Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઈ સુદર્શન શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર:પગના અંગૂઠામાં ઈજા થઈ હતી; પડિકલ નંબર-3 પર રમશે, સરફરાઝ રિપ્લેસમેન્ટ હોઈ શકે છે

    14 hours ago

    ભારતીય બેટર સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ડાબા પગના અંગૂઠા (બિગ ટો)ની ઈજામાંથી સંપૂર્ણપણે ફિટ ન થવાને કારણે BCCIની મેડિકલ ટીમે તેને ટેસ્ટ ક્રિકેટમાં કમબેકની મંજૂરી આપી નથી. હવે સુદર્શનના સ્થાને પ્રથમ ટેસ્ટમાં દેવદત્ત પડિકલ નંબર-3 પર બેટિંગ કરે તેવી શક્યતા છે. ટીમમાં રિપ્લેસમેન્ટ તરીકે સરફરાઝ ખાનનો સમાવેશ થઈ શકે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ 15 ઑગસ્ટથી ગૉલમાં શરૂ થશે. બીજી ટેસ્ટ 23 ઑગસ્ટથી કોલંબોના SSC મેદાન પર રમાશે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27નો ભાગ છે. ઈન્ડિયા-A પ્રવાસમાં ઈજા થઈ હતી સાઈ સુદર્શનને ગયા મહિને શ્રીલંકા-A સામેની બીજી અન-ઑફિશિયલ ટેસ્ટ દરમિયાન પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યારથી તે બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE)માં રિહેબ કરી રહ્યો હતો. તેણે બેટિંગ અને ફિલ્ડિંગની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી, પરંતુ મેડિકલ ટીમે તેને સંપૂર્ણપણે ફિટ માન્યો નહોતો. પડિકલ નંબર-3નો સૌથી મોટો દાવેદાર સાઈ સુદર્શનની ગેરહાજરીમાં દેવદત્ત પડિકલ પ્રથમ ટેસ્ટમાં નંબર-3 પર બેટિંગ કરશે. દેવદત્ત પડિકલે કોલંબોમાં શ્રીલંકા ઇલેવન સામેની ત્રણ દિવસીય વોર્મ-અપ મેચમાં સદી ફટકારીને પોતાની દાવેદારી મજબૂત કરી છે. જોકે, ટીમમાં સુદર્શનની જગ્યાએ કયા ખેલાડીને સામેલ કરવામાં આવશે, તેની પર હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. સરફરાઝ પણ રિપ્લેસમેન્ટની રેસમાં ટીમમાં સુદર્શનની જગ્યાએ કયા ખેલાડીને સામેલ કરવામાં આવશે, તેની સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી. રિપોર્ટ્સ અનુસાર મુંબઈના બેટર સરફરાઝ ખાન પણ રિપ્લેસમેન્ટની રેસમાં છે. પહેલેથી જ ઈજાઓથી ઝઝૂમી રહી છે ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પહેલા જ ભારતીય ટીમ ઘણી ઈજાઓથી પરેશાન છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજાને કારણે આખી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. વોશિંગ્ટન સુંદર હેમસ્ટ્રિંગ ઈજાને કારણે પ્રથમ ટેસ્ટ નહીં રમે. હર્ષિત રાણા (હેમસ્ટ્રિંગ), નીતિશ કુમાર રેડ્ડી (ક્વાડ્રિસેપ્સ) અને આકાશ દીપ (પીઠની ઈજા) પણ ઉપલબ્ધ નથી. જ્યારે ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને જમણા હાથમાં ઈજા થઈ છે. સાવચેતીના ભાગરૂપે તેણે વોર્મ-અપ મેચ રમી ન હતી અને BCCIની મેડિકલ ટીમ તેની દેખરેખ રાખી રહી છે. સાઈ સુદર્શન 7 ટેસ્ટ રમી ચૂક્યો છે સાઈ સુદર્શને અત્યાર સુધી ભારત માટે 7 ટેસ્ટ, 3 વન-ડે અને 1 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 12 ઇનિંગ્સમાં 31.91ની સરેરાશથી 383 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. જ્યારે વન-ડેમાં તેણે ત્રણ મેચની ત્રણ ઇનિંગ્સમાં 127 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ 63.50 રહી હતી અને તેણે બે અડધી સદી ફટકારી હતી.
    Click here to Read More
    Previous Article
    दिल्ली में भारी बारिश से हुआ जलभराव तो GK-2 की सड़कों पर 'राफ्टिंग' करने लगे लोग, वायरल हुआ वीडियो
    Next Article
    લુધિયાણામાં 5 ગોળીઓ મારીને યુવકની હત્યા:મિત્રના ઘરે જતી વખતે ઘેરી લીધો, પહેલા મારામારી કરી, પછી ફાયરિંગ; પરિવારનો એકનો એક પુત્ર હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment