Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મલયાલમ અભિનેતા સલીમ કુમારનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન:રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો; તમિલ-ઓડિયા સહિત 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું

    6 दिन पहले

    રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારનું 56 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે શનિવારે રાત્રે નિધન થયું. તેમની તબિયત બગડ્યા બાદ કોચી (કેરળ)ની અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. રવિવારે પારાવુર ટાઉન હોલમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો. બપોરે 3 વાગ્યે એર્નાકુલમના નોર્થ પારાવુર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેરળ સરકારે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. સરકારે અંતિમ સંસ્કાર અને તેનાથી સંબંધિત તમામ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું સલીમ કુમાર મલયાલમ સિનેમાના સૌથી જાણીતા કલાકારોમાંના એક ગણાતા હતા. તેમણે ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમણે મુખ્યત્વે મલયાલમ ફિલ્મોમાં અભિનય કર્યો. સાથે જ કેટલીક તમિલ અને ઓડિયા ફિલ્મોમાં પણ જોવા મળ્યા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કોમિક રોલથી કરી અને તેમની કોમિક ટાઈમિંગ, એક્સપ્રેશન અને ડાયલોગ ડિલિવરી માટે જાણીતા બન્યા. પાછળથી તેમણે પોતાને કેરેક્ટર એક્ટર તરીકે સ્થાપિત કર્યા. કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત થયા સલીમ કુમારને 2010માં ‘આદામિન્ટે મકન અબુ’માં અબુની ભૂમિકા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન મળ્યું. આ ઉપરાંત, તેમને ‘અચનુરંગથા વીડુ’ (2005) માટે દ્વિતીય શ્રેષ્ઠ અભિનેતા, ‘અયાલુમ ન્જાનુમ થમ્મિલ’ (2013) માટે શ્રેષ્ઠ હાસ્ય અભિનેતા અને ‘કરુથા જૂથન’ (2017) માટે શ્રેષ્ઠ કહાનીનો કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો. સલીમ કુમારના પરિવારમાં તેમની પત્ની સુનીતા, બે પુત્રો ચંદુ સલીમ કુમાર અને આરોમલ સલીમ કુમાર છે. ચંદુ સલીમ કુમાર પણ અભિનેતા છે. ચંદુ સુપરહિટ ફિલ્મ મંજુમ્મેલ બોયઝ (2024)માં જોવા મળ્યા હતા. ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું સલીમ કુમારે ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. તેમણે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓશાના’માં નેરેટર તરીકે પોતાનો અવાજ આપ્યો હતો. જ્યારે, ‘યુટોપિયાયિલે રાજાઉ’માં તેમણે એક કાગડાના પાત્રને અવાજ આપ્યો. ફિલ્મ ‘અલમારા’માં તેમણે લાકડાના કબાટના પાત્ર માટે ડબિંગ કર્યું હતું. આ ઉપરાંત, ‘કેશુ ઈ વીડિંટે નાધન’માં તેમણે નેરેટરની ભૂમિકા ભજવી હતી. જ્યારે, ‘મુકુંદન ઉન્ની એસોસિએટ્સ’માં તેમણે મુખ્ય પાત્ર મુકુંદનના દાદાનો અવાજ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભારતીય ઇનિંગ્સ 564/8 પર જાહેર, અફઘાનિસ્તાન 28/1:માનવ સુથારે ડેબ્યૂ મેચની પ્રથમ ઓવરમાં વિકેટ લીધી, અબ્દુલ મલિક આઉટ
    Next Article
    પગાર 6 હજાર...મિલકત કરોડોની!:4 આલીશાન મકાન, 13 પ્લોટ, પત્નીનાં લોકરમાં 2 કરોડ રોકડા; ભુવનેશ્વરમાં એન્જિનિયરના ઘરેથી નોટો ભરેલી 5 બેગ જપ્ત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment