Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3,05,572 NFSA રેશનકાર્ડ ધારકો નોંધાયા:રાજકોટ જિલ્લામાં 5 માસમાં 9 હજાર NFSA રેશનકાર્ડ ઘટ્યા

    1 day ago

    કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના હેઠળ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને દર મહિને નિઃશુલ્ક ઘઉં -ચોખા તેમજ રાજ્ય સરકાર દ્વારા રાહતભાવે ચણા, તુવેરદાળ, ખાંડ અને નમક સહિતની વસ્તુઓ જાહેર વિતરણ વ્યવસ્થા મારફતે વિતરણ કરવામાં આવે છે જે અન્વયે રાજકોટ જિલ્લામાં હાલ 3,05,572 NFSA રેશનકાર્ડ ધારકો નોંધાયેલ છે અને કુલ 12,23,212 જનસંખ્યાને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનો લાભ મળી રહ્યો છે. જોકે ઈ-કેવાયસી સહિતની કામગીરીને લઈ છેલ્લા પાંચ માસમાં 9 હજાર જેટલા રેશનકાર્ડ ધારકો ઘટ્યા છે. હાલમાં જિલ્લામાં ઈ-કેવાયસીની 93.67 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જિલ્લા પુરવઠા અધિકારીએ અજય ઝાંપડાના જણાવ્યા મુજબ જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ એનએફએસએ રાશનકાર્ડ ઈ- કેવાયસી કામગીરી ચાલુ છે જેમાં 3,05,572 NFSA રેશનકાર્ડ ધારકો પૈકી 3,04,711 રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસીની કામીગીરી પૂર્ણ થતા 93.67 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. બાકી રહેતા 2056 એનએફએફએ રેશનકાર્ડ ધારકોને તાત્કાલિક ઈ-કેવાયસી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં જિલ્લામાં 74645 લાભાર્થીને નિઃશુલ્ક અનાજનો લાભ અટક્યો છે ત્યારે ઈ-કેવાયસી ન કરાવનાર રેશનકાર્ડ ધારકોને નોટિસ આપ્યા બાદ નામ કમી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    SIRની કામગીરી:રાજકોટ જિલ્લામાં 2.25 લાખ મતદારને નોટિસ, દાવો કરવા આજે છેલ્લો દિવસ
    Next Article
    બાફેલા ઇંડાં ખરીદવા આવેલા યુવાને માથાકૂટ કરી:મોરબીના નવા જાંબુડિયામાં કેબિન સંચાલક પર હુમલો, ત્રણ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment