Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'શાહરુખ સહિતના અમીરોને 3 બાળકો છે':અશ્નીર ગ્રોવરની પત્નીનું અમીર-ગરીબના બાળકો પર વિવાદિત નિવેદન, એલિમિનેશનથી બચવા અંગત જીવનને ઉઘાડું પાડ્યું

    एक दिन पहले

    નેટફ્લિક્સના રિયાલિટી શો ‘લોકઅપ 2’માં 'શાર્ક ટેન્ક' ફેમ બિઝનેસમેન અશ્નીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવરના એક નિવેદન પર વિવાદ થયો છે. શોમાં એલિમિનેશનથી બચવા માટે માધુરીએ પોતાની પર્સનલ જિંદગી સાથે જોડાયેલું એક સિક્રેટ શેર કર્યું. આ દરમિયાન તેણે અમીર અને ગરીબ લોકોના બાળકો પેદા કરવાને લઈને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી. માધુરીનું આ સિક્રેટ તેને શોમાંથી બહાર થવાથી તો બચાવી ગયું, પરંતુ તેના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. અશ્નીર ગ્રોવર ત્રીજું બાળક ઇચ્છતા હતા માધુરી જૈન ગ્રોવરે શો દરમિયાન પોતાના પરિવાર સાથે જોડાયેલી એક હકીકત જણાવી. તેણે કહ્યું કે, તે અને અશ્નીર ગ્રોવર ત્રીજું બાળક ઇચ્છતા હતા. શરૂઆતમાં તેમનો પરિવાર આ વિચારની વિરુદ્ધ હતો, જેના કારણે તેમણે પોતાનો નિર્ણય ટાળી દીધો. બાદમાં જ્યારે બંનેએ ફરીથી ત્રીજા બાળક માટે મન બનાવ્યું, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. માધુરીએ કહ્યું કે, ત્રીજું બાળક તમને યુવાન રાખે છે. શાહરૂખ ખાન સહિત જેટલા પણ અમીર લોકો છે, તેમને ત્રણ બાળકો છે. 'હમ દો હમારે દો'નો આ કોન્સેપ્ટ દરેક પર લાગુ પડતો નથી. શ્રીમંત અને ગરીબ બાળકો પરની ટિપ્પણીથી વિવાદ વધ્યો પોતાનું રહસ્ય જણાવતા માધુરીએ આગળ કહ્યું કે, 'જેટલા શ્રીમંત લોકો બાળકો પેદા કરશે, તેટલી શ્રીમંતાઈ વધશે અને ગરીબ પેદા કરશે તો ગરીબી વધશે.' માધુરીના આ જ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. યુઝર્સનું કહેવું છે કે, આ વિચાર સંપૂર્ણપણે ભેદભાવથી ભરેલો છે. એક યુઝરે લખ્યું કે, 'આ નિવેદન દર્શાવે છે કે શ્રીમંતોનો ઘમંડ કયા સ્તરે છે. આમાં માણસની ગરિમાને તેના બેંક બેલેન્સથી તોલવામાં આવી છે, જાણે બાળકો પેદા કરવાનો અધિકાર ફક્ત શ્રીમંત લોકોને જ હોય.' હોસ્ટ ફરાહ ખાન અને રિતેશ દેશમુખ પર પણ પ્રશ્નો ઉઠ્યા સોશિયલ મીડિયા પર માધુરી જૈન ગ્રોવરની ટીકા કરવા ઉપરાંત, યુઝર્સ શોના હોસ્ટ પર પણ નિશાન સાધી રહ્યા છે. આ સિઝનને ફરાહ ખાન અને રિતેશ દેશમુખ હોસ્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, 'માધુરીએ આટલું મોટું નિવેદન આપ્યા પછી પણ શોના હોસ્ટ કંઈ બોલી શક્યા નહીં અને સંપૂર્ણપણે ચૂપ રહ્યા.' લોકોનું કહેવું છે કે ભલે હોસ્ટ આ વાત સાથે અસહમત રહ્યા હોય, પરંતુ તેને આવી કોમેન્ટ પર રોકવા જોઈતા હતા. નેટફ્લિક્સના શો સાથે જોડાયેલા આ વિવાદો પણ વાંચો- રામ કપૂરે ચીટિંગને જસ્ટિફાય કર્યું- રામ કપૂરે તાજેતરમાં શોમાં કહ્યું છે કે, 'જો પતિ-પત્ની વચ્ચે સાચો પ્રેમ હોય તો દગો આપ્યા પછી પણ સંબંધ પૂરો થતો નથી.' આ નિવેદન તેણે સહ-સ્પર્ધક શ્રેયા કાલરાના તે પ્રશ્નના જવાબમાં આપ્યું હતું, જેમાં તેણે પૂછ્યું હતું કે ‘જો તમારો પાર્ટનર છેતરપિંડી કરે, તો શું તમે સંબંધ પૂરો કરશો’? આના પર રામે કહ્યું- 'તમે ફરીથી કનેક્શન શોધો. જો તમે પ્રેમ કરો છો તો સંબંધ પૂરો થતો નથી. લગ્ન એક મુશ્કેલ સફર છે. આપણે લગ્ન પર રોજ કામ કરવું પડે છે. 20-25 વર્ષના લગ્નમાં તમારે ઉતાર-ચઢાવ જોવા પડે છે. ખરાબ સમયમાં જો ભૂલથી કોઈ એકથી કંઈક થઈ જાય, જો તમે તેમના વગર જીવી શકતા નથી અને તમારા બાળકો વગર જીવી શકતા નથી, તો સમયની સાથે વસ્તુઓ સુધરી જાય છે. ક્યારેક-ક્યારેક આ ભૂલથી થઈ જાય છે.' આકાંક્ષા ચમોલાએ બાયસેક્સ્યુઅલ હોવાની વાત કબૂલી- આ શો 27 જૂનથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી રહ્યો છે. શો શરૂઆતથી જ કોન્સેપ્ટ ઓછો અને વિવાદોથી ચર્ચામાં છે. શોના પ્રીમિયરમાં જ આકાંક્ષા ચમોલાએ 'અનુપમા' સ્ટાર અને 'બિગ બોસ 19' વિજેતા ગૌરવ ખન્નાથી છૂટાછેડાની જાહેરાત કરી, જેને ઘણા યુઝર્સે ફેક ગણાવ્યા. હવે તાજેતરમાં જ આકાંક્ષાએ શોમાં બાયસેક્સ્યુઅલ હોવાની વાત સ્વીકારી છે. તેણે કહ્યું છે કે, લગ્ન પહેલા તેના છોકરીઓ સાથે પણ સંબંધો રહ્યા છે અને તે છોકરીઓ તરફ આકર્ષિત થાય છે. પ્રશ્નોમાં નેટફ્લિક્સની સ્ટ્રેટેજી સામાન્ય રીતે આવા રિયાલિટી શોમાં ખાવા અને ટાસ્ક પર ઝઘડા થાય છે, પરંતુ આનાથી વિપરીત નેટફ્લિક્સના નવા રિયાલિટી શોમાં સતત વિવાદો અને ઝઘડાઓને જ હાઇલાઇટ કરવામાં આવી રહ્યા છે. શોમાં ભાષા, ગાળાગાળી અને વાંધાજનક શબ્દો પર પણ કોઈ સેન્સર નથી. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે, દુનિયાભરની મોટી ફિલ્મો અને સિરીઝ સ્ટ્રીમ કરનાર નેટફ્લિક્સને ભારતમાં ટકી રહેવા અને વ્યુઝ મેળવવા માટે વિવાદોની જરૂર કેમ પડી રહી છે. , 'લોક-અપ 2' સંબંધિત આ સમાચાર પણ વાંચો… 'ગોવિંદાએ ના પાડી, તોય હું અહીં આવી...':ભૂખી-તરસી ડાયાબિટીક સુનીતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી, 'લોક-અપ'માં કાગડાના યુરિન જેવો સૂપ આપ્યાનો દાવો નેટફ્લિક્સ પર પ્રીમિયર થઈ રહેલા રિયાલિટી શો ‘લોક-અપ 2’માં સ્પર્ધકોએ આપવામાં આવતા ભોજનની ગુણવત્તા પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગોવિંદાની પત્ની સુનીતા આહુજા, ખરાબ ભોજન મળવાથી રડી પડી અને દાવો કર્યો કે, શોમાં આપવામાં આવતો સૂપ, કાગડાના યુરિન જેવો છે. આ ઉપરાંત રામ કપૂર સહિત શોના અન્ય સ્પર્ધકો પણ વિરોધમાં ઉતરી આવ્યા અને એક રાત ભૂખ્યા સૂઈ ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બન્યો:શેરબજારમાં સ્થાનિક ખરીદીથી સકારાત્મક માહોલ
    Next Article
    2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાઈકોર્ટ ચુકાદો આપશે:સેશન્સ કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદ ફટકારી હતી; 56 લોકોનાં મોત થયા હતા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment