Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વળતર આપો અથવા પાઈપલાઈન ઉખેડી લો':વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખેડૂતોની ધીરજ ખૂટી, 3 વર્ષે પણ વળતર મળતાં પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કર્યો

    9 hours ago

    ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી અને રાજપુર તલાટ ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી પોતાની કિંમતી જમીનમાંથી પાઈપલાઈન પસાર કરવા દેવા છતાં, વળતરના નામે તંત્ર દ્વારા માત્ર વાયદા જ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ આજે પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કર્યો હતો. ​ત્રણ વર્ષનો વનવાસ: ખેડૂતોની ધીરજ ખૂટી "વિકાસ"ની વાતો વચ્ચે ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. ધરમપુર અને કપરાડા તાલુકાના આશરે 96 થી વધુ ખેડૂતોની જમીનમાંથી ત્રણ વર્ષ પહેલા પાઈપલાઈન નાખવામાં આવી હતી. તે સમયે અધિકારીઓએ મોટા-મોટા વાયદા કરી ખેડૂતો પાસેથી સંમતિ મેળવી હતી અને તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરાવાયા હતા. પરંતુ આજે ત્રણ વર્ષ વીતી જવા છતાં એક પણ ખેડૂતને વળતરનું એક રૂપિયો પણ મળ્યું નથી. ​કચેરીએ જઈને અધિકારીઓને ખખડાવ્યા ​આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને સામાજિક અગ્રણીઓ કલ્પેશ પટેલ અને જયેન્દ્ર ગાવિતની આગેવાનીમાં પાણી પુરવઠા કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે અમારું કામ છોડીને અધિકારીઓના કહેવા મુજબ કાગળો તૈયાર કર્યા, પણ તંત્રની નિંભરતાને કારણે અમને ન્યાય મળ્યો નથી." ​અધિકારીઓનો બચાવ, વહીવટી પ્રક્રિયામાં વિલંબ ​આ મામલે ડેપ્યુટી ઈજનેર અંકિત પટેલે જણાવ્યું હતું કે, પ્રમોલગેશન અને સર્વે નંબરની કેટલીક વિસંગતતાઓને કારણે વળતર ચૂકવવામાં વિલંબ થયો છે. તેમણે બાંહેધરી આપી છે કે જે ખેડૂતોના ફોર્મ બાકી છે તેમની પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવામાં આવશે અને વહેલી તકે વળતર ચૂકવવામાં આવશે. જો વળતર નહીં મળે તો હાઈવે જામ કરીશું ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો હવે તાત્કાલિક ધોરણે વળતર નહીં ચૂકવાય તો નેશનલ હાઈવે 56 પર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એટલું જ નહીં, જો સરકાર વળતર ન આપી શકતી હોય તો પોતાની પાઈપલાઈન ખેતરોમાંથી કાઢી લે તેવી માંગ પણ ઉઠી છે. ​હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ મામલે કેટલી ઝડપ બતાવે છે કે પછી ખેડૂતોને ફરી એકવાર રસ્તા પર ઉતરવાની ફરજ પડશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત, CCTV:રત્નકલાકારની દીકરી એક્ટિવા પર જતી હતી ત્યારે બસે અડફેટે લીધી, માથામાં ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દમ તોડ્યો
    Next Article
    PM Modi Gujarat LIVE | બંગાળની જીત બાદ PM મોદી આવશે ગુજરાત | Sardardham Inauguration | Vadodara

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment