Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઔદ્યોગિક એકમો માટે આદેશ જાહેર કરાયો:દમણમાં 3 હજાર ચોરસ ફૂટના પ્લિન્થ અથવા છત ધરાવતી કંપનીએ વરસાદી પાણીનો સંગ્રહ કરવો ફરજિયાત રહેશે

    1 day ago

    જળ સંરક્ષણ અને ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપન તરફ એક મોટું પગલું ભરતા, દમણ વહીવટીતંત્રએ જિલ્લામાં ઓછામાં ઓછા 3 હજાર ચોરસ ફૂટના પ્લિન્થ અથવા છત વિસ્તાર ધરાવતા તમામ ઔધોગિક એકમોએ વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે સિસ્ટમ બનાવવી પડશે. તમામ ઔદ્યોગિક એકમો માટે વરસાદી પાણીનો સંગ્રહ ફરજિયાત બનાવતો આદેશ જારી કર્યો છે. ભારતીય નાગરિક સેવા સંહિતા, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અને પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ દમણના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ મિશ્રા દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ નિર્દેશનો હેતુ ભૂગર્ભજળ સંસાધનોના ઘટાડાને રોકવા અને લાંબા ગાળાના પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરવાનો છે. આદેશ અનુસાર ઓછામાં ઓછા ત્રણ હજાર ચોરસ ફૂટના પ્લિન્થ અથવા છત વિસ્તાર ધરાવતા તમામ ઔદ્યોગિક એકમોએ આદેશ જારી થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર વરસાદી પાણીનો સંગ્રહ સિસ્ટમ સ્થાપિત કરવી આવશ્યક છે. આ સિસ્ટમોમાં જાહેર બાંધકામ વિભાગ અને કેન્દ્રીય ભૂગર્ભજળ બોર્ડ દ્વારા નિર્ધારિત સ્પષ્ટીકરણો અનુસાર છત પર વરસાદી પાણીનો સંગ્રહ, ફિલ્ટ્રેશન સિસ્ટમ્સ, પરકોલેશન ખાડાઓ અને રિચાર્જ કૂવાઓનો સમાવેશ થવો જોઈએ. સ્થાપન પૂર્ણ થયા પછી ઉદ્યોગોએ નિયુક્ત પાલન સમિતિને અનુપાલન અહેવાલ પણ સુપરત કરવો આવશ્યક છે. વધુમાં, તમામ ઉદ્યોગો, કદ ગમે તે હોય, ભૂગર્ભજળ સંસાધનો પર નિર્ભરતા ઘટાડવા માટે પાણી-કાર્યક્ષમ તકનીકો અપનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા આયોજન વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે કે, કે ભૂગર્ભજળ પીવાના પાણી પુરવઠા, કૃષિ, પર્યાવરણીય સંતુલન અને જાહેર આરોગ્ય માટે આવશ્યક કુદરતી સંસાધન છે. ભૂગર્ભ જળના વધુ પડતા નિષ્કર્ષણ અને દુરુપયોગને નિયંત્રિત કરવા, આજ અને ભાવિ પેઢીઓ માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ આદેશ જારી કરાયો હતો. અધિકારીઓએ ભાર મૂક્યો હતો કે નિર્દેશનું પાલન સુનિશ્ચિત કરવા અને વિસ્તારના ભૂગર્ભજળ ભંડારોનું રક્ષણ કરવા માટે કડક દેખરેખ રાખવામાં આવશે. આદેશનું પાલન નહિ કરવા પર પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમની કલમ અને અન્ય હાલના કાયદાઓ હેઠળ દંડ, પાણી અને વીજળી પુરવઠો બંધ કરવો, સંચાલન માટે સંમતિ, એનઓસી રદ્દ અથવા તો ઇનકાર કરવો અને કાનૂની કાર્યવાહી શરૂ કરવી સહિત દંડને પાત્ર થશે. આયોજન અને વિકાસ સત્તામંડળ દમણ 3હજાર ચોરસ ફૂટથી વધુના પ્લિન્થ અને છત વિસ્તાર ધરાવતા ઔદ્યોગિક એકમોની યાદી તૈયાર કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દહેશતનો આવ્યો અંત:પારડીના ટુકવાડાથી દીપડો પાંજરે પૂરાયો
    Next Article
    સાંસદ ધવલ પટેલની રજૂઆત:જિલ્લાના દરિયા કાઠે મત્સ્યઉદ્યોગને વેગ આપી માછીમારોની આર્થિક સ્થિતિ સુધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment