Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહાર:વિક્રમશીલા પુલનો 34 મીટર સ્લેબ ગંગામાં પડ્યો:16 જિલ્લાઓની કનેક્ટિવિટીને અસર; CMએ કેન્દ્ર સાથે વાત કરી, આર્મીની મદદ માંગી

    1 week ago

    બિહારના ભાગલપુરમાં 4.7 કિમી લાંબા વિક્રમશીલા પુલનો 34 મીટરનો સ્લેબ રવિવારે મોડી રાત્રે ગંગા નદીમાં તૂટી પડ્યો. રાહતની વાત એ રહી કે પ્રશાસને અગાઉથી જ ટ્રાફિક રોકી દીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. આ ઘટનાથી સીમાંચલ સહિત લગભગ 16 જિલ્લાઓની કનેક્ટિવિટીને અસર થઈ છે અને રોજિંદા લગભગ 1 લાખ લોકોની અવરજવર પર અસર પડી છે. છેલ્લા 10 વર્ષમાં આ પુલનું ત્રણ વખત સમારકામ થઈ ચૂક્યું છે, અને હાલમાં માર્ચ 2026માં પણ રિપેર વર્ક થયું હતું. બેદરકારીને લઈને માર્ગ નિર્માણ વિભાગે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે. બિહાર રાજ્ય પુલ નિગમ લિમિટેડના અધ્યક્ષ ડો. ચંદ્રશેખરે જણાવ્યું, 'ભાગલપુર પોલીસ પ્રશાસન, જિલ્લા પ્રશાસનની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી છે. જો સમયસર પોલીસ પ્રશાસન સતર્ક ન હોત તો ઘણા લોકોના જાનમાલને નુકસાન થાત. DPR બનાવીને અમે લોકોએ મેન્ટેનન્સ માટે મોકલ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રક્ષા મંત્રી સાથે વાત કરી છે. પુલના સમારકામના કામમાં આર્મીની મદદ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હવે ક્રમબદ્ધ રીતે જાણો સંપૂર્ણ ઘટનાક્રમ… પહેલા ગેપ વધ્યો પછી પુલ ધસી પડ્યો જણાવવામાં આવી રહ્યું છે કે સાંજે પહેલા 10 ઇંચનો જોઇન્ટ સસ્પેન્શન ધસી પડ્યો. આ પછી મોડી રાત્રે એક સ્લેબ ગંગામાં સમાઈ ગયો. તે સમયે પુલ પર વાહનોની લાંબી લાઈન લાગી હતી. જોકે, પોલીસની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ. પુલ નિગમના અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. DM ડૉ. નવલ કિશોર ચૌધરીએ જણાવ્યું, રવિવારની રાત્રે 12.35 વાગ્યાથી સ્લેબ ધસવાનું શરૂ થઈ ગયું. તે પહેલા જ વાહનોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ સાવચેતીના કારણે કોઈ દુર્ઘટના થઈ ન હતી. પુલના સમારકામ માટે ટૂંક સમયમાં હાઈ લેવલ કમિટી અહીં આવશે. આ પહેલા આવેલી કમિટીએ પુલની તપાસ કરી હતી. તેને પુલની સ્થિતિ વિશે જિલ્લા પ્રશાસને સંપૂર્ણ માહિતી આપી હતી. ટ્રાફિક DSP સંજય કુમારે જણાવ્યું, જેવી સ્ટ્રીટ લાઇટ પોલ નંબર 133 પાસે એક્સપાન્શન જોઈન્ટના ગેપ વધવાની સૂચના મળી, બંને તરફથી વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી હતી. પુલની બંને બાજુ બેરિકેડિંગ કરવામાં આવ્યું સિટી DSP-1 અજય ચૌધરીએ જણાવ્યું કે, પુલ પાસે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. વાહનોને મુંગેર પુલ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. નવગછિયા અને ભાગલપુર બંને તરફ પોલીસ તહેનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટનાને રોકી શકાય. નેશનલ હાઈવેના SDO સુધીર કુમારે કહ્યું કે, નવો સ્લેબ બનાવીને ચઢાવવામાં ઓછામાં ઓછા 15 દિવસ લાગશે. સીમાંચલ સહિત 16 જિલ્લાઓને ભાગલપુર સાથે જોડે છે આ પુલ વિક્રમશીલા સેતુ પર દરરોજ લગભગ એક લાખ લોકોની અવરજવર થાય છે. લગભગ 50 હજારથી વધુ નાના-મોટા વાહનો આ પુલ પરથી પસાર થાય છે. સીમાંચલ સહિત 16 જિલ્લાઓને આ સેતુ ભાગલપુર સાથે જોડે છે. તેનું નિર્માણ તત્કાલીન મુખ્યમંત્રી રાબડી દેવીના કાર્યકાળમાં કરાવવામાં આવ્યું હતું. પુલમાં સતત જોઈન્ટ અને એક્સપેન્શન ગેપની સમસ્યાને લઈને પહેલા પણ સવાલો ઉઠતા રહ્યા છે. છેલ્લી વાર 2020માં પુલનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા જ વોલ વાયરિંગને નુકશાન થવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે, પ્રશાસને તે સમયે તેને નકારી કાઢતા કહ્યું હતું કે પુલ પર કોઈ પ્રકારનો કોઈ જોખમ નથી. લોકો હોડીમાં બેસીને ગંગા પાર કરી રહ્યા છે પુલ બંધ થયા બાદ બરારી ઘાટ પર લોકોની ભીડ વધી ગઈ છે. નવગછિયા, બિહપુર, કટિહાર, પૂર્ણિયા તરફ જતા મુસાફરો હોડીમાં બેસીને આ પારથી પેલે પાર જઈ રહ્યા છે. હોડીમાં મુસાફરી કરી રહેલા પ્રકાશે જણાવ્યું કે ઘાટના કિનારે હોડીમાંથી ઉતરીને 5 કિલોમીટર સુધી ચાલીને જવું પડશે. સમયસર મેન્ટેનન્સ ન થવાને કારણે પુલ તૂટી પડ્યો છે. 30 દિવસ પહેલા વિક્રમશીલા સેતુના 3 પિલર્સની પ્રોટેક્શન વોલ તૂટી હતી 30 દિવસ પહેલા વિક્રમશીલા સેતુના પિલર નંબર 17, 18 અને 19ની પ્રોટેક્શન વોલ ભારે વહેણને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. એક પિલરની પ્રોટેક્શન વોલ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ હતી. તે સમયે એન્જિનિયરોએ કહ્યું હતું કે, ગંગા નદીના ભારે વહેણ, મોટા જહાજો અને ભારે હોડીઓની અવરજવરને કારણે પિલરો પર સતત દબાણ રહે છે. આ સ્થિતિમાં પ્રોટેક્શન વોલ ક્ષતિગ્રસ્ત થઈ છે. તેની અસર પિલરો પર પડશે. પૂરના સમયે આ દબાણ વધુ વધી જાય છે, જેનાથી જોખમ અનેક ગણું વધી શકે છે. આ પહેલા પણ વિક્રમશીલા સેતુના અલગ-અલગ સ્પાન વચ્ચે એક્સપાન્શન જોઈન્ટનું અંતર વધવાનો મામલો સામે આવ્યો હતો. આ અંતર 1 થી 2 ઇંચ હતું, જે વધીને લગભગ 6 ઇંચ સુધી પહોંચી ગયું હતું. 2001માં થયું હતું ઉદ્ઘાટન, 4.7 કિમી લાંબો છે પુલ
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુમાં વિજયની બ્લોકબસ્ટર એન્ટ્રી:TVK 100ને પાર, DMKને પછડાટ: કાર્યકરોએ પાર્ટી કાર્યાલયમાંથી LED ડિસ્પ્લે હટાવ્યા, ટેન્ટ સમેટી લીધા
    Next Article
    ધો-12 સાયન્સનું 84.33% ને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ:વિદ્યાર્થિનીઓએ બાજી મારી, ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર; વોટ્સએપ પર મેળવો 4 સ્ટેપ્સમાં માર્કશીટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment