Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધ્યપ્રદેશના કુનો બાદ હવે ગુજરાત બનશે બીજું ‘ચિત્તા સ્ટેટ’:બન્નીના મેદાનોમાં જુલાઈ-ઓગસ્ટમાં 4 આફ્રિકન ચિત્તાનો પુન : ગૃહપ્રવેશ

    4 days ago

    કચ્છમાં અંતે 154 વર્ષ બાદ જયારે ગુજરાતમાં 86 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી થશે. શરૂઆતમાં વર્ષ 2024ના અંત સુધીમાં ત્યારબાદ 2025ની ડેડલાઈન અપાઈ હતી. પરંતુ કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા આ સમયરેખા લંબાતી ગઈ હતી. હવે બે વર્ષ બાદ કચ્છની ધરતી પર ચિત્તા પગ મૂકશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીએ કચ્છના બન્ની ઘાસિયા મેદાનોમાં ચાર આફ્રિકન ચિત્તાઓને વસાવવાની મંજૂરી આપી દીધી છે. તાજેતરમાં NTCA ટીમ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ બે દિવસીય મુલાકાત પણ કરી ગઈ છે, ત્યારબાદ આગામી જુલાઈ અથવા ઓગસ્ટ મહિના સુધીમાં બે નર અને બે માદા ચિત્તાની જોડી કેન્યાથી સીધી બન્નીના ઘાસીયા મેદાનમાં લાવવામાં આવશે. ભારતમાંથી 1952માં ચિત્તા લુપ્ત થયા બાદ મધ્યપ્રદેશના કુનો બાદ ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આ ફાસ્ટેસ્ટ લેન્ડ એનિમલનું પુનઃવસન કરવામાં આવશે. તો ચિત્તાને કેન્યાથી કાર્ગો પ્લેનમાં ભુજ અને બન્ની બાય રોડ લઇ જવામાં આવશે કેન્યાના વન્યજીવન નિષ્ણાતો અને ભારતીય અધિકારીઓ વચ્ચે થયેલી સમજૂતી મુજબ આ ચિત્તાઓને ખાસ કાર્ગો વિમાન દ્વારા પહેલા ભુજ લાવવામાં આવશે અને ત્યાંથી તેમને રોડ માર્ગે બન્ની વિસ્તારમાં લઈ જવામાં આવશે. કચ્છનો બન્ની વિસ્તાર તેના વિશાળ ઘાસિયા મેદાનો માટે જાણીતો છે, જે ભૌગોલિક દ્રષ્ટિએ કેન્યાના સવાના જંગલો સાથે ઘણી સમાનતા ધરાવે છે. ચિત્તાઓને ખુલ્લા મેદાનમાં ઝડપથી દોડવા અને શિકાર કરવા માટે આવી જ જમીનની જરૂર હોય છે, તેથી જ નિષ્ણાતોએ આ વિસ્તારને સર્વોત્તમ પસંદગી ગણાવી છે. દિલ્હી સ્થિત ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, બીજી શક્યતા એવી છે કે કુનોમાંથી જ કચ્છને ચિત્તા આપવામાં આવે. 20 કરોડનો પ્રોજેક્ટ : 5 હજાર હેક્ટરમાં ઘાસનું વાવેતર થશે, 6300 હેક્ટરમાં ગાંડો બાવળ દૂર પ્રોજેક્ટના બીજા તબક્કામાં એક વર્ષની અંદર વધુ ચિત્તા લાવવાનું આયોજન છે, જેથી બન્નીમાં ચિત્તાઓની કુલ સંખ્યા 12 સુધી પહોંચી શકે. ચિત્તાઓના પુનર્વસન માટે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર પ્રોજેક્ટ માટે 20 કરોડ ફાળવવામાં આવ્યા છે. બન્ની ઘાસના મેદાનોમાં, ચિત્તાઓના નિવાસસ્થાનને સુધારવા માટે આવતા વર્ષે 5 હજાર હેક્ટરમાં ઘાસ વાવવામાં આવશે.આ પ્રોજેક્ટ હેઠળ, રાજ્ય સરકાર આક્રમક વનસ્પતિ પ્રજાતિ ગાંડા બાવળના ફેલાવાથી પ્રભાવિત ઘાસના મેદાનોના ઇકોલોજીકલ પુનઃસ્થાપન પર કામ કરી રહી છે, જે લગભગ 6300 હેક્ટર જમીનમાંથી દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બન્નીમાં ચિત્તા લાવવા માટે જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પશુ ડોક્ટરની ભરતી સાથે અહીં સિક્યુરિટી ગાર્ડ સહિતની વ્યવસ્થા કરાશે. બન્નીમાં કેવી છે તૈયારીઓ? 4 મીટરની ઊંચાઈવાળા એન્ક્લોઝરમાં ચિત્તા પર વનવિભાગનો સ્ટાફ સતત નજર રાખશે. ભગાડિયા વિસ્તારમાં આ ચિત્તા બ્રીડિંગ સેન્ટરમાં પાંજરાની અંદર ઊછરશે. ખાસ કરી ચિત્તા માટે પાણીના પોઇન્ટ, વનતળાવ, આર્ટિફિશિયલ શેડ, ચિત્તાને બેસી અને નિરીક્ષણ કરવા માટે માઉન્ટ એટલે ટેકરો સહીત સુવિધાઓ ઉભી કરાઈ છે. રાઉન્ડ ધ ક્લિક સીસીટીવી મોનીટરીંગ પણ કરવામાં આવશે. 500 હેક્ટરનું એન્ક્લોઝર, મહિના સુધી ચિત્તા ક્વોરેન્ટાઇન ગુજરાત વનવિભાગ અંતર્ગત આવતા બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન વન વિભાગે આ માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. બન્નીમાં આશરે 500 હેક્ટર જેટલા વિસ્તારમાં ખાસ સુરક્ષિત એન્ક્લોઝર તૈયાર કરાયું છે, જેની ફરતે આશરે 10 કિલોમીટર લાંબી લોખંડની જાળી વાળી વાડ બનાવાઈ છે. આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે જેથી બહારના હિંસક પ્રાણીઓ ચિત્તાના વિસ્તારમાં ઘૂસી ન શકે અને ચિત્તાઓ પણ સુરક્ષિત રીતે નવા વાતાવરણમાં અનુકૂલન સાધી શકે. શરૂઆતના એક મહિના સુધી આ ચારેય ચિત્તાઓને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે અને ટીમ તેમના સ્વાસ્થ્ય અને વર્તન પર 24 કલાક નજર રાખશે.
    Click here to Read More
    Previous Article
    કરૂણાંતિકા:ભચાઉ અને મોડવદરમાં વીજ આંચકો લાગતા 2 યુવકના અકાળ મોત નિપજ્યા
    Next Article
    વાતાવરણ:43.4 ડિગ્રી સાથે સિઝનનો હોટેસ્ટ ડે, કાલે 44 ડિગ્રી થવાની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment