Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર:ખ્ય માર્ગો પર પાણી ભરાયા, રેલવે ગરનાળું બંધ; ધારાસભ્ય ટ્રેક્ટર લઈને લોકોની મદદે પહોંચ્યા

    4 days ago

    હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. છેલ્લા માત્ર 4 કલાક દરમિયાન પાટણ શહેરમાં 2.91 ઇંચ (74 મિમી) વરસાદ નોંધાયો હતો, જ્યારે સિદ્ધપુરમાં 2.56 ઇંચ (65 મિમી) અને સરસ્વતી તાલુકામાં 1.81 ઇંચ (46 મિમી) વરસાદ વરસ્યો હતો. ઉપરાંત છેલ્લા 2 કલાકમાં સાંતલપુરમાં 0.98 ઇંચ (25 મિમી), રાધનપુરમાં 0.94 ઇંચ (24 મિમી), સમીમાં 0.31 ઇંચ (8 મિમી), હારીજમાં 0.24 ઇંચ (6 મિમી), શંખેશ્વરમાં 0.16 ઇંચ (4 મિમી) અને ચાણસ્મામાં 0.12 ઇંચ (3 મિમી) વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. શહેરમાં સર્જાઈ જળબંબાકાર સ્થિતિ બપોર બાદ પાટણ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા દિવસ દરમિયાન જ સાંજ જેવો અંધકાર છવાઈ ગયો હતો. ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો અને રહેણાંક સોસાયટીઓમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક સ્થળોએ કમર અને ઢીંચણસમા પાણી ભરાતા લોકોની અવરજવર પ્રભાવિત થઈ હતી અને શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન રેલવે ગરનાળામાં ભારે પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. ગરનાળાથી આનંદ સરોવર તરફ જતાં બી.એમ. હાઈસ્કૂલ રોડ પર કમર સુધી પાણી ભરાતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. પરિણામે સ્થાનિક રહેવાસીઓને હાઇવે તરફથી લાંબો ફેરો મારીને અવરજવર કરવી પડી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ બી ડિવિઝન પોલીસે સિદ્ધપુર ચોકડી પાસે બેરિકેટિંગ કરીને ગરનાળા તરફ જતો માર્ગ પાણી ઓસર્યા સુધી બંધ કરી દીધો હતો. મુખ્ય માર્ગો અને બજારોમાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા ભારે વરસાદને કારણે હાઇવે વિસ્તારની સિદ્ધપુર ચોકડી, આસપાસના બંને કોમ્પ્લેક્સ તેમજ તિરૂપતિ માર્કેટ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત પદ્મનાભ વિસ્તાર, પદ્મનાભ ચોકડીથી યશધામ સુધીનો રોડ, મીરા દરવાજા રોડ, ગાયત્રી મંદિર રોડ, કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલ રોડ, લીલીવાડી રોડ, સુદામા ચોકડી, છીડિયા ચોક અને પારેવા સર્કલથી ખાલકશાપીર રોડ સુધીના વિસ્તારોમાં પણ પાણી ભરાતા અનેક માર્ગો બંધ થઈ ગયા હતા. પરિણામે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા આનંદ સરોવર પાછળ આવેલી ચિત્રકૂટ, યોગેશ્વર પાર્ક, શ્રીનગર સહિતની દસ જેટલી સોસાયટીઓના મુખ્ય માર્ગો અને કેમ્પસ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી કર્મભૂમિ સોસાયટી અને ત્રિભોવન પાર્ક વિસ્તારમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. સોનીવાડા વિસ્તારની કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાનની ભીતિ ઉભી થઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ પાલિકા તંત્રને જાણ કરી હોવા છતાં તાત્કાલિક પાણી નિકાલની અસરકારક વ્યવસ્થા ન થતાં લોકોમાં ચિંતા અને અસંતોષ જોવા મળ્યો હતો. ધારાસભ્ય ટ્રેક્ટર લઈને લોકોની મદદે પહોંચ્યા શહેરમાં સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ વચ્ચે પાટણના ધારાસભ્ય જાતે ટ્રેક્ટર લઈને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે પાણી ભરાયેલા વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને બી.એમ. હાઈસ્કૂલ નજીક વરસાદી પાણીમાં બંધ પડી ગયેલી એક વાનને પોતાના ટ્રેક્ટરની મદદથી ખેંચીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં સહાય કરી હતી. ધારાસભ્યની આ કામગીરી સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની હતી. જુઓ પાટણમાં વરસાદથી જળબંબાકારની તસવીરો:
    Click here to Read More
    Previous Article
    કાશ્મીરમાં છત્તીસગઢના હિંદુ મજૂરોની નામ પૂછીને હત્યા:લશ્કર આતંકવાદી પર શંકા; અનંતનાગમાં કોન્સ્ટેબલની હત્યામાં પણ તેનું નામ આવ્યું હતું
    Next Article
    રાજસ્થળી હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ:ચાર વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના રાજસ્થળી ગામે થયેલી આધેડની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને ભાવનગર અદાલતે આજીવન કેદની સજા ફટકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment