Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:આણંદમાં ગીરવે મુકેલા દાગીના બાબતે યુવકને સાઢુ સહિત 4 વ્યક્તિએ માર માર્યો

    19 hours ago

    આણંદ શહેરમાં મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે આવેલા ફ્લેટમાં રહેતા યુવકે પોતાની પત્નીના ગીરવે મુકેલા દાગીના બાબતે વાતચીત કરવા માટે પોતાના સાઢુને ઘરે બોલાવી મિત્ર, સાળા અને સાસુ સાથે મળી માર માર્યાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે. આણંદ તાલુકાના લાંભવેલ રહેતા નૈમિતકુમાર શૈલેષભાઈને નાણાંની જરૂર પડતા તેઓના પત્ની પારૂલબેને પોતાની બહેન શીતલબેનની સહમતિથી બહેનનાદાગીના ગીરવે મૂક્યા હતા. અને આ બાબતની વાત નૈમિતકુમારના સાસુ લાંભેવેલ ગામે રહેતા જશોદાબેન હસમુખભાઈ વસાવાને થતાં જશોદાબેન જમાઈ નૈમિતકુમારને દાગીના છોડાવી લેવાનું જણાવતા નૈમિતકુમારે હાલમાં પોતાને દેવું થઈ ગયું હોવાથી ધીરે ધીરે કરીને દાગીના છોડાવી પરત આપી દઈશ તેમ જણાવ્યું હતું. ગત તા 6 ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગે સાસુ જસોદાબેન વસાવાએ નૈમિતકુમારને સાઢુ નિલેશભાઈ હરીશભાઈ સોલંકીના ઘરે દાગીના બાબતે વાતચીત કરવા બોલાવ્યા હતા ત્યારે ત્યાં નિલેશકુમાર ઉપરાંત તેઓના મિત્ર સામી મોહસીનભાઈ વ્હોરા(રહે. આણંદ ) સાસુ જસોદાબેન હસમુખભાઈ વસાવા અને સાળો શીરીષભાઈ હસમુખભાઈ વસાવા(બંને રહે. લાંભવેલ) પણ હાજર હતા. અને દાગીના છોડાવવા બાબતે વાતચીત કરી નૈમિતકુમારને ચારેય જણાએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.આ બનાવ અંગે નૈમિતકુમાર શૈલેષભાઈની ફરિયાદ લઇ આણંદ શહેર પોલીસે નિલેશભાઈ હરીશભાઈ સોલંકી સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હાઇવે ઉપર પડ્યા મસમોટા ખાડા:ચાણસ્મામાં ગંજ બજાર પાસે 1 વર્ષ પૂર્વે બનેલો હાઇવે બિસમાર
    Next Article
    સ્વાસ્થ્ય સાથે ચેડાં:બાકરોલ દૂધ મંડળીમાં 6 સભાસદોના દૂધમાં ભેળસેળ મળતાં લેવાનું બંધ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment