Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ગવર્નમેન્ટ ચિલ્ડ્રન હોમ ખાતે વૃક્ષારોપણ:'એક પેડ માં કે નામ 3.0' અભિયાન, રાજ્યમંત્રીનો હરિયાળું અને સ્વચ્છ ગુજરાતના નિર્માણ માટે વૃક્ષો વાવવા અને જતન કરવા અનુરોધ

    4 days ago

    રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં પાલનપુર સ્થિત ગવર્નમેન્ટ ચિલ્ડ્રન હોમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હનુમાન ટેકરી સ્થિત સ્વસ્તિક સ્કૂલ સામે 'એક પેડ માં કે નામ 3.0' અભિયાન અંતર્ગત યોજાયો હતો. આ અવસરે રાજ્યમંત્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે હરિયાળું અને સ્વચ્છ ગુજરાતના નિર્માણ માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, હરિયાળું ગુજરાતના નિર્માણ માટે જનભાગીદારી અનિવાર્ય છે. દરેક નાગરિકે પોતાના પરિવારજનોના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવાનો સંકલ્પ લેવો જોઈએ. 'એક પેડ માં કે નામ 3.0' અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી, સંવેદના અને ભાવનાત્મક જોડાણનું પ્રતિક છે. આ અભિયાન પર્યાવરણનું સંતુલન જાળવવા, જૈવ વૈવિધ્યનું સંરક્ષણ કરવા અને ભાવિ પેઢીને હરિયાળું તથા સ્વચ્છ પર્યાવરણ પ્રદાન કરવાના રાજ્ય સરકારના સંકલ્પને મજબૂત બનાવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિત, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, સ્થાનિક આગેવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    A veterinarian explains why more are people scared of dogs than cats
    Next Article
    માનસર ગામે 20 વિઘામાં વૃક્ષારોપણ મહાઅભિયાન:પર્યાવરણ જાગૃતિ સાથે ખેડૂતોની બેઠક યોજાઈ, સમૂહ ભોજન સાથે સમાપન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment