Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, 36ને રીપિટ કરાયા:દેવાંગ દાણી અને ધરમશી દેસાઈને ટિકિટ, પ્રીતીશ મહેતા, વિરલ વ્યાસ સહિતના પતા કપાયા; જુઓ સંપૂર્ણ યાદી

    19 hours ago

    અમદાવાદ મહાનગરપાલિકામાં ઉમેદવારોની યાદીને લઈને અનેક અસમંજસ અને સસ્પેન્સ બાદ ગુજરાત ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 160 પૂર્વ કોર્પોરેટરોમાંથી 36 કોર્પોરેટરોને રીપિટ કરાયા છે. સાબરમતીથી ખુશી પરમાર અને નવા વાડજ વોર્ડમાં નિધિ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણી અને AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈને ટિકિટ અપાઈ છે. ફરી હિતેશ બારોટ પર ભાજપે ભરોસો રાખ્યો તાજેતરમાં જ વિવાદમાં રહેલા સૈજપુર બોઘાના કોર્પોરેટર રહી ચૂકેલા વિનોદાકુમારી ચૌધરીને ફરીથી રીપિટ કરવામાં આવ્યા છે. થલતેજ વોર્ડમાંથી સામાન્ય સીટ ઉપરથી OBC જ્ઞાતિમાંથી આવતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટને રીપિટ કરવામાં આવ્યા છે. પ્રીતીશ મહેતા, જૈનિક વકીલ, રાણીપ વોર્ડમાંથી વિરલ વ્યાસ સહિતના પતા કપાયા અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી ચર્ચાસ્પદ નામ એવા પાલડી વોર્ડમાંથી પ્રીતીશ મહેતા, જૈનિક વકીલ, રાણીપ વોર્ડમાંથી વિરલ વ્યાસ, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાંથી પ્રદીપ દવે અને મુકેશ મિસ્ત્રી, સરદાર નગર વોર્ડમાંથી સન્ની ખાન ચંદાણી જેવા યુવા અને અનુભવી કોર્પોરેટરોને ઉમેદવાર તરીકે કાપી નાખવામાં આવ્યા છે. શહેર ભાજપ મહામંત્રી રહેલા જશુભાઈ ઠાકોરને શાહીબાગ વોર્ડના ઉમેદવાર તાજેતરમાં જ શહેર સંગઠનના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેર ભાજપ મહામંત્રી રહેલા જશુભાઈ ઠાકોરને શાહીબાગ વોર્ડમાંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અમદવાદ શહેરના ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામેલા પ્રવીણ અંબાલાલ પટેલને ઘાટલોડીયામાંથી જ્યારે અનસુયાબેન પટેલને અસારવામાંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શહેર સંગઠનમાં વોર્ડ પ્રમુખ તરીકે રહેલા વિરાટ પુરોહિત, શાહીબાગમાંથી ગિરીશ વણઝારાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. માલધારી સમાજના ઉમેદવારને ટિકિટ ના અપાતા વિવાદ થઈ શકે ભાજપે અમદાવાદ મનપાના 192 જેટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ગોતા વોર્ડમાં સૌથી વધારે 20 હજાર જેટલા માલધારી હોવા છતાં પણ ભાજપ દ્વારા એક પણ માલધારી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. જેને લઈને આજે 11 એપ્રિલના અમદાવાદ શહેર ભાજપમાં માલધારી સમાજને ટિકિટના આપવાને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવી શકે છે. વિવાદ થતાં છેલ્લી ઘડીએ પરાગ નાઈક અને કરણ ભટ્ટનું નામ રદ કરાયું ગોતા વોર્ડમાં વધારે માલધારી હોવા છતાં પણ ટિકિટના આપવામાં આવતા હવે કોંગ્રેસ માલધારી સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. ખોખરા વોર્ડમાંથી ભાજપના ઉમેદવાર તરીકે પરાગ નાઈકનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું. જોકે પરાગ નાઈકના નામનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઇને છેલ્લી ઘડીએ નામ બદલી નાખવામાં આવ્યું હતું. મણીનગર વોર્ડમાંથી કરણ ભટ્ટનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું. પરંતુ વિવાદોને ધ્યાનમાં રાખી અને કરણ ભટ્ટનું નામ પણ છેલ્લી ઘડીએ રદ કરી વિપુલ સેવકને ટિકિટ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દેવભૂમિ દ્વારકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026:ભાજપે જિલ્લા પંચાયતમાં 24 ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કર્યા
    Next Article
    જૂનાગઢ જિલ્લા પંચાયત ચૂંટણી 2026:ભાજપે 30માંથી 28 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment