Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેક્સ વ્યાજ માફી યોજના 31 માર્ચે સમાપ્ત થશે:જામનગર મનપા કમિશનરે લાભ લેવા અપીલ કરી

    8 hours ago

    જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ તબક્કામાં કરદાતાઓ માટે ખાસ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. બાકી પ્રોપર્ટી ટેક્સ ધરાવતા નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે, જેનો લાભ 31 માર્ચ, 2026 સુધી લઈ શકાશે. આ યોજનાને નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં આશરે 19,549 કરદાતાઓએ યોજનાનો લાભ લીધો છે. આ અંતર્ગત નાગરિકોને અંદાજે રૂ. 11.89 કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાને પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ. 151.76 કરોડ અને વોટર વર્ક્સ પેટે રૂ. 16.67 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. મનપાના આંકડા મુજબ, હજુ પણ અંદાજે 1.90 લાખ કરદાતાઓનો પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે. આ તમામ કરદાતાઓને વ્યાજમાં રાહત મેળવવા અને ભવિષ્યની દંડનીય કાર્યવાહી કે અગવડતાથી બચવા માટે ટેક્સ ભરી દેવા તાકીદ કરવામાં આવી છે. ટેક્સ ભરવાની અંતિમ તારીખ 31મી માર્ચ, 2026 છે, જે રાત્રે 12:00 વાગ્યા સુધી રહેશે. કરદાતાઓ પોતાની અનુકૂળતા મુજબ મહાનગરપાલિકાની કચેરી, વિવિધ સિવિક સેન્ટરો અથવા ઓનલાઇન માધ્યમથી ટેક્સ ભરી શકે છે. મહાનગરપાલિકા દ્વારા તમામ નગરજનોને અપીલ કરવામાં આવી છે કે, છેલ્લા દિવસની ભીડથી બચવા અને વ્યાજ માફીનો મહત્તમ લાભ લેવા માટે વહેલી તકે પોતાનો બાકી ટેક્સ ચૂકવી દેવો.
    Click here to Read More
    Previous Article
    Karnataka 1st PUC Result 2026 to be declared on March 31 at 10 am
    Next Article
    PM કિસાન સન્માન નિધિના ₹2000 મુદ્દે પરિણીતાનો આપઘાત:પંચમહાલના બોરડીમાં ખેતરમાં પડેલી ઝેરી દવા પીધી, પતિ પાછળ દોડતાં કૂવામાં ઝંપલાવ્યું,સારવાર દરમિયાન મોડી રાતે મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment