Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલાણી બ્રિજ પર લોખંડની સુરક્ષા ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ:ઉત્તરાયણમાં બાઈક સવાર સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા, 3ના મોત થયા'તા

    3 days ago

    સુરત શહેરના ટ્રાફિકથી ધમધમતા જિલાણી બ્રિજ પર આખરે સુરક્ષા કવચ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત ઉતરાયણના દિવસે બનેલી હૃદયદ્રાવક ઘટના, જેમાં ચાઈનીઝ દોરીને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. તેના પગલે જાગૃત નાગરિકો અને રાજકીય આગેવાનોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ પર લોખંડની ઊંચી ગ્રીલ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ચાઈનીઝ દોરીએ એક હસતા-રમતા પરિવારનો જીવ લીધો 14 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે આખું સુરત પતંગબાજીના ઉત્સાહમાં હતું, ત્યારે જિલાણી બ્રિજ પર એક કમકમાટીભરી ઘટના ઘટી હતી. ઉતરાયણના દિવસે પ્રતિબંધ હોવા છતાં વપરાતી ઘાતક ચાઈનીઝ દોરીએ એક હસતા-રમતા પરિવારનો જીવ લીધો હતો. બાઈક સવાર સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા, 3ના મોત બ્રિજ પરથી પસાર થતા બાઈક સવારના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે ગળામાં વાગતા જ ચાલકે બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને બાઈક સવાર સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાએ આખા સુરતને હચમચાવી દીધું હતું અને બ્રિજની ડિઝાઈન તેમજ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા હતા. વારંવાર મનપાને રજૂઆતને 2 મહિના બાદ કામગીરી શરૂ કરાઈ આ ઘટના બાદ લોકરોષ ફાટી નીકળ્યો હતો. પૂર્વ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મારુક પટેલે આ મામલે સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે, જિલાણી બ્રિજની ઉંચાઈ અને નીચે પટકાવાની શક્યતાઓને જોતા ત્યાં મજબૂત લોખંડની ગ્રીલ લગાવવી અનિવાર્ય છે. 'બ્રિજ પર યોગ્ય ઉંચાઈની ગ્રીલ હોત, તો ત્રણેય જીવતાં હોત' તેમણે પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો બ્રિજ પર યોગ્ય ઉંચાઈની ગ્રીલ હોત, તો કદાચ પેલા ત્રણ લોકો બ્રિજ નીચે ન પટકાયા હોત અને આજે તેઓ જીવિત હોત. માત્ર ચાઈનીઝ દોરી જ નહીં, પણ સામાન્ય અકસ્માતમાં પણ વાહનચાલક બ્રિજની બહાર ન ફેંકાય તે જોવાની જવાબદારી તંત્રની છે. જિલાણી બ્રિજ પર ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરાઈ આજે 24 માર્ચ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જિલાણી બ્રિજ પર ગ્રીલ લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બ્રિજની બંને બાજુએ મજબૂત લોખંડના એન્ગલ અને જાળીવાળી ગ્રીલ ફીટ કરવામાં આવી રહી છે. આ ગ્રીલની ઉંચાઈ એટલી રાખવામાં આવી છે કે જેથી કોઈ પણ પ્રકારના અકસ્માતમાં વ્યક્તિ બ્રિજની બહાર ન ફેંકાય. અનેક લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતી પૂર્વ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મારુફ પટેલે જણાવ્યું હતું કે, 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ચંદ્રશેખર આઝાદ જીલાની બ્રિજ પર એક વળાંક પર એક પરિવારનું ચાઇના દોરી વાગી જવાથી જીલાની બ્રિજ પરથી નીચે પટકાઈને મૃત્યુ થયું હતું. ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી, સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ફરિયાદ કરી હતી, સુરત શહેરના સામાજિક યુવા આગેવાનોએ પણ ફરિયાદ કરી હતી. આજે સુરત મહાનગરપાલિકા દ્વારા જીલાની બ્રિજ પર ગ્રીલનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, તે બદલ સુરત મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર.
    Click here to Read More
    Previous Article
    લોકસભા પછી રાજ્યસભામાં પણ મોદીની ચેતવણી:આ કેન્દ્ર અને રાજ્ય સરકારોની 'ટીમ ઈન્ડિયા'ની મોટી પરીક્ષા છે; શાંત મનથી દરેક પડકારો ઝીલવાના છે
    Next Article
    બોટાદની દાણી પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ:'મોરપીંછ 2026' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ આપ્યા, ઇનામ વિતરણ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment