Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોતા વોર્ડમાં દૂષિત પાણીથી રોગચાળાનો મામલો:3 જૂને લેવાયેલા પાણીના સેમ્પલ અનફિટ, પાણી પીવા લાયક ન હોવાના કારણે રોગચાળો ફેલાયું હોવાનું સામે આવ્યું

    6 days ago

    મુખ્યમંત્રીની વિધાનસભાના ગોતા વોર્ડમાં ગત અઠવાડિયે ફેલાયેલા રોગચાળા મામલે 3 જૂનના રોજ બુધવારના પાણીના સેમ્પલ અન ફિટ આવ્યા છે. 4 અને 5 જૂના રોજ લીધેલા 22 સેમ્પલ ફિટ આવ્યા છે. 3 જૂનના રોજ આકાંક્ષા ફ્લેટ, નવરત્ન એવન્યુ અને વર્ધમાન ફ્લેટના સેમ્પલ અનફિટ આવ્યા છે. પાણીના સેમ્પલ ફિટ આવ્યા છે જેથી પાણી પીવા લાયક ન હોવાના કારણે જ રોગચાળો ફેલાયું હોવાનું સામે આવ્યું છે. 4 અને 5 જૂનના રોજ લીધેલા સેમ્પલ ફિટ આવ્યા છે ત્યારે આકાંક્ષા સોસાયટી આસપાસની તમામ સોસાયટીમાં પાણી પીવાલાયક આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 3 જૂનના રોજ આકાંક્ષા અને અન્ય 2 ફ્લેટની પાણીની ટાંકીમાંથી લીધેલા 3 સોસાયટીના રિપોર્ટ અનફિટ આવ્યા છે. 14માંથી 3 સોસાયટીના રિપોર્ટ અનફિત આવ્યા છે. પ્રદૂષિત પાણી મામલે નવી SOP પ્રમાણે કામગીરી થશે. પાંચ થી વધુ સોસાયટી ની પાણી ફરિયાદ હશે તો તાત્કાલિક કાર્યવાહી થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ગોતા વોર્ડમાં પ્રદૂષિત પાણી અંગે ફરિયાદ મળી હતી જેમાં 4 જૂનના રોજ 17 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં સુરસાગર સોસાયટી આકાંક્ષા ફ્લેટ, વંદેમાતરમ ફ્લેટ, ત્રિદેવ કોમ્પ્લેક્સ, શ્રીનાથ ફ્લેટ, નવરત્ન એવન્યુ વગેરેમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ક્લોરિન નું પ્રમાણ પણ આવ્યું છે અને પાણી હવે પીવા લાયક છે. 5 જુના રોજ પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પાણીના સેમ્પલ પણ ફીટ આવ્યા છે જેથી હવે પીવા લાયક પાણી છે અને કોઈપણ પ્રકારના કેસો ત્યાં સામે આવ્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ગોતા વોર્ડમાં આવેલા ઘાટલોડિયા વિસ્તારમાં આકાંક્ષા ફ્લેટ અને આસપાસની પાંચ જેટલી સોસાયટીઓમાં પ્રદૂષિત પાણી આવવાના કારણે રોગચાળો ફેલાવતો અને 300 જેટલા લોકો બીમાર પડ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓની હજી સુધી જવાબદારી નક્કી કરવામાં આવી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા જવાબદારની તપાસ કરીને કાર્યવાહી માટે જણાવ્યું હતું જોકે હજી સુધી આમ અમને કોઈ અધિકારીની આમ અમને જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    'બેબેસિયોસિસ'નું જોખમ ટાળવા પશુપાલન વિભાગ એક્શન મોડમાં:88 નેસ અને ગામોના 13,000થી વધુ પશુઓ પર દવા છંટકાવ શરૂ
    Next Article
    દાંતીવાડાના ઝાત ગામમાં ગેરકાયદેસર ખનન સામે ગ્રામજનોનો વિરોધ:ખનન માફિયાઓએ ડમ્પરની ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આક્ષેપ; કલેક્ટરને આવેદન પાઠવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment