Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરૂણાંતિકા:જામનગર-રાજકોટ ધોરીમાર્ગ રક્તરંજીત થયા અકસ્માતના ત્રણ બનાવમાં 4ના મોત, 2ને ઈજા

    14 hours ago

    જામનગર-રાજકોટ હાઈવે ઉપર અકસ્માતના ત્રણ બનાવમાં એક મહિલા સહિત ચારના કમકમાટી ભર્યા મોત નિપજતાં પરિવારોમાં શોક વ્યાપી ગયા છે, અને બે યુવાનોને ઈજા પહોંચતા સારવારમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલકો સામે ગુનાઓ નોંધીને શોધખોળ આરંભી છે. જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતો પ્રવિણભાઈ સોમાભાઈ ડામોર (ઉ.વ.27) નામના યુવાન પિતાથી અલગ રહેતા હોય, અને તેમના પિતા સોમાભાઈ ડામોર (ઉ.વ52) અને તેમના કૌટુંબિક કાકી લીલાબેન રમેશભાઈ ડામોર (ઉ.વ.38) નામના મોટર સાયકલ લઈને ગત તા.24ના રાત્રીના રાજકોટ તરફથી જામનગર બાજુ આવતા હોય અને ધ્રોલ નજીક રાધે રેસીડેન્સી પાસે પહોંચતા પાછળથી આવતી ઈકો કારના ચાલકના ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં લીલાબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે સોમાભાઈને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટુંકી સારવારમાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પુત્રને જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને મૃતદેહોનો કબજો સંભાળીને પોતાના વતનમાં લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી. ધ્રોલ પોલીસે ઇકો કાર ચાલક સામે ગુનો નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરી છે. શહેરના ખંભાળિયા નાકા સેતાવાડ ચોકમાં રહેતા મુળ મીઠાપુરના વતની હૈદર હુશેનસૈયદ બુખારીનો નાનોભાઈ મોઈનુદીન (ઉ.વ.20) નામના યુવાન ગત તા.25ના રાત્રના સાડા બારેક વાગ્ય તેમના મિત્ર સાથે જામનગર-રાજકોટ હાઈવે ઓવરબ્રીજ પરથી મોટર સાયકલ લઈને પસાર થતા હતા. ત્યારે સામેથી આવતા બાઈક ચાલકે યુવાનના બાઈક સાથે અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોઈનુદીનને શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા યુવાનને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જે અંગેની મૃતકના ભાઈ હૈદર બુખારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પીએસઆઈ એચ.વી.રોયલાએ મૃતદેહનો કબજો સંભાળીને પીએમ મોકલી દીધો હતો. જામનગર-રાજકોટ હાઈવે લાલપુર ચોકડીથી ઠેબા ચોકડી તરફ જતા વિરેન્દ્રસિંઘ હરભજનસિંઘ શીખ (ઉ.વ.35) નામના યુવાન મોટર સાયકલ લઈને જતા હતા. ત્યારે અજાણ્યા કાર ચાલકે પાછળથી ઠોકર મારતા યુવાનને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. જ઼યારે તેમની સાથે રહેતા રાજવિન્દરને માથાના ભાગે ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જે અંગેની મૃતકના ભાઈ નરવેલસિંઘ હરભજનસિંઘએ પોલીસમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ભુજનું 450 વર્ષ જૂનું રઘુનાથજી મંદિર:રઘુનાથજી મંદિર શહેરની સ્થાપના સમય જેટલું જ જૂનું
    Next Article
    '5 વર્ષ પહેલાં UCC હોત તો મારી દીકરી જીવતી હોત':હસતા મોંઢે આપઘાત કરનારી આયશાના પિતા ભાવુક થયા, કહ્યું- હવે કોઇ 4 નિકાહનો શિકાર નહીં બને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment