Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 વિરુદ્ધ ફરિયાદ‎:મનરેગાના કામમાં અરજી કરી ખોટા નામ લખાવવાની બાબતે ઠપકો આપતાં ઝઘડો

    15 hours ago

    હિંમતનગરના ગોકલપુરા (ઢુંઢર) ગામે મનરેગા યોજનાના કામમાં અરજી કરી ખોટા નામ લખાવવા બાબતે ઠપકો આપતાં 4 શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સુભાષસિંહ હિંમતસિંહ મકવાણા ગામમાં મનરેગા રાહત કામમાં મજૂરોની હાજરી અને દેખરેખની કામગીરી કરે છે. ગત 4 મેના રોજ આરોપી પરબતસિંહ વક્તુસિંહ મકવાણાએ કલેક્ટર કચેરીમાં મનરેગા બાબતે કરેલી અરજીમાં સુભાષસિંહ સહિત અન્ય ગ્રામજનોના ખોટા નામ સામાવાળા તરીકે લખાવ્યા હોવાની જાણ થતાં સુભાષસિંહ અન્ય લોકો સાથે પરબતસિંહને આ અંગે ઠપકો આપવા ગયા હતા. તે દરમિયાન પરબતસિંહે ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળો બોલી સુભાષસિંહને ધક્કો મારી નીચે પાડી ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝઘડામાં પરબતસિંહની પત્ની ગંગાબેન, પુત્રી સોનલબેન અને ભત્રીજા મુકેશસિંહે પણ જોડાઈને ગાળાગાળી કરી હતી અને જો મનરેગાના કામમાં લાભ નહીં આપો તો જીવતા નહીં રહેવા દઈએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરબતસિંહે પોતાનું બાઇક જાતે તોડી નાખી પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી હતી. ગાંભોઇ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આત્મનિર્ભરતા:નક્સલવાદના ગઢમાં પાટણના માર્ગદર્શકે 1500 આદિવાસી યુવાનોને સ્ટાર્ટઅપનો મંત્ર આપ્યો
    Next Article
    ચકચાર:હિંમતનગરના ખેડાવાડામાં પાડોશીનો યુવક પર તલવાર વડે હિચકારો હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment