Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં 33મી જગન્નાથ રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન:સંતો, આગેવાનોની હાજરીમાં અષાઢી બીજની રથયાત્રાની તૈયારીઓ શરૂ

    13 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજના પાવન અવસરે યોજાતી આ રથયાત્રા છેલ્લા 32 વર્ષથી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવે છે. રાજ્યમાં ત્રીજા ક્રમે યોજાતી આ રથયાત્રા ધાર્મિક આસ્થા અને લોકભાગીદારીનું પ્રતીક બની છે. આગામી અષાઢી બીજના રોજ યોજાનારી 33મી રથયાત્રાના આયોજનના ભાગરૂપે, 1 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સંતો, મહંતો અને વિવિધ આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યાલયનો શુભારંભ કર્યો. આ પ્રસંગે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ. પી. સ્વામી, સંતો-મહંતો, મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ ખાચર, જયરાજભાઈ પટગીર, સંજયભાઈ ઠાકર, મોહનભાઈ ડવ, મીત ડાંગર, મુકેશભાઈ હિહોરીયા, સુરેશભાઈ ડવ, અર્જુન રાજ્યગુરુ, અધિકારીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ સાથે રથયાત્રાની આયોજનાત્મક કામગીરીને વેગ મળશે. રથયાત્રાને સુવ્યવસ્થિત અને ભવ્ય બનાવવા માટે સમિતિ દ્વારા સેવાકીય વ્યવસ્થા, સુરક્ષા, શણગાર અને અન્ય જરૂરી તૈયારીઓ સહિતના વિવિધ આયોજનો હાથ ધરવામાં આવશે, એમ રથયાત્રા સમિતિના પ્રમુખ ચન્દ્રકાંતભાઈ લાઠીગરાએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    India vs England Live Score, 1st T20: Abhishek Sharma departs for IND vs ENG in Riverside Ground
    Next Article
    Ground Report | મેઘરાજાએ બોલાવી ધમાચકડી | તાતની તરસ | Rain Forecast | Monsoon | Weather Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment