્થીઓએ પ્રસિદ્ધ યાત્રાધામ પાળીયાદ સ્થિત ગૌશાળાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, જીવદયા અને ગૌ-સેવા પ્રત્યેના મૂલ્યોનું સિંચન કરવાનો હતો. મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ ગૌશાળામાં ગાયોની માવજત, તેમના ખોરાક (ઘાસચારો) અને સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવામાં આવે છે તેની વિગતવાર માહિતી મેળવી હતી. ગૌશાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ગાયના દૂધની ગુણવત્તા તેમજ ગૌમૂત્ર અને છાણમાંથી બનતી વિવિધ બનાવટો અને તેના આર્યુવેદિક મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ગાયોને ઘાસચારો ખવડાવવાનો અનુભવ મેળવ્યો હતો અને અબોલ જીવો પ્રત્યે કરુણા દાખવવાની પ્રેરણા લીધી હતી. આ પ્રકારની શૈક્ષણિક મુલાકાતો બાળકોને આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડી રાખવા માટે અનિવાર્ય છે, જે સેવાભાવના અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વધારવામાં મદદરૂપ થાય છે. આ શૈક્ષણિક પ્રવાસમાં સંસ્થાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ગૌશાળાના સ્વયંસેવકોએ વિદ્યાર્થીઓને સંપૂર્ણ પરિસરની મુલાકાત કરાવી હતી અને તેનું મહત્વ સમજાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઈડરના ડુંગર પર લાગેલી આગ 12 કલાકે બુઝાઈ:27 હજાર લીટર પાણીનો ઉપયોગ, વન્યજીવો પર ખતરો
    Next Article
    તન્વી બ્લોચની કુસ્તીમાં વિજયકૂચ:ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ માટે પસંદગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment