Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંબર પ્લેટ વિનાની કારમાં અપહરણ, છરી મારતાં જ કૂદી પડ્યો:ડરણ આંદોલન બાદ ખેડૂત આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલો; 300થી વધુ ખેડૂતોએ પોલીસ સ્ટેશન ઘેર્યું

    3 days ago

    અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામ નજીક ખેડૂત અને સામાજિક આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સાણંદના ડરણ ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાંથી પરત ફર્યા બાદ, બે અજાણ્યા શખસ દ્વારા નંબર પ્લેટ વગરની કારમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ચાલુ કારે છરી વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શૈલેષ મેરને હાથના ભાગે 18 ટાંકા આવ્યા છે અને હાલ તેઓ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શું હતો સમગ્ર વિવાદ? સાણંદના ડરણ ગામમાં આશરે ₹77 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલની લાઇન નાંખવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો. ખેતરોમાંથી લાઇન પસાર કરવાના આ મુદ્દે સ્થાનિક ખેડૂતો છેલ્લા 10 દિવસથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આંદોલનના 10મા દિવસે એટલે કે, 28 જૂન ને રવિવારે સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ અને સાણંદ APMCના ચેરમેન ખેંગારભાઈ ત્યાં પહોંચ્યા હતા. સરકારે લાઇન અહીં નહીં નંખાય, બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે અને હાલમાં જે ખોદાણ થયું છે તે પૂરી દેવાની ખાતરી આપતાં આંદોલન પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી હતી. જો કે, આ સમાધાન સમયે ખેડૂત આગેવાન શૈલેષ મેર અને પિન્ટુભાઈએ આ અંગે લેખિત બાહેંધરી માગી હતી. જેને લઈને રકઝક થતાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આ બાબતને લઈને ધારાસભ્ય અને ચેરમેન સાથે વિવાદ સર્જાયો હતો. પ્રશંસાના બહાને બોલાવી અપહરણ સોમવારે શૈલેષ મેરના મોબાઈલ ફોન પર અજાણ્યા શખસોના ફોન આવ્યા હતા. ફોન કરનારે "તમે બહુ સારું અને પરિણામલક્ષી કામ કરી રહ્યા છો" તેમ કહીને તેમના વખાણ કર્યા હતા અને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 29 જૂન ને સોમવારે સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ શૈલેષ મેર બાવળાથી પશુઓ માટે ખોળ ખરીદીને બાઈક પર પોતાના ઘરે કેરાળા પરત ફરી રહ્યા હતા, ત્યારે ફોન કરનારા બે અજાણ્યા શખસો ત્યાં આવી પહોંચ્યા હતા. શૈલેષભાઈ બાઈક પાર્ક કરીને કેરાળા-નળસરોવર રોડ પર આવેલી એક હોટેલ પાસે પહોંચ્યા ત્યારે, નંબર પ્લેટ વિનાની બ્રેઝા કાર લઈને આવેલા શખસોએ તેમને કહ્યું, "ગાડીમાં બેસી જાવ, આપણે નાસ્તો કરીને આવીએ." ‘કાર ધીમી પડતાં જ હું દરવાજો ખોલીને બહાર કૂદી પડ્યો’ : ઇજાગ્રસ્ત શૈલેષ મેર ઇજાગ્રસ્ત શૈલેષ મેરે જણાવ્યું કે, હું ગાડીમાં પાછળની સીટ પર બેઠો કે તરત જ તેમણે મારી બોચી પકડી લીધી હતી. મેં મારો બચાવ કરવા માટે ગાડીનું સ્ટીયરિંગ પકડી લીધું, જેના કારણે હુમલાખોરોએ મારા હાથ ઉપર ચાકુથી ઘા માર્યા. હુમલા દરમિયાન કાર ધીમી પડતાં જ હું દરવાજો ખોલીને બહાર કૂદી પડ્યો અને મારો જીવ બચાવ્યો હતો. કારમાંથી કૂદી પડ્યા બાદ રોડ પરથી પસાર થતા એક રિક્ષાચાલકની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલાના કારણે તેમના પગમાં પણ ઈજાઓ થઈ છે. શૈલેષ મેરે આ હુમલા પાછળ ધારાસભ્યનો હાથ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. 300થી વધુ ખેડૂતોએ પોલીસ સ્ટેશન ઘેર્યું આ જીવલેણ હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ બાવળા પંથક સહિત સમગ્ર ખેડૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આંદોલનના સાથી આગેવાન પિન્ટુભાઈએ આરોપીઓને પકડવા માટે પોલીસને એક કલાકની ચીમકી આપી હતી. મોડી રાત સુધી હુમલાખોરો ન પકડાતાં 300થી વધુ રોષે ભરાયેલા ખેડૂતો કેરાળા GIDC પોલીસ સ્ટેશને એકઠા થઈ ગયા હતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ પોલીસ સ્ટેશનથી હટશે નહીં. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં જિલ્લાનો મોટો પોલીસકાફલો પણ કેરાળા જીઆઈડીસી પોલીસમથકે ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહી પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. કેરાળા જીઆઈડીસી પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ કરવા, હુમલા પાછળના ચોક્કસ કારણો જાણવા અને કાવતરાખોરો સુધી પહોંચવા માટે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે વિવિધ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે. ----- આ પણ વાંચો 100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનનો 12મો દિવસ મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે. આમરણ ચોવીસી વિસ્તારના 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ પણ ખેડૂતોના આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો છે. 100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા ખેડૂતો ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલ દીઠ પૂરતું વળતર મેળવવા માટે છેલ્લા 12 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. 29 જૂને 12મા દિવસે આમરણ ચોવીસી વિસ્તારમાંથી 100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા હતા. આ દરમિયાન જેતપર ગામના માર્ગો 'જય જવાન જય કિસાન'ના નારાથી ગુંજી ઉઠ્યા હતા. વાંચો સંપૂર્ણ અહેવાલ…
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ: સુરત-તાપી, ઉનામાં વરસાદ:આજે ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી; 3થી 6 જુલાઈ વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે
    Next Article
    He Promised 15% Returns With Zero Risk. It Was A $60 Million Scam

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment